Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad, Mangoes, Verities, information

 Valsad, Mangoes, Verities, information 

અહીં અમે કેરી અને ઉપલબ્ધતા વિશે કેટલીક માહિતી આપી છે.

      કેરીની 1,000 થી વધુ વિવિધ જાતો છે, પરંતુ કેટલીક જાતો, જેમ કે આલ્ફોન્સો, કેસર અને બદામી - જે તમામ મૂળ ભારતના છે - બાકીના કરતા અલગ છે. કેરીની સિઝન થોડા અઠવાડિયા જ ચાલે છે. આટલા ઓછા સમયમાં બને તેટલી કેરી ખાવા માટે, એક જ વિકલ્પ છે કે તમે ખાઓ તે દરેક વાનગીમાં કેરી નાખો. તેથી જ ભારતીયો કેરીની ચટણી, કેરીના સલાડ, મેંગો કુલ્ફી (ભારતીય આઈસ્ક્રીમ) અને મેંગો લસ્સી (દહીંનું પીણું) બનાવે છે. તેઓ કેરીને સૂકવે છે, કઢીમાં નાખે છે, બ્રેડમાં ભરે છે. પણ સૌથી સારી સાદી કેરી છે.

   વલસાડની (ગુજરાતમાં) કેરી અન્ય કરતા વધુ પ્રખ્યાત કેમ?

       વિશ્વના કુલ ફળ ઉત્પાદનમાં 11% હિસ્સા સાથે ચીન પછી ભારત 49.8 મિલિયન ટન ફળોનું ઉત્પાદન કરીને સમગ્ર વિશ્વમાં બીજા સ્થાને છે. ટોચના દસ કેરી ઉત્પાદક દેશોમાં કેરીના વિશ્વ ઉત્પાદનમાં સૌથી વધુ 44 ટકા હિસ્સા સાથે ભારત પ્રથમ ક્રમે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાત મહત્વના કેરી ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં કેરીનું ઉત્પાદન મુખ્યત્વે આઠ જિલ્લાઓમાં થાય છે જે રાજ્યના કેરીના ઉત્પાદનના 83.00 ટકાને આવરી લે છે, જેમાંથી રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં વલસાડ જિલ્લો સૌથી વધુ કેરીના વાવેતર હેઠળનો વિસ્તાર ધરાવે છે. 


કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે. કેરીમાંથી જાતજાતના અથાણાં‌ તથા મુરબ્બો બંને છે.કાચી તેમજ પાકી કેરીમાંથી ચોકલેટ પણ બને છે. કેરીના રસનો ઉપયોગ ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, શ્રીખંડ, મઠો, લસ્સી, જ્યુસ, મિલ્ક શેક, વગેરેમાં થાય છે. કેરીના બીજને 'ગોટલો' કહે છે. તે દ્વિદળી બીજ છે. તેનો ઉપયોગ ઔષધી તરીકે થાય છે. તેને શેકીને નાનાં નાનાં ટુકડા કરી મુખવાસ તરીકે ખવાય છે. કેરીનાં ગોટલા પરથી હિન્દીમાં आम के आम गुटली के दाम  કહેવત પણ બની છે.
કેરી ખાવામાં ઉત્તમ હોય તો તે 'દેશી કેરી' છે.તેનો રસ પચવામાં હલકો હોય છે. દેશી કેરી ઘણા પ્રકારની હોય છે. વિસ્તાર પ્રમાણે તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.
     આજનાં વર્તમાન સમયમાં કુદરત પણ ખેડૂતોને સાથ આપતો નથી! ખરાબ હવામાનને કારણે કેરીનું ઉત્પાદન ઓછું થતું જાય છે. કેરીનાં સારા ઉત્પાદન માટે ખેડૂતોએ દવા પાછળ સારો એવો ખર્ચ કરવો પડે છે. 


ખેરગામ કેરી માર્કેટ દક્ષિણ ગુજરાતનું મહત્વનું માર્કેટ યાર્ડ ગણાય છે. આ માર્કેટમાંથી દેશના અલગ અલગ રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે.

ખેરગામ તાલુકાના આજુબાજુ વિસ્તારની વાડીઓમાં નીચેના પ્રકારની કેરીઓ જોવા મળે છે. 




                           કેસર કેરી






હાફૂસ કેરી 




લંગડો કેરી

રાજાપૂરી
તોતાપૂરી
દશેરી
પાયરી
સરદાર
નીલમ
આમ્રપાલી
બેગમપલ્લી
વનરાજ
નિલ્ફાન્સો
જમાદાર
મલ્લિકા
દાડમ 
 બદામી
દાડમીયો

Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા...

 ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા... ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા... CMO Gujarat Mulubhai Bera #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #tourism #gujarattourism #dang #saputara #monsoon Posted by  Gujarat Information  on  Tuesday, July 16, 2024

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

 વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...