માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ (કલવાડા) :વલસાડના કલવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૬ જુલાઈ
વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વલસાડ તાલુકાના કલવાડા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તરણ અધિકારી, ગ્રામસેવકો અને ગામના ૩૧ ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ખેતીવાડી ખાતાના અધિકારી/કર્મચારીશ્રીઓ દ્વારા ગામના ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વલસાડના કલવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૬ જુલાઈ વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના...
Posted by INFO Valsad GOV on Saturday, July 6, 2024

Comments
Post a Comment