Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડની વિવિધ કોલેજોના પ્રાધ્યાપકો અને આચાર્યો માટે સ્ટોક એક્ષચેન્જ ટ્રેનિંગ પ્રોગામ સેમિનાર યોજાયો

વલસાડની વિવિધ કોલેજોના પ્રાધ્યાપકો અને આચાર્યો માટે સ્ટોક એક્ષચેન્જ ટ્રેનિંગ પ્રોગામ સેમિનાર યોજાયો સ્ટોક માર્કેટ એ દરેક રાષ્ટ્રની આર્થિક દ્રષ્ટિએ મહત્વની લાઈફલાઈન છેઃ આચાર્યશ્રી કોમર્સ કોલેજ માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૬ જુલાઈ વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર વિષયમાં રૂચિ કેળવાય અને અભ્યાસ દરમિયાન ઉપયોગી શિક્ષણ આપી શકાય તેવા શુભ આશય સાથે વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે કોલેજના પ્રોફેસરો અને આચાર્યો માટે દિલ્હી NSE (નેશનલ સ્ટોક એક્ષચેન્જ )તેમજ BSE (મુંબઈ )(બોમ્બે સ્ટોક એક્સચેન્જ ) તરફથી સ્ટોક એક્ષચેન્જ ટ્રેનિંગ પ્રોગ્રામ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડની શાહ નરોતમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે તા-૦૬/૦૭/૨૦૨૪ને શનિવારે સવારે ૧૧:૦૦ થી ૦૧:૩૦ કલાકે સ્ટોક એક્ષચેન્જ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NSE (નેશનલ સ્ટોક એક્ષચેન્જ, ન્યુ દિલ્હી) તેમજ BSE (બોમ્બે સ્ટોક એક્ષચેન્જ, મુંબઈ)ના ટ્રેનર કિશોરભાઈ જુવેકરએ હાજર રહી વિવિધ કોલેજના પ્રતિનિધિઓ પૈકી કેમ્પસમાંથી શ્રીમતી.જે.પી.શ્રોફ આર્ટસ કોલેજ, શાહ કે.એમ.લો કોલેજ, શાહ એન.એચ.કોમર્સ કોલેજ, દોલત ઉષા ઇન્સ્ટીટયુટ ઓફ અપ્લાઇડ એન્ડ ધીરુ સરલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ તેમજ બી.કે.એમ સાયન્સ કોલેજના ૫૦ જેટલા અધ્યાપક અને આચાર્યશ્રીઓને દોઢ કલાકની ટ્રેનિંગ આપી હતી. આ કાર્યક્રમનું ઉદઘાટન કરનાર આચાર્યશ્રી ડૉ.ગિરીશકુમાર એન.રાણાએ જણાવ્યું કે, સ્ટોક માર્કેટ દરેક રાષ્ટ્રની આર્થિક દ્રષ્ટિએ મહત્વની લાઈફલાઈન બની રહી છે. સ્ટોક માર્કેટ ઇન્ડીયન ઈકોનોમિમાં પણ સારું મહત્વ ધરાવે છે. કાર્યક્રમને સંકલિત કરવા માટે પ્રો.એમ.જી.પટેલ, પ્રો.એમ.એ.મુલ્લા, ડૉ. મિનાક્ષી જરીવાલા પ્રો.ચિરાગ રાણા, ડૉ.પારસ શેઠ તેમજ સર્વે અધ્યાપકશ્રીઓએ પરિશ્રમ કર્યો હતો.

વલસાડની વિવિધ કોલેજોના પ્રાધ્યાપકો અને આચાર્યો માટે સ્ટોક એક્ષચેન્જ ટ્રેનિંગ પ્રોગામ સેમિનાર યોજાયો ---- સ્ટોક માર્કેટ...

Posted by INFO Valsad GOV on Saturday, July 6, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024