Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ:ઉમરગામ તાલુકાના સરોંડા ગામના ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તમામ ખેતી કરી પ્રકૃતિ અને સ્વાસ્થયનું રક્ષણ કરી રહ્યા છે.

 વલસાડ:ઉમરગામ તાલુકાના સરોંડા ગામના ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તમામ ખેતી કરી પ્રકૃતિ અને સ્વાસ્થયનું રક્ષણ કરી રહ્યા છે.

પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોંડા ગામના ખેડૂત પ્રકાશભાઈ અમૃતલાલ પટેલ વર્ષો પહેલાથી જ આ પહેલમાં જોડાઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૧૬થી જ તેઓ પ્રાકૃતિક ખેતીમાં રસ જાગ્યો હતો અને તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા અને આજે તેઓ માત્ર ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તમામ ખેતી કરી પ્રકૃતિ અને સ્વાસ્થયનું રક્ષણ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરી સારી આવક તો મેળવી જ રહ્યા છે સાથે સાથે લોકોને સ્વાસ્થ્યદાયી ખોરાક પણ પ્રદાન કરી રહ્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધશે તેમજ ઉત્પાદન પણ મળશે એમ જણાવતા પ્રકાશભાઈ કહે છે કે, વર્ષ ૨૦૧૬માં સુભાષ પાલેકર પાસેથી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં રસ જાગ્યો અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – અંભેટી તરફથી પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થિત તાલીમ લઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. આજે મારી પાસે ત્રણ દેશી ગાયો છે જેના નિભાવ ખર્ચ માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ સરકારશ્રી દ્વારા દર મહિને રૂ.૯૦૦/-ની સહાય મળે છે. ગાયોના છાણ દ્વારા જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃત બનાવું છું. રાસાયણિક જંતુનાશક દવાઓના સ્થાને અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવી તેનો છંટકાવ કરૂ છું. ગાયના દૂધની ખાટી છાશમાંથી ફંગીસાઈડ મટિરીયલનો છંટકાવ કરી ફૂગનાશક તરીકે ઉપયોગ કરૂ છું. ખેત ઉત્પાદનો અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, આંબાવાડીઓમાં કોઈ જંતુનાશાક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. માત્ર જીવામૃત – ઘનજીવામૃતના ઉપયોગથી જ સરસ કેરીઓ થાય છે. શાકભાજી મિશ્ર પાક પદ્ધતિથી કરે છે. જેમકે, શિયાળામાં કોબીજની ખેતીમાં પાળા ઉપર મેથી, ધાણા, પાલક અને મૂળા જેવા પાકનું ઉત્પાદન કરે છે. ઉનાળું પાકોમાં ચોળી, ભીંડા, ગુવાર, દૂધી તેમજ ગલકાની ખેતી કરે છે. હાલમાં ભીંડાનું ઉત્પાદન ચાલે છે. ચોમાસામાં ડાંગરની ખેતી માટે ધરૂ ઉગાડ્યું છે જેની SRI પદ્ધતિથી ઉત્પાદન કરશે. તેઓ ખેડૂતોને અપીલ કરતા કહે છે કે, રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરવાથી શરૂઆતના એક કે બે વર્ષ સુધી થોડી તકલીફ પડશે. ઉત્પાદન પણ ઓછું પણ આવી શકે છે. પરંતુ, પ્રાકૃતિક ખેતીથી જમીન એટલી સરસ થઈ જશે, જમીનની ગુણવત્તા પણ સુધરી જશે અને ફળદ્રુપતા પણ વધી જશે. પાકોનું ઉત્પાદન પણ સારૂ આવશે તેમજ ખાવા માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક પણ મળશે. ગાયોની મહત્તા સમજાવતા કહ્યું કે, ગાયો દૂધ ન પણ આપતી હોય તેમ છતાં પણ ગૌમૂત્ર અને છાણના ઉપયોગથી સારામાં સારી ખેતી શક્ય છે. કોઈ પણ બીજા ખાતરના ઉપયોગની જરૂર રહેતી નથી. જીવામૃત અને ઘનજીવામૃતમાં દરેક ઉપયોગી તત્વો રહેલા છે જેના દ્વારા ફળદ્રુપ ખેતી શક્ય છે.

પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યએ પ્રાકૃતિક...

Posted by INFO Valsad GOV on Wednesday, July 10, 2024

Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...