Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

ડાંગના બરડીપાડા-મહાલ રોડ મોટા વાહનો માટે ૨૮ દિવસ સુધી બંધ રહશે :

 ડાંગના બરડીપાડા-મહાલ રોડ મોટા વાહનો માટે ૨૮ દિવસ સુધી બંધ રહશે :

*ડાંગના બરડીપાડા-મહાલ રોડ મોટા વાહનો માટે ૨૮ દિવસ સુધી બંધ રહશે : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૧: કાર્યપાલક...

Posted by Info Dang GoG on Friday, June 21, 2024
.

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૧:  કાર્યપાલક ઇજનેરશ્રી, રાષ્ટ્રીય ઘોરી માર્ગ વિભાગ, ભરૂચના પત્ર ક્રમાંક:નં. NHD/PB/780/2024 તા.૧૩/૦૬/૨૦૨૪ના પત્રથી ડાંગ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૯૫૩ (બરડીપાડા-મહાલ રોડ) ઉપર ૦૨ ખૂબ જ જૂના અને રબલ મેશનરી સ્લેબ ડ્રેઈન સ્ટ્રક્ચર તેમજ ૦૧ પાઈપ ડ્રેઈન આવેલ છે. 

રબલ મેશનરી સ્લેબ ડ્રેઈન સ્ટ્રક્ચર ખૂબ જ જૂના તેમજ નબળી સ્થિતિમાં હોય, આ સ્ટ્રક્ચરના સ્થાને નવા આર.સી.સી. સ્ટ્રક્ચરનું કામ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન સ્ટ્રકચરમાં વધુ નુકશાન ન થાય તે માટે નવા સ્ટ્રક્ચરનું કન્સ્ટ્રકશન કાર્ય પૂર્ણ કરવામાં આવે તે અનિવાર્ય છે. 

જેથી આ સ્ટ્રક્ચર પાસે એક સાઈડ પર ખીણ આવેલ હોય, અને ડાયવર્ઝન આપી શકાય તેમ ના હોય, બરડીપાડા-મહાલ રોડ મોટા વાહન વ્યવહાર માટે તા. ૧૮.૬.૨૦૨૪ થી ૧૫.૭.૨૦૨૪ સુધી દિન-૨૮ માટે બંધ કરવા, તેમજ જાહેરનામું પ્રસિઘ્ઘ કરવા જિલ્લા કલેક્ટર કચેરીને દરખાસ્ત મળેલ છે.

જેના અનુસંધાને ડાંગ જિલ્લા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌઘરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ પ્રમાણે બરડીપાડા-મહાલ રોડ = ૫.૦ કિ.મી રોડ તમામ વાહનોના અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. 

અહિં વૈકલ્પિક માર્ગમાં (૧) આહવા જવા માટે સોનગઢ-ઓટા-સુબીર-આહવા, (૨) મહાલ જવા માટે સોનગઢ-ઓટા-સુબીર-મહાલ રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવેલ છે. 

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ/ઉલ્લંઘન બદલ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારી/કર્મચારીશ્રીને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ છે.

આ જાહેરનામું તા.૨૦/૬/૨૦૨૪ થી તા.૧૫/૭/૨૦૨૪ના ૨૪.૦૦ સમય સુઘી અમલમાં રહેશે.

-

Comments

Popular posts from this blog

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો.

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો. તારીખ : 12-10-2024નાં દિને ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં પરંપરાગત દશેરા નિમિત્તે રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.             જેમાં મંદિરના દર્શનની સાથે આસપાસના વિસ્તારના હજારો લોકોએ મેળાનો લાભ લીધો હતો. જેમાં રાવણપૂતળાં દહન વલસાડ પત્રકાર વેલફેર એસોસિયેશનના પ્રમુખશ્રી હર્ષદભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.                     હર્ષદભાઈ આહીર દ્વારા  સૌપ્રથમ માતાજીની આરતીનો લાભ લઈ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.ત્યારે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થયું હતું.                  આ પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા નોરતા અને રાવણ દહન કાર્યક્રમ સુધી નવ દિવસ સુધી ખડેપગે  ફરજ બજાવનાર ખેરગામ PSI ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવા...

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024