Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ:ઉમરગામ તાલુકાના સરોંડા ગામના ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તમામ ખેતી કરી પ્રકૃતિ અને સ્વાસ્થયનું રક્ષણ કરી રહ્યા છે.

 વલસાડ:ઉમરગામ તાલુકાના સરોંડા ગામના ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તમામ ખેતી કરી પ્રકૃતિ અને સ્વાસ્થયનું રક્ષણ કરી રહ્યા છે.

પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોંડા ગામના ખેડૂત પ્રકાશભાઈ અમૃતલાલ પટેલ વર્ષો પહેલાથી જ આ પહેલમાં જોડાઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૧૬થી જ તેઓ પ્રાકૃતિક ખેતીમાં રસ જાગ્યો હતો અને તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા અને આજે તેઓ માત્ર ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી તમામ ખેતી કરી પ્રકૃતિ અને સ્વાસ્થયનું રક્ષણ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરી સારી આવક તો મેળવી જ રહ્યા છે સાથે સાથે લોકોને સ્વાસ્થ્યદાયી ખોરાક પણ પ્રદાન કરી રહ્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધશે તેમજ ઉત્પાદન પણ મળશે એમ જણાવતા પ્રકાશભાઈ કહે છે કે, વર્ષ ૨૦૧૬માં સુભાષ પાલેકર પાસેથી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં રસ જાગ્યો અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – અંભેટી તરફથી પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થિત તાલીમ લઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. આજે મારી પાસે ત્રણ દેશી ગાયો છે જેના નિભાવ ખર્ચ માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ સરકારશ્રી દ્વારા દર મહિને રૂ.૯૦૦/-ની સહાય મળે છે. ગાયોના છાણ દ્વારા જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃત બનાવું છું. રાસાયણિક જંતુનાશક દવાઓના સ