Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની

 વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની

યોગસનના રમતવીરોએ જાહેર માર્ગો પર યોગના આસનોનું નિદર્શન કરી યોગનું મહત્વ સમજાવ્યું માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૮ જુલાઈ વલસાડના છીપવાડ ખાતે સ્થિત શ્રી જગન્નાથ ભગવાનની ૨૯ મી રથયાત્રામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગમય રથયાત્રાનું આયોજન થયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજી અને ખાસ ફરજ પરના અધિકારીશ્રી વેદીના માર્ગદર્શન હેઠળ વલસાડમાં યોગમય રથયાત્રાનું આયોજન ડિસ્ટ્રીક કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયા દ્વારા કરવાાં આવ્યું હતું. યોગમય રથયાત્રામાં જિલ્લાના યોગ ટ્રેનર, યોગાસનના ખેલાડી અને યોગ સાધકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રથયાત્રા દરમિયાન યોગના આસનનું નિદર્શન કર્યું હતું. ગુજરાતમાં દરેક રથયાત્રામાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગમય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં પ્રથમ વખત શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રામાં સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેની ઉપસ્થિતિમાં યોગ નિર્દેશન અને યોગની ઝાંખી બતાવવામાં આવી હતી. યોગાસન રમતવીર નિશિત કોસીયા, કાજલ ગુપ્તા, સેજલ ગુપ્તા, સુહાની નાયકા, યોગ ટ્રેનર કાંતિભાઈ ઠાકોર, હેમાક્ષીબેન બાગુલકર, હંસાબેન સોલંકી, જ્યોત્સનાબેન ઝાલા, જિમ્મીબેન ટંડેલ, પ્રિયંકાબેન શોભા, અનસૂયા પટેલ, શીતલબેન ભાનુશાલી, ધારાબેન શોભા, શાંતાદાસ, મીનાબેન તોલાણી તથા યોગ સાધકોએ ખુબ જ ઉત્સાહ અને આનંદ સાથે યોગ નિર્દશન કર્યું હતું, જેને નિહાળીને વલસાડની જનતાએ યોગમય રથયાત્રાને વધાવી સિગ્નેચર કરી શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા હતા.

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની --- યોગસનના રમતવીરોએ જાહેર માર્ગો પર યોગના આસનોનું...

Posted by INFO Valsad GOV on Monday, July 8, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024