Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Ahwa (Dang) :ડાંગમાં જિલ્લા કક્ષાનું "વિધા સમીક્ષા કેન્દ્ર (VSK)-2.0" નો વઘઈ ખાતે પ્રારંભ કરાયો :

  Ahwa (Dang) :ડાંગમાં જિલ્લા કક્ષાનું "વિધા સમીક્ષા કેન્દ્ર (VSK)-2.0" નો વઘઈ ખાતે પ્રારંભ કરાયો :



વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે "વિધા સમીક્ષા કેન્દ્ર (VSK)-2.0" ખુલ્લુ મુકાયું :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા : તા. ૧:  ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧માં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું “વિધા સમીક્ષા કેન્દ્ર” શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાંથી રાજ્યભરની શાળાઓનું મોનિટરીંગ કરવામાં આવતું હતું. પરંતુ એક સ્થાનેથી સમગ્ર રાજ્યની શાળાઓનું મોનિટરીંગ કરવા સાથે દરેક શાળાઓને પુરતો ન્યાય આપવામાં મુશ્કેલ થતી હતી.

જે ધ્યાને લઇ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ “વિધા સમીક્ષા કેન્દ્ર” શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ ડાંગ જિલ્લાના વઘઇ સ્થિત ડાયેટ ખાતે, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલના હસ્તે જિલ્લા કક્ષાનું “વિધા સમીક્ષા કેન્દ્ર” ખુલ્લુ મુકાયું હતુ. 

આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતુ કે, વિધા સમીક્ષા કેન્દ્રથી ડાંગ જિલ્લાના વિધાર્થીઓની નિયમિતતામાં વધારો થશે. સાથે જ શૈક્ષણિક ગુણવત્તામાં પણ અભિવૃદ્ધિ થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ડાંગ જિલ્લાની તમામ શાળાઓ સાથે વિધા સમીક્ષા કેન્દ્રથી લાઈવ સંવાદ કરી શકાશે. તેમજ જિલ્લાના વિધાર્થીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકાશે.

વિધા સમીક્ષા કેન્દ્રથી વર્ગખંડનું મૂલ્યાંકન, વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ જેવી કે એકમ કસોટી (PAT), સત્રાત કસોટી (SAT) વગેરે ડેટાનુ વેરીફીકેશન અને એનાલીસીસ થશે. તેમજ વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક પરિણામોમા સુધારો, ગુણવત્તા સુધારવા અને પાયાના સ્તરની ગુણવત્તા સુધારવા માટે ઉપયોગી બનશે.

આ પ્રસંગે ડાયેટના પ્રાચાર્યશ્રી ડો. બી.એમ.રાઉતે વિધા સમીક્ષા કેન્દ્રની વિસ્તૃત માહિતી અને તેની કાર્યરીતિની સમજ આપી હતી. તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના પ્રતિનિધિ તરીકે પધારેલ શ્રી વિજયભાઈ દેશમુખે શિક્ષણની ગુણવત્તા સુધારવા વિધા સમીક્ષા કેન્દ્રની ભૂમિકાથી સૌને વાકેફ કર્યા હતા. 

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, ગુજરાત આદિજાતિ યુવા મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

*ડાંગમાં જિલ્લા કક્ષાનું "વિધા સમીક્ષા કેન્દ્ર (VSK)-2.0" નો વઘઈ ખાતે પ્રારંભ કરાયો : - *વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી...

Posted by Info Dang GoG on Monday, July 1, 2024

Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...