Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લામાં નવી બે ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવાઈ, ચોમાસામાં કુલ ૨૬ ગાડીની ત્વરિત સેવા મળી રહેશે

 વલસાડ જિલ્લામાં નવી બે ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવાઈ, ચોમાસામાં કુલ ૨૬ ગાડીની ત્વરિત સેવા મળી રહેશે

જિલ્લા કલેકટરશ્રી અને વલસાડ, ધરમપુર અને કપરાડાના ધારાસભ્યોશ્રીના હસ્તે લીલીઝંડી અપાઈ માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૧ જુલાઈ વલસાડ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના હસ્તે બે ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લાના ૧૦૮ સેવાના અધિકારી સંજયભાઈ વાઘમારે અને નિમેષ પટેલે હાજર રહી બંને ૧૦૮ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન કેસોની સંખ્યામાં વધારો જોવા મળે છે, જેમાં ખાસ કરીને સ્નેક બાઈટ અને રોડ અકસ્માતના કેસો વધુ હોય છે. જેને ધ્યાને રાખી વલસાડ જિલ્લામાં બે નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જે પૈકી એક ૧૦૮ નં. જીજે ૧૮ જીબી ૮૪૪૦ વલસાડ ધરમપુર ચોકડી લોકેશન પર રહેશે. જે વલસાડ સિટીનો એરિયા કવર કરશે. વલસાડ જિલ્લામાં હાઇવે ઉપર બ્લેક સ્પોટ અને હાઈવે ઉપર થતા અકસ્માતોને ધ્યાને રાખી આ લોકેશન નક્કી કરાયું છે. બીજી ૧૦૮ નં. જીજે ૧૮ જીબી ૨૮૭૨ને ધરમપુર તાલુકાના જામલીયા પીએચસી ખાતે લોકેશન આપવામાં આવ્યુ છે. જે ધરમપુરના ગામો કવર કરશે. બ્લેક સ્પોટ અને હાઈવે ઉપર થતા અકસ્માતો સમયે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલસની સેવા મળી રહે અને લોકોના જીવ બચી શકે તે માટે વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કુલ ચોવીસ ૧૦૮ એમ્બ્યુલન્સ હતી જેમાં હવે બે નવી એમ્બ્યુલન્સનો ઉમેરો કરાતા હવે જિલ્લામાં કુલ છવ્વીસ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ત્વરિત સેવા આપવામાં આવશે.

વલસાડ જિલ્લામાં નવી બે ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવાઈ, ચોમાસામાં કુલ ૨૬ ગાડીની ત્વરિત સેવા મળી રહેશે --- જિલ્લા કલેકટરશ્રી અને...

Posted by INFO Valsad GOV on Thursday, July 11, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024