માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ ધરમપુર ખાતેની એસ.એમ.એસ.એમ. હાઇસ્કુલ ખાતે વલસાડ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી.
વિશ્વ સિકલસેલ દિવસ" ૧૯ જુન ૨૦૨૪ની સમગ્ર દેશમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી તરફ લઇ જવાના ધ્યેય સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાનાં ધરમપુર ખાતેની એસ.એમ.એસ.એમ. હાઇસ્કુલ ખાતે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિકલસેલ રોગના દર્દીઓ માટે મેગા કેમ્પનું આયોજન કરી આશરે ૫૦૦૦ લોકોનું સિકલ સેલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
વિશ્વ સિકલસેલ દિવસ" ૧૯ જુન ૨૦૨૪ની સમગ્ર દેશમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી તરફ લઇ જવાના ધ્યેય સાથે ઉજવણી...
Posted by INFO Valsad GOV on Wednesday, June 19, 2024

Comments
Post a Comment