Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Dang : ડાંગ જિલ્લો બન્યો યોગમય :

Dang : ડાંગ જિલ્લો બન્યો યોગમય :

જિલ્લાના ૭ જેટલાં આઇકોનીક સ્થળોએ યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયો :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૧: 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. 

જ્યારે જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં પણ પસંદ કરાયેલા સાત જેટલા આઇકોનિક સ્થળો ઉપર 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા. 

ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રી કમલેશ પત્રેકરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સાત આઇકોનિક સ્થળો જેવા કે સાપુતારા સનરાઇઝ પોઈન્ટ, સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આહવાના નૈસર્ગિક સ્થળ એવા સનસેટ પોઈન્ટ ખાતે, વઘઇ ખાતે અંબીકા નદી ઉપર આવેલ ગુજરાતના પ્રખ્યાત ગીરા ધોધ તેમજ બોટાનીકલ ગાર્ડન ખાતે અને સુબિરના પ્રસિધ્ધ યાત્રાધામ શબરી ધામ, મહાલ ઇકો કેમ્પ સાઇટ તેમજ ગુજરાતના સૌથી ઉંચા ગીરમાળના ગીરા ધોધ ખાતે તેમજ આહવા તાલુકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે, વઘઇ તાલુકા કક્ષાનો કૃષિ વિધ્યાલય ખાતે તેમજ સુબિર તાલુકા કક્ષાનો શબરીધામ ખાતે જિલ્લાના યોગ ટ્રેનરોના સથવારે વિદ્યાર્થીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ સ્થાનીકોની ઉપસ્થિતિમાં 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા. 

આ ઉપરાંત ડાંગ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે નાનાં ભુલકાંઓ સહિત સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનોએ યોગાભ્યાસ કર્યો હતો. 

યોગ દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતના રળીયામણાં પ્રદેશ ડાંગ જિલ્લામાં વહેલી સવારે ઊગતા સૂરજની સાક્ષિએ, 'યોગ ભગાડે રોગ' ના સુત્ર સાથે સ્થાનિકો યોગાભ્યાસમાં જોડાઇ ધન્યતા અનુભવી હતી.


ડાંગ જિલ્લો બન્યો યોગમય : - જિલ્લાના ૭ જેટલાં આઇકોનીક સ્થળોએ યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયો : - (ડાંગ માહિતી બ્યૂરો):...

Posted by Info Dang GoG on Thursday, June 20, 2024

Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા...

 ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા... ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા... CMO Gujarat Mulubhai Bera #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #tourism #gujarattourism #dang #saputara #monsoon Posted by  Gujarat Information  on  Tuesday, July 16, 2024

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

 વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...