Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

 Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

 સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ.

ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત

યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને

સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નોકરી મળી છે તે સમાજનો ઋણ ચૂકવવા માટે થઈને આ ગ્રુપની રચના થઈ હતી. કોઈનોજન્મદિવસ હોય કોઈની મૃત્યુતિથિ હોય કોઈની લગ્ન વર્ષગાંઠ હોય કોઈ પરીક્ષામાં પાસ થયું હોય જેવા વગેરે સંદર્ભ એક યાદગીરી રૂપે એક સ્મૃતિ ભેટ રૂપે યથા યોગ્ય સહાય

આપવામાં માટે આગળ આવ્યા અને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપની થઈ હતી. આદિવાસી સમાજમાં ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓ કે જેઓ આર્થિક રીતે નબળા હોય પરંતુ ઉચ્ચ અભ્યાસની ધગશ હોય અને ફી ભરવાની પરિસ્થિતિ ન હોય તેઓ માટે નાની મોટી સહાય 20,000 રૂપિયાની મર્યાદામાં ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના શિક્ષક રૂપેશ પટેલ સંકલ્પ ગ્રુપ સાથે જોડાઈને જણાવી રહ્યા છે વિના સહકાર નહિ ઉદ્ધાર, આર્થિક રીતે પગભર થયેલ લોકોએઆર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની સીડી બનાવાની જરૂર છે. હવે શિક્ષકો વધુને વધુ ગ્રુપમાં જોડાઈ રહ્યા જે સારી બાબત છે.

વલસાડ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ-નવસારી જેવા આદિવાસી પટ્ટામાં અભ્યાસ કરતા બાળકોને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ સહાય પૂરી પાડે છે. સંકલ્પએજ્યુકેશન ગ્રુપ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી વોટસઅપ ગ્રુપ થકી ચાલી રહ્યો છે કે જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે સમાજ માટે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ છે. સંકલ્પ એજ્યુકેશનના નવ ગ્રુપ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે.

શું છે સંકલ્પગ્રુપનો સંકલ્પ?

■હોસ્ટેલ કે આશ્રમશાળામાં બાળકોમાં ગરીબ બાળકોની માહિતી લઈ એમને મદદ જેવી કે, નોટબુક,ઓઢવા ધાબળા ચાદર, ભણતર કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો તે કરવી. પ્રાથમિક સ્કૂલમાં બાળકીઓને સેનેટરી વસ્તુ, જેમના મા-બાપ ન હોય એમની જશે એમને મદદ જેથી આપણા સમાજમાં ભણતર ન છોડે એટલા માટે મદદ કરવી. કોઈ નું ઘર બળી જાય કે પુર નુકશાન - વગેરે તો અનાજ કીટ કે વાસણો લઈ આપી ને મદદ કરવી હોસ્પિટલમાં જો..આર્થિક રીતે નબળા હોય તો તેમને મદદ તો સાથોસાથ એકલા રહેતા વડીલ હોય એમની મદદ આર્થિક રીતે નબળા પરિવારના બાળકો ફી નહિ ભરી શક્તા હોય એમની ફી ભરવી. હાલ આ ગૃપ શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યું છે.

આ પ્રસંગે લોકોની મદદ મળે છે.

સંકલ્પ એજ્યુકેશનના વોટ્સ અપ ગ્રુપના સભ્યો જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠ હોય કે અશુભ પ્રસંગે સ્વેચ્છાએ રૂપિયા 500થી લઈને 5000 સુધી ગ્રુપને આપે છે. એ જ રૂપિયા ગરીબ બાળકો સુધી કે જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી રહ્યા છે. મક્કમ ગતિએ થયેલી શરૂઆત આવનાર દિવસોમાં સામજ સેવાનું વટવૃક્ષ બની તેમાં કોઈ બે મત નથી.

સમાજસેવાનું સારૂ આયોજન શિક્ષણ સિવાય આપણાં સમાજનો ઉદ્ધાર અધુરો છે.

આવનાર પેઢીને શિક્ષણ આપીશું તો જ આગળ વધશે નહિતર આર્થિક રીતે નબળો વર્ગ વધુ નબળો બનશે. નોકરી કરતા મિત્રો મહિને 100 રૂપિયાની જ મદદ કરશે તો પણ ઘણી બધી સમાજસેવાનું સારું આયોજન થઈ શકે એમ છે. હાલમાં આ સેવાકિય પ્રવૃતિનો મહત્તમ લાભ ગરીબ વિદ્યાર્થી લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં અન્ય સહાય માટે પણ વિચાર કરાશે. 

મીનેશ પટેલ (નવસારી મહુડી), સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ

Post credit : Divya Bhaskar,(Mehul Patel) (03-06-2024)

Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...