Skip to main content

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધ

Valsad (fanasvada) : આજે વિશ્વ 'મધદિવસ' વલસાડના યુવા મનમોહન પટેલનો મધમાખી ઉછેરનો પ્રેરણાદાયી વ્યવસાય

  Valsad (fanasvada) : આજે વિશ્વ 'મધદિવસ' વલસાડના યુવા મનમોહન પટેલનો મધમાખી ઉછેરનો પ્રેરણાદાયી વ્યવસાય


20મી મે એટલે ‘વિશ્વ મધ દિવસ'. આપણા દેશમાં એક ઔષધ તરીકે વિશેષ મહત્વ ધરાવતા મધનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે. મધનું ઉત્પાદન કરતી મધમાખીઓનું વિશ્વ અનોખું અને વિશેષતાઓથી ભરેલું છે. માનવજાત પ્રકૃતિ અને બાગાયતી ખેડૂત પેદાશ માટે મધમાખીઓ ખૂબ જ ઉપયોગી છે.

વલસાડ જિલ્લામાં મધમાખી ઉછેરવામાં અને મધનું ઉત્પાદન મેળવવાના વ્યવસાયમાં ફણસવાડા ગામના ખેડૂત સ્વર્ગીય બાબુભાઈ ખુશાલભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો છે. 

તેઓ એક પ્રગતિશીલ ખેડૂત તરીકે અને મધમાખી ઉછેરના વ્યવસાયમાં તેમણે અનોખી સિદ્ધિ તો મેળવી હતી.અને સરકાર તરફથી તેમને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા. 

હવે મધમાખી ઉછેર કેન્દ્રમાં બાબુભાઈનો વારસો દિકરા મનમોહન પટેલ સંભાળી રહ્યા છે. મધમાખી ઉછેરના તેમના કાર્યમાં તેમણે સરદાર એવોર્ડ પણ સરકારે એનાયત કર્યો છે. આજે વિશ્વ મધ દિવસ નિમિત્તે તેમણે એક  વાતચીતમા તેમણે જણાવ્યું હતું કે મધમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બને છે.

 એક મધમાખી 24.5 કિલોમીટર ની ઝડપથી ઉડે છે અને ૨૯. ૫૭૩૫ એમએલ મધમા તે દુનિયાની પ્રદક્ષિણા કરી શકે છે. વધુ મા તેમણે જણાવ્યું હતું કે સેમિનાર કરવા મુંબઈ તેમજ સમગ્ર ગુજરાતથી ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ અહીં મધમાખીનું જ્ઞાન લેવા આવે છે. એપીસ મેલી ફોરા જે ઇટાલિયન બી મધમાખી તરીકે પણ ઓળખાય છે. 

આ મધમાખીને છ પગ હોય છે અને બે જોડ પાક હોય છે અને તેમનો મુખ્ય મધમાખી જેને રાણી કહેવાય તેની જિંદગી બે થી ત્રણ વર્ષની હોય છે આ માખી 25થી 30 કિલોગ્રામ મત આપે છે જ્યારે ભારતીય ફક્ત પાંચ થી છ કિલો મધ આપે છે.

ફણસાવાડમાં મધના ઉત્પાદનના વ્યવસાયમાં મનમોહન પટેલના પિતા સ્વ. બાબુભાઈનો સિંહફાળો, મનમોહન પટેલ પાસે મધમાખી અંગે ઉડુ જ્ઞાન ધરાવે છે.

Comments

Popular posts from this blog

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત   જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી  પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો  સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ   સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહિક યોજનાનો લાભ પણ અપાવ્યો છે.

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મંત્ર