Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

ડાંગના બરડીપાડા-મહાલ રોડ મોટા વાહનો માટે ૨૮ દિવસ સુધી બંધ રહશે :

 ડાંગના બરડીપાડા-મહાલ રોડ મોટા વાહનો માટે ૨૮ દિવસ સુધી બંધ રહશે :

*ડાંગના બરડીપાડા-મહાલ રોડ મોટા વાહનો માટે ૨૮ દિવસ સુધી બંધ રહશે : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૧: કાર્યપાલક...

Posted by Info Dang GoG on Friday, June 21, 2024
.

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૧:  કાર્યપાલક ઇજનેરશ્રી, રાષ્ટ્રીય ઘોરી માર્ગ વિભાગ, ભરૂચના પત્ર ક્રમાંક:નં. NHD/PB/780/2024 તા.૧૩/૦૬/૨૦૨૪ના પત્રથી ડાંગ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૯૫૩ (બરડીપાડા-મહાલ રોડ) ઉપર ૦૨ ખૂબ જ જૂના અને રબલ મેશનરી સ્લેબ ડ્રેઈન સ્ટ્રક્ચર તેમજ ૦૧ પાઈપ ડ્રેઈન આવેલ છે. 

રબલ મેશનરી સ્લેબ ડ્રેઈન સ્ટ્રક્ચર ખૂબ જ જૂના તેમજ નબળી સ્થિતિમાં હોય, આ સ્ટ્રક્ચરના સ્થાને નવા આર.સી.સી. સ્ટ્રક્ચરનું કામ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન સ્ટ્રકચરમાં વધુ નુકશાન ન થાય તે માટે નવા સ્ટ્રક્ચરનું કન્સ્ટ્રકશન કાર્ય પૂર્ણ કરવામાં આવે તે અનિવાર્ય છે. 

જેથી આ સ્ટ્રક્ચર પાસે એક સાઈડ પર ખીણ આવેલ હોય, અને ડાયવર્ઝન આપી શકાય તેમ ના હોય, બરડીપાડા-મહાલ રોડ મોટા વાહન વ્યવહાર માટે તા. ૧૮.૬.૨૦૨૪ થી ૧૫.૭.૨૦૨૪ સુધી દિન-૨૮ માટે બંધ કરવા, તેમજ જાહેરનામું પ્રસિઘ્ઘ કરવા જિલ્લા કલેક્ટર કચેરીને દરખાસ્ત મળેલ છે.

જેના અનુસંધાને ડાંગ જિલ્લા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌઘરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ પ્રમાણે બરડીપાડા-મહાલ રોડ = ૫.૦ કિ.મી રોડ તમામ વાહનોના અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. 

અહિં વૈકલ્પિક માર્ગમાં (૧) આહવા જવા માટે સોનગઢ-ઓટા-સુબીર-આહવા, (૨) મહાલ જવા માટે સોનગઢ-ઓટા-સુબીર-મહાલ રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવેલ છે. 

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ/ઉલ્લંઘન બદલ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારી/કર્મચારીશ્રીને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ છે.

આ જાહેરનામું તા.૨૦/૬/૨૦૨૪ થી તા.૧૫/૭/૨૦૨૪ના ૨૪.૦૦ સમય સુઘી અમલમાં રહેશે.

-

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024