Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad (fanasvada) : આજે વિશ્વ 'મધદિવસ' વલસાડના યુવા મનમોહન પટેલનો મધમાખી ઉછેરનો પ્રેરણાદાયી વ્યવસાય

  Valsad (fanasvada) : આજે વિશ્વ 'મધદિવસ' વલસાડના યુવા મનમોહન પટેલનો મધમાખી ઉછેરનો પ્રેરણાદાયી વ્યવસાય


20મી મે એટલે ‘વિશ્વ મધ દિવસ'. આપણા દેશમાં એક ઔષધ તરીકે વિશેષ મહત્વ ધરાવતા મધનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે. મધનું ઉત્પાદન કરતી મધમાખીઓનું વિશ્વ અનોખું અને વિશેષતાઓથી ભરેલું છે. માનવજાત પ્રકૃતિ અને બાગાયતી ખેડૂત પેદાશ માટે મધમાખીઓ ખૂબ જ ઉપયોગી છે.

વલસાડ જિલ્લામાં મધમાખી ઉછેરવામાં અને મધનું ઉત્પાદન મેળવવાના વ્યવસાયમાં ફણસવાડા ગામના ખેડૂત સ્વર્ગીય બાબુભાઈ ખુશાલભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો છે. 

તેઓ એક પ્રગતિશીલ ખેડૂત તરીકે અને મધમાખી ઉછેરના વ્યવસાયમાં તેમણે અનોખી સિદ્ધિ તો મેળવી હતી.અને સરકાર તરફથી તેમને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા. 

હવે મધમાખી ઉછેર કેન્દ્રમાં બાબુભાઈનો વારસો દિકરા મનમોહન પટેલ સંભાળી રહ્યા છે. મધમાખી ઉછેરના તેમના કાર્યમાં તેમણે સરદાર એવોર્ડ પણ સરકારે એનાયત કર્યો છે. આજે વિશ્વ મધ દિવસ નિમિત્તે તેમણે એક  વાતચીતમા તેમણે જણાવ્યું હતું કે મધમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બને છે.

 એક મધમાખી 24.5 કિલોમીટર ની ઝડપથી ઉડે છે અને ૨૯. ૫૭૩૫ એમએલ મધમા તે દુનિયાની પ્રદક્ષિણા કરી શકે છે. વધુ મા તેમણે જણાવ્યું હતું કે સેમિનાર કરવા મુંબઈ તેમજ સમગ્ર ગુજરાતથી ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ અહીં મધમાખીનું જ્ઞાન લેવા આવે છે. એપીસ મેલી ફોરા જે ઇટાલિયન બી મધમાખી તરીકે પણ ઓળખાય છે. 

આ મધમાખીને છ પગ હોય છે અને બે જોડ પાક હોય છે અને તેમનો મુખ્ય મધમાખી જેને રાણી કહેવાય તેની જિંદગી બે થી ત્રણ વર્ષની હોય છે આ માખી 25થી 30 કિલોગ્રામ મત આપે છે જ્યારે ભારતીય ફક્ત પાંચ થી છ કિલો મધ આપે છે.

ફણસાવાડમાં મધના ઉત્પાદનના વ્યવસાયમાં મનમોહન પટેલના પિતા સ્વ. બાબુભાઈનો સિંહફાળો, મનમોહન પટેલ પાસે મધમાખી અંગે ઉડુ જ્ઞાન ધરાવે છે.

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024