Skip to main content

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

 વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...

વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો

 વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો

નવસારી જિલ્લામાં ૨૧,૭૩૬ ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની મુહિમ

વર્ષ-૨૦૨૨-૨૩માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ૪૭૬૪ એકર હતો જે વધીને વર્ષ-૨૦૨૩-૨૪માં ૭૪૭૦ એકર થયો છે જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજુ કરે છે.

'પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે.'-પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશિલ ખેડૂત મુકેશભાઇ નાયક

છ વિઘા જમીનમાં છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઇ નાયકને રાજ્યપાલશ્રીના હસ્તે મળ્યુ છે બહુમાન

સંકલન-વૈશાલી પરમાર

નવસારી, તા.૨૪: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના આરંભથી તમામ જિલ્લાઓમાં રસાયણ વગરની ખેતી તરફ જાગૃત ખેડૂતો જોડાઇ રહ્યા છે. દેશી ગાયોની ઓલાદો વધી રહી છે. ખેત પેદાશોની ગુણવત્તા વધી રહી છે. ખેડૂતોને પોતાની ઉત્પાદનનું યોગ્ય વળતળ મળી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઇમેટ ચેન્જમાં પણ પ્રાકૃતિક ખેતીનો સિંહ ફાળ રહ્યો છે. આ મુહિમને આગળ વધારવામાં નવસારી જિલ્લાના ખેડૂતો પણ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. 

ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ આહવાનને ફળીભૂત કરવાના પ્રયાસરૂપ નવસારી જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,નવસારીના સહિયારા પ્રયત્નો થકી આજદિન સુધી નવસારી જિલ્લામાં કુલ-૨૧,૭૩૬ ખેડૂતો પ્રાકૃતિક ખેતીની મુહિમમાં જોડાઇ ચુક્યા છે. 

નવસારી જિલ્લાની વાત કરીએ તો, વર્ષ-૨૦૨૦-૨૧ થી શરૂ થયેલ આ પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં આજ દિન સુધી-૨૧,૭૩૬ ખેડૂતો સક્રિઉ રીતે જોડાઇ ચુક્યા છે. આ જાગૃત ખેડૂત મિત્રોના કારણે નવસારી જિલ્લામાં કુલ-૭૪૭૦ એકર જમીન ઉપર પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં વર્ષ-૨૦૨૨-૨૩માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ૪૭૬૪ એકર હતો જે એજ વર્ષમાં વધીને વર્ષ-૨૦૨૩-૨૪માં ૭૪૭૦ એકર થયો છે. જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજુ કરે છે. 

નવસારી જિલ્લા તંત્રના સરાહનિય પ્રયાસ રૂપે નવસારી જિલ્લાના તાલુકાઓમાં ગ્રામ પંચાયત દિઠ દર ૧૫ દિવસે પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમનું આયોજન મોડલ ફાર્મ જાહેર થયેલા પ્રાકૃતિક ફાર્મ ખાતે યોજવામાં આવે છે. તાલીમમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા, જીવામૃત, બીજામૃત, ઘનામૃત બનાવવાની રીત સહિત પ્રાકૃતિક ખેતી સંલગ્ન અનેક બાબતો અંગે તેઓને માહિતગાર કરવામાં આવે છે. 

બોક્ષ-1

ખેડૂત તાલીમાર્થી મોહનસિંહ ચૌહાણ-'પ્રાકૃતિક ખેતીને લગતા સેમીનાર સમયાંતરે થવા જોઇએ.

 તાજેતરમાં નવસારી તાલુકાના કુરેલ ગામમાં આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ 'પ્રાકૃતિક ખેતી તાલીમમા ભાગ અંદાજીત ૪૦ જેટલા ખેડૂતો અને ગ્રામ સેવકોએ ભાગ લીધો હતો. જેમાંથી એક ખેડૂત તાલીમાર્થી મોહનસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતી સાથે જોડાવાના વિચાર અંગે જણાવ્યું હતું કે, 'પ્રાકૃતિક ખેતીને લગતા સેમીનાર સમયાંતરે થવા જોઇએ. વૈજ્ઞાનિકો અને ખેડૂતો મારફત વિવિધ બાબતો અંગે જાણકારી મળે છે. આ પ્રકારના સેમીનારના કારણે મને પણ થયુ કે હું પણ મારૂ ફાર્મ આ પધ્ધતી મુજબ જ બનાવું.' 

બોક્ષ-2

'ખેડૂતનું કુદરતી હળ એટલે અળસિયા.'- મુકેશભાઇ નાયક

કુરેલ ગામ સ્થિત નાયક પ્રાકૃતિક ફાર્મના પ્રગતિશિલ ખેડૂત શ્રી મુકેશભાઇ નાયક પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, જેમ તંદુરસ્ત માતા હોય તો બાળક તંદુરસ્ત હોય છે તે જ પ્રમાણે ધરતી માતા તંદુરસ્ત હોય તો તેના પાક તંદુરસ્ત હશે અને એ પાક આરોગી આપણે સૌ તંદુરસ્ત બની શકીએ છે. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી થકી જમીન ફળદ્રુપ બને છે. જેના કારણે ઉત્પાદનમાં દેખીતો ફેર પડી જાય છે. જમીન બન્જર બનતી અટકે અને ખેતી ખર્ચ પણ ઘટે છે. તેમણે અળસિયાનું મહત્વ સમજાવતા 'ખેડૂતનું કુદરતી હળ એટલે અળસિયા.' એમ ઉમેર્યું હતું. અંતે રસાયણિક ખેતી કરતા ખેડૂતમિત્રોને સલાહ આપતા ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવો ત્યારે ફક્ત એક જ વર્ષ ધિરજ રાખવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે.

