Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad, Mangoes, Verities, information

 Valsad, Mangoes, Verities, information 

અહીં અમે કેરી અને ઉપલબ્ધતા વિશે કેટલીક માહિતી આપી છે.

      કેરીની 1,000 થી વધુ વિવિધ જાતો છે, પરંતુ કેટલીક જાતો, જેમ કે આલ્ફોન્સો, કેસર અને બદામી - જે તમામ મૂળ ભારતના છે - બાકીના કરતા અલગ છે. કેરીની સિઝન થોડા અઠવાડિયા જ ચાલે છે. આટલા ઓછા સમયમાં બને તેટલી કેરી ખાવા માટે, એક જ વિકલ્પ છે કે તમે ખાઓ તે દરેક વાનગીમાં કેરી નાખો. તેથી જ ભારતીયો કેરીની ચટણી, કેરીના સલાડ, મેંગો કુલ્ફી (ભારતીય આઈસ્ક્રીમ) અને મેંગો લસ્સી (દહીંનું પીણું) બનાવે છે. તેઓ કેરીને સૂકવે છે, કઢીમાં નાખે છે, બ્રેડમાં ભરે છે. પણ સૌથી સારી સાદી કેરી છે.

   વલસાડની (ગુજરાતમાં) કેરી અન્ય કરતા વધુ પ્રખ્યાત કેમ?

       વિશ્વના કુલ ફળ ઉત્પાદનમાં 11% હિસ્સા સાથે ચીન પછી ભારત 49.8 મિલિયન ટન ફળોનું ઉત્પાદન કરીને સમગ્ર વિશ્વમાં બીજા સ્થાને છે. ટોચના દસ કેરી ઉત્પાદક દેશોમાં કેરીના વિશ્વ ઉત્પાદનમાં સૌથી વધુ 44 ટકા હિસ્સા સાથે ભારત પ્રથમ ક્રમે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાત મહત્વના કેરી ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં કેરીનું ઉત્પાદન મુખ્યત્વે આઠ જિલ્લાઓમાં થાય છે જે રાજ્યના કેરીના ઉત્પાદનના 83.00 ટકાને આવરી લે છે, જેમાંથી રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં વલસાડ જિલ્લો સૌથી વધુ કેરીના વાવેતર હેઠળનો વિસ્તાર ધરાવે છે. 


કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે. કેરીમાંથી જાતજાતના અથાણાં‌ તથા મુરબ્બો બંને છે.કાચી તેમજ પાકી કેરીમાંથી ચોકલેટ પણ બને છે. કેરીના રસનો ઉપયોગ ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, શ્રીખંડ, મઠો, લસ્સી, જ્યુસ, મિલ્ક શેક, વગેરેમાં થાય છે. કેરીના બીજને 'ગોટલો' કહે છે. તે દ્વિદળી બીજ છે. તેનો ઉપયોગ ઔષધી તરીકે થાય છે. તેને શેકીને નાનાં નાનાં ટુકડા કરી મુખવાસ તરીકે ખવાય છે. કેરીનાં ગોટલા પરથી હિન્દીમાં आम के आम गुटली के दाम  કહેવત પણ બની છે.
કેરી ખાવામાં ઉત્તમ હોય તો તે 'દેશી કેરી' છે.તેનો રસ પચવામાં હલકો હોય છે. દેશી કેરી ઘણા પ્રકારની હોય છે. વિસ્તાર પ્રમાણે તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.
     આજનાં વર્તમાન સમયમાં કુદરત પણ ખેડૂતોને સાથ આપતો નથી! ખરાબ હવામાનને કારણે કેરીનું ઉત્પાદન ઓછું થતું જાય છે. કેરીનાં સારા ઉત્પાદન માટે ખેડૂતોએ દવા પાછળ સારો એવો ખર્ચ કરવો પડે છે. 


ખેરગામ કેરી માર્કેટ દક્ષિણ ગુજરાતનું મહત્વનું માર્કેટ યાર્ડ ગણાય છે. આ માર્કેટમાંથી દેશના અલગ અલગ રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે.

ખેરગામ તાલુકાના આજુબાજુ વિસ્તારની વાડીઓમાં નીચેના પ્રકારની કેરીઓ જોવા મળે છે. 




                           કેસર કેરી






હાફૂસ કેરી 




લંગડો કેરી

રાજાપૂરી
તોતાપૂરી
દશેરી
પાયરી
સરદાર
નીલમ
આમ્રપાલી
બેગમપલ્લી
વનરાજ
નિલ્ફાન્સો
જમાદાર
મલ્લિકા
દાડમ 
 બદામી
દાડમીયો

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...