Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી

 વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી

‘‘વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન’’નો નારો ગુંજતો કરાયો ધરમપુર અને કપરાડામાં કુલ ૧૪ પુરૂષે નસબંધીના ઓપરેશન કરાવ્યા રાજ્ય સરકાર દ્વારા વ્યકિત દીઠ રૂ. ૨ હજારની સહાય ચૂકવાશે માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૨ જુલાઈ ‘‘વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન’’ના નારા સાથે વલસાડ જિલ્લામાં તા. ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ધરમપુર અને કપરાડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ‘‘નાનુ કુટુંબ, સુખી કુટુંબ’’ની વાતો દાયકાઓથી ચાલી આવી છે અને વસ્તી વધારો અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવે છે. કુટુંબના સર્વાંગી વિકાસમાં નાના કુટુંબનો સૌથી વધુ ફાળો છે. કુટંબની આવક અને જીવન ધોરણ ઉંચુ આવે છે. કુટુંબની ઉપર બોજો ઘટે છે અને આર્થિક સધ્ધરતામાં વધારો થાય છે. યોગ્ય શિક્ષણ, યોગ્ય ઉછેર માતા અને બાળકનું તંદુરસ્તમય જીવન સહિતના અનેક ફાયદા છે. સમાજના લોકોને આ ફાયદા સમજાવી જનજાગૃતિ કેળવવા માટે વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ તાલુકાઓમાં કુટુંબ નિયોજન વિશે જાગૃતિ લાવવા અને લોકો નાનુ કુટુંબ અપનાવે અને સ્વસ્થ જીવન જીવે તે માટે જાગૃતિ અભિયાન ચલાવાયુ હતું. જે અંતર્ગત વિશ્વ વસ્તી દિવસે પુરૂષ નસબંધી ઓપરેશન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં કપરાડા તાલુકામાંથી ૯ અને ધરમપુર તાલુકામાંથી ૫ મળી કુલ ૧૪ પુરૂષે NSV (Non Scaipel Vasectomy) ઓપરેશન કરાવ્યું હતું. જેઓને કેસ દીઠ રૂ. ૨૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામિત અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. મનોજ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી પુરૂષ નસબંધી કેમ્પ તા. ૧૮ જુલાઈ ૨૦૨૪ના રોજ યોજાશે.

વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી ---- ‘‘વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક...

Posted by INFO Valsad GOV on Friday, July 12, 2024

Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા...

 ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા... ચોમાસામાં પ્રવાસ માટેનું યાદગાર સંભારણું એટલે સાપુતારા... CMO Gujarat Mulubhai Bera #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #tourism #gujarattourism #dang #saputara #monsoon Posted by  Gujarat Information  on  Tuesday, July 16, 2024

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

 વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...