Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

ધરમપુર:ધરમપુર તાલુકાના સાતવાકલ ગામના ૬૫ વર્ષીય આદિવાસી ખેડૂત કાશીનાથભાઈ ઝુલીયાભાઈ માહલા વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન

ધરમપુર:ધરમપુર તાલુકાના સાતવાકલ ગામના ૬૫ વર્ષીય આદિવાસી ખેડૂત કાશીનાથભાઈ ઝુલીયાભાઈ માહલા વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર થાય તેમ જ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે નિરંતર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના થકી ખેડૂતોને સાચી દિશા મળી છે. આ જ દિશામાં આગળ વધતાં ધરમપુર તાલુકાના સાતવાકલ ગામના ૬૫ વર્ષીય આદિવાસી ખેડૂત કાશીનાથભાઈ ઝુલીયાભાઈ માહલા વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ ઘરની ખેતીની સાથે સાથે પરિવારનું ભરણપોષણ કરવા મજૂરી કામ કરે છે. પરંતુ પ્રાકૃતિક ખેતી દ્વારા આજે પરિવાર ચલાવવું વધુ સરળ અને પરિવાર માટે સ્વાસ્થ્યદાયી બન્યું છે. કાશીનાથભાઈએ પર્યાવરણ અને સ્વાસ્થયને નુકશાન ન થાય તે હેતુથી તેમના ખેતરોમાં કોઇ પણ પાકમાં આજ સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો નથી. માત્ર ગાય આધારિત ખેતી કરી પ્રકૃતિની સાચવણી કરી રહ્યા છે. તેમજ સરકારશ્રીની સોલાર પેનલ યોજના દ્વારા સોલાર એનર્જીથી પાણીની મોટર ચલાવી સંપૂર્ણ સોલાર આધારિત ખેતી દ્વારા દરેક પાકોનું સફળતા પૂર્વક ઉત્પાદન કરી સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છે. કાશીનાથભાઈ જણાવે છે કે, વર્ષ દરમિયાન તુવેર, અડદ, ડાંગર, નાગલીની તેમજ આશરે ૧૫૦ આંબાની આંબાવાડીની ખેતી કરે છે. આ દરેક પાકોમાં પોતાની ચાર દેશી ગાય દ્વારા મળતા છાણિયા ખાતર દ્વારા જ ખેતી કરી રહ્યો છું. પાકોમાં જંતુજન્ય રોગોને અટકાવવા ગાય આધરિત જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરૂ છું. અમુક પાકોમાં ગાયના છાણનો રગડો કરી ખાતર તરીકે ઉપયોગ કરૂ છું. દરેક પાકોમાં આજ સુધી કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો નથી. આંબાવાડીઓમાં પણ પ્રાકૃતિક પદાર્થો સિવાય કોઈપણ પેસ્ટિસાઈડનો ઉપયોગ કર્યો નથી. ઓછું ભણેલો હોવા છતાં પણ એટલો ખ્યાલ છે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. પ્રાકૃતિક ખેતી દ્વારા જ આ બંનેની સાચવણી થઈ શકે એમ છે. તેથી જ પ્રાકૃતિક ખેતી અંગે થોડો ઘણો ખ્યાલ હોવા છતાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી તાલીમ લઈને વધુ સારી રીતે પ્રાકૃતિક ખેતી કરી સફળતાપૂર્વક ઉત્પાદનો મેળવી રહ્યો છું. વધુમાં કાશીનાથભાઈએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ અસરકારક બનાવવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગરીબ ખેડૂતોને સબસીડી તેમજ સાધન સહાય પણ મળી રહી છે જેથી આદિવાસી વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. સરકારશ્રીની સોલાર પેનલ યોજના હેઠળ સોલાર પેનલની સ્થાપના કરી છે. જેના દ્વારા સોલાર ઉર્જાથી પાણીની મોટર ચલાવું છું અને આજે પાણીની તકલીફ વિના સંપૂર્ણ સોલાર આધારિત ખેતી કરી પ્રાકૃતિક ખેત ઉત્પાદનો મેળવી રહ્યો છું. ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મળે છે તેમજ ખેત પેદાશોની ગુણવત્તા પણ ખુબ જ સારી રહે છે. વર્મીકમ્પોસ્ટનો પણ ઉપયોગ કરૂ છું કારણ કે અળસિયા જમીનની ગુણવત્તા સુધારવામાં અને ફળદ્રુપતા વધારવામાં સૌથી વધુ ઉપયોગી છે

વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર થાય તેમ જ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે...

Posted by INFO Valsad GOV on Friday, July 5, 2024

Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...