Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડની કોમર્સ કોલેજમાં ન્યુ સ્પોર્ટસ અંગે અધ્યાપકોનો રાજ્ય સ્તરીય સેમિનાર યોજાયો ----

 વલસાડની કોમર્સ કોલેજમાં ન્યુ સ્પોર્ટસ અંગે અધ્યાપકોનો રાજ્ય સ્તરીય સેમિનાર યોજાયો 


કોલેજમાં ભણતરની સાથે સ્પોટર્સનું પણ વિશેષ મહત્વ હોવાથી યુવાનોની જરૂરીયાતને પહોંચી વળવા ખાતરી અપાઈ 

NEP-2020 પ્રમાણે સ્પોર્ટ્સમાં બદલાતા આયામો અંગે અધ્યાપકોને જાગૃત કરવા સેમિનારનું આયોજન કરાયુ 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૩ જુલાઈ  

વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના એક્ટીવીટી હોલમાં ‘‘INTRODUCTION OF NEW GAMES AND SPORTS AWARENESS AND INFORMATION’’ વિષય ઉપર રાજ્ય સ્તરીય ફીઝીકલ એજ્યુકેશનના અધ્યાપકોના સેમિનારનું આયોજન કરાયું હતું. 

વલસાડ નૂતન કેળવણી મંડળના સેક્રેટરી કિર્તીભાઈ દેસાઈએ સેમિનારનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે, સ્પોર્ટ્સનું મહત્વ યુવાનો માટે ઘણું છે. દરેક કોલેજના પ્રાધ્યાપકોએ યુવાનોને કોઈપણ જરૂરિયાત સ્પોર્ટ્સ માટે હોય તો મંડળને જણાવવા અનુરોધ કર્યો હતો જેથી મદદ કરી શકાય.  શાહ એન. એચ. કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન.રાણાએ સ્પોર્ટ્સમાં બદલાતા આયામોને લક્ષમાં રાખી સેમિનારનું આયોજન કર્યું હોવાનું જણાવી વધુમાં NEP-2020 પ્રમાણે સ્પોર્ટ્સમાં પણ બદલાવ કરવો રહ્યો અને ભારતીય રમતોને ઓલમ્પિક સુધી લઇ જવાનો પ્રયાસમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'ખેલમહાકુંભ' યોજીને યુવાનોને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી લઇ જવા પણ સ્પોર્ટ્સની અવેરનેસ અને તે બાબતની માહિતી પર ચર્ચા કરવા સેમિનારનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. 

       


    આ સેમીનારમાં KEY NOTE SPEAKER તરીકે દિપકભાઇ પટેલે કરાટે વિશે, અમિત કલસારિયાએ ગ્રેપલિંગ વિશે, ડૉ.પ્રદીપકુમાર લેંકાએ બોક્સિંગ વિશે, પરેશ કોઠારીએ રોલ -બોલ વિશે, સંજય રાણાએ રોલર હોકી વિશે, પમીર શાહે ટેકવાન્ડો વિશે, ડૉ.ધનંજય યાદવ જુડો વિશે તથા મુકેશ પટેલ ટગ ઓફ વોર વિશે માહિતી આપી હતી. ઉદ્દઘાટન સંભારંભમાં જે.પી.શ્રોફ આર્ટસ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડૉ.સોનલબેન સરાવિયા ,શાહ કે.એમ.લો.કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડૉ.નિકિતાબેન રાવલ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સના પ્રાધ્યાપક કેપ્ટન મુકેશભાઈ પટેલે કર્યું હતું. પ્રો. હેમાંગી શાહ, ડૉ.પારસ શેઠ અને પ્રો.દિવ્યાબેન ઢીમ્મરે કાર્યક્રમને સફળતાથી પાર પાડવા પરિશ્રમ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રો.દિવ્યાબેન ઢીમ્મરે કર્યું હતું.  

-૦૦૦-

Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા...

 ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા... ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા... CMO Gujarat Mulubhai Bera #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #tourism #gujarattourism #dang #saputara #monsoon Posted by  Gujarat Information  on  Tuesday, July 16, 2024

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

 વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...