Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Dang : ડાંગ જિલ્લો બન્યો યોગમય :

Dang : ડાંગ જિલ્લો બન્યો યોગમય :

જિલ્લાના ૭ જેટલાં આઇકોનીક સ્થળોએ યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયો :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૧: 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. 

જ્યારે જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં પણ પસંદ કરાયેલા સાત જેટલા આઇકોનિક સ્થળો ઉપર 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા. 

ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રી કમલેશ પત્રેકરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સાત આઇકોનિક સ્થળો જેવા કે સાપુતારા સનરાઇઝ પોઈન્ટ, સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આહવાના નૈસર્ગિક સ્થળ એવા સનસેટ પોઈન્ટ ખાતે, વઘઇ ખાતે અંબીકા નદી ઉપર આવેલ ગુજરાતના પ્રખ્યાત ગીરા ધોધ તેમજ બોટાનીકલ ગાર્ડન ખાતે અને સુબિરના પ્રસિધ્ધ યાત્રાધામ શબરી ધામ, મહાલ ઇકો કેમ્પ સાઇટ તેમજ ગુજરાતના સૌથી ઉંચા ગીરમાળના ગીરા ધોધ ખાતે તેમજ આહવા તાલુકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે, વઘઇ તાલુકા કક્ષાનો કૃષિ વિધ્યાલય ખાતે તેમજ સુબિર તાલુકા કક્ષાનો શબરીધામ ખાતે જિલ્લાના યોગ ટ્રેનરોના સથવારે વિદ્યાર્થીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ સ્થાનીકોની ઉપસ્થિતિમાં 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા. 

આ ઉપરાંત ડાંગ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે નાનાં ભુલકાંઓ સહિત સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનોએ યોગાભ્યાસ કર્યો હતો. 

યોગ દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતના રળીયામણાં પ્રદેશ ડાંગ જિલ્લામાં વહેલી સવારે ઊગતા સૂરજની સાક્ષિએ, 'યોગ ભગાડે રોગ' ના સુત્ર સાથે સ્થાનિકો યોગાભ્યાસમાં જોડાઇ ધન્યતા અનુભવી હતી.


ડાંગ જિલ્લો બન્યો યોગમય : - જિલ્લાના ૭ જેટલાં આઇકોનીક સ્થળોએ યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયો : - (ડાંગ માહિતી બ્યૂરો):...

Posted by Info Dang GoG on Thursday, June 20, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024