Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad (Kaprada) : કપરાડા તાલુકાની બાળકીઓને સાયકલ, સ્કૂલ બેગ, નોટબુક, સેનિટરી પેડનું વિતરણ કરાયું.

 Valsad (Kaprada) : કપરાડા તાલુકાની બાળકીઓને સાયકલ, સ્કૂલ બેગ, નોટબુક, સેનિટરી પેડનું વિતરણ કરાયું.

વલસાડ, તા. ૨૦ જૂન 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડાના ગામડાઓમાં રહેતી અને ઘરેથી શાળાનું ૭ કિમીનું અંતર રોજ પગપાળા ચાલીને જતી બાળકીઓ શિક્ષણથી વંચિત ન રહે અને ભણી ગણીને આગળ વધે તેવા ઉદેશ્ય સાથે પ્રથમ સંસ્થા દ્વારા એજ્યુકેશન સ્પોન્સરશિપ અંતર્ગત ધો. ૭ થી ૧૨ની ૨૫ બાળકીઓને સાયકલ, સ્કૂલબેગ, નોટબુક, સેનિટરી પેડ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ સહાય મળવાથી વિદ્યાર્થીનીઓના જીવનમાં ખુશી છવાઈ હતી અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. 

   આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તાલુકા શિક્ષણ અધિકારી પ્રિતીબેન, પ્રથમ (pcvc)સંસ્થાના ડિરેક્ટર કિશોર ભામરે, બી.આર. સી. સંજયભાઈ અને તાલુકા પંચાયત કચેરીના સુનિલ વસાવા હાજર રહ્યા હતા. પ્રથમ કાઉન્સિલ ફોર વલ્નરેબલ ચિલ્ડ્રન (PCVC) એ પ્રથમની બાળ અધિકારો અને સુરક્ષા પાંખ તરીકે સેવા આપે છે, જેની સ્થાપના વર્ષ ૨૦૦૦ માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય "દરેક બાળકના અધિકારો સુરક્ષિત, શાળામાં દરેક બાળક અને સારી રીતે શીખે છે." શરૂઆતમાં PCVC એ મુંબઈના શહેરી ઝૂંપડપટ્ટીના સમુદાયોમાં આઉટરીચ પ્રોગ્રામ તરીકે શરૂ કર્યું હતું, જે શાળાની બહાર અને કામ કરતા બાળકોની સુરક્ષા અને શિક્ષણ સાથે જોડવાનું અને સમુદાયોના બાળકોની જરૂરિયાતોને પ્રતિભાવ આપે છે. આજે, PCVC એ બાળ મજૂરો સાથે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થામાંથી, અધિકાર-આધારિત અને સંસાધન સંસ્થા તરીકે વિકસિત થઈ છે, જે બાળકોના સંરક્ષણ અને અધિકારોની સુરક્ષા પર કામ કરે છે.

પ્રથમ કાઉન્સીલ ફોર વલ્નરેબલ ચિલ્ડ્રન (PCVC) હાલમાં વલસાડમાં શિક્ષણ કેન્દ્રો ચલાવી રહ્યા છે અને કપરાડા ખાતે બાળ અધિકાર અને બાળ સુરક્ષા માટે કાર્યરત છે, બાળકો માટે કેન્દ્રો જેમાં બાળકોના શિક્ષણ, સુરક્ષા, અને અધિકારો તેમજ બાળકોના વિકાસ પર કામ કારવામાં આવી રહ્યું છે. તેમજ કપરાડા ખાતે પણ બાળ અધિકારો પર કામ કરી રહી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા માટે પ્રથમ સંસ્થાની ટીમ અને શિક્ષણની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

કપરાડા તાલુકાની બાળકીઓને સાયકલ, સ્કૂલ બેગ, નોટબુક, સેનિટરી પેડનું વિતરણ કરાયું વલસાડ, તા. ૨૦ જૂન વલસાડ જિલ્લાના કપરાડા...

Posted by INFO Valsad GOV on Thursday, June 20, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024