નાયક પ્રાકૃતિક ફાર્મ ખાતે આવેલા ખેડૂતો અને ગ્રામ સેવકોને ફાર્મની વિઝીટ કરાવી, વિવિધ બાબતો અંગે મુકેશભાઇએ માહિતગાર કર્યા હતા. જેમાં પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત, ઘનામૃત બનાવવાની રીત, આચ્છાદનનું મહત્વ, અળસિયાનું મહત્વ, આંતરપાક લેવાની રીત, કયા પાકો ખેતરમા ઉગાડવા, પક્ષીઓ અને જીવજંતુનું મહત્વ અને તેઓના જીવનચક્ર દ્વારા ખેતીને થતા ફાયદા સહિત પ્રાકૃતિક ખેતીનું માર્કેટ, તથા પાકોની ગુણવત્તા ઉપર પણ તેમણે વિગતવાર જાણકારી આપી હતી. 

છ વિઘા જમીનમાં છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઇ નાયકને રાજ્યપાલશ્રીના હસ્તે મળ્યુ છે બહુમાન

અત્રે નોંધનિય છે કે, ગુજરાતના રાજયપાલશ્રી મહામહિમ આચાર્ય દેવવ્રતજી દ્વારા દેશીગાય આધારીત પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ચલાવી રહયા છે. મુકેશભાઈ લગભગ ચાર વર્ષથી કેવિકે નવસારી અને આત્મા યોજના દ્વારા સમયાતંરે પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન મેળવીને પ્રાકૃતિક ખેતીના મુળભુત સિધ્ધાંતો જેવા કે બીજામૃત, જવામૃત/ઘનજીવામૃત વગેરે તથા મીશ્રપાક/આંતરપાક અને આચ્છાદાન, વાફસા, વનસ્પતિજન્ય દવાઓની બનાવટ વગેરે જાતેજ પોતાના ફાર્મમાં બનાવીને પોતાના ખેતીમાં ઉપયોગ કરતા હતા. પોતાના ફાર્મમાં પ્રાકૃતિક ખેતીનું જંગલ મોડલ અપનાવીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. 

જેમાં પોતાના ફાર્મની ફરતે જીવત વાડ, શરૂ/મહાગોની સહિત અન્ય વૃક્ષ વાવીને પોતાના ફાર્મમાં ૬૦૦ આંબા કલમ જેમાં આંતરપાકમાં હળદર, મગ/અડદ, લીલા પડવાશના પાક, શણ તથા શાકભાજી પાકો ટામેટા, પરવર, ટીંડોળા, ભીંડા, કેળ, નાળીયેરી વાવી સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતી છેલ્લા ચાર વર્ષથી કરી રહયા છે. અને ખુબ જ સારૂ ઉત્પાદન મેળવી રહયા છે આ જંગલ મોડલ કુરેલ ગામ તેમજ આજુબાજુના ગામનાં ખેડૂતો અને નવસારી જીલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. 

કુરેલ ગામના મુકેશભાઈ નાયક દ્વારા સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ બનાવવા બદલ ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ગત તા.૧૬.૦૬.૨૦૨૪ના રોજ ગાંધીનગર ખાતે રાજભવનમાં સન્માનપત્ર અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સમગ્ર નવસારી જિલ્લા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માંગતા ખેડૂત મિત્રો ગૌરવ વધારતી અને પ્રોત્સાહિત કરતી બાબત છે.

બોક્ષ-3

"પ્રાકૃતિક કૃષિ" દ્વારા ખેડૂતોને મળશે આટલા લાભ:

• ખેતી ખર્ચ નહિવત થશે

• જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતા સુધરશે

• પર્યાવરણ અને કુદરતી સંસાધનોની જાળવણી થશે.

• રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ખર્ચ શૂન્ય થશે..

• દેશી ગાયની સાચવણી અને સંવર્ધન થશે..

• પ્રાકૃતિક ખેતીના મુખ્ય ચાર સિધ્ધાંતો મળશે જાણવા: ૧) બીજામૃત ૨) આચ્છાદન (મલ્ચીંગ) ૩) જીવામૃત ૪) વાપસા

• નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરેના ઉપયોગ થકી ખેતી થશે જંતુમુક્ત....

• ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન, યોગ્ય કિંમત મળશે, આવક વધશે

અંતે એટલુ કહી શકાય કે, પ્રાકૃતિક ખેતીની આવી અસરકારક તાલીમોના પ્રતાપે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં હંમેશા આગળ હશે અને ગુજરાત રાજ્યના વિકાસ થકી દેશનો વિકાસ દર નવી ઉંચાઇ પ્રાપ્ત કરશે એવી આશા છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને નવસારી જિલ્લાના ખેડૂતો સાકાર કરી બતાવશે તેમાં કોઇ બેમત નથી. 

Comments

Popular posts from this blog

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત   જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી  પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો  સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ   સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહ...

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મ...

Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા.

 Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  પંચોલ આશ્રમશાળા ખાતેથી 63 કન્યાઓ અને 224 કુમારો મળી કુલ 287 છાત્રો ને NDRF ની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોને ગડત આશ્રમશાળા ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ... Posted by  Info Tapi GoG  on  Monday, September 2, 2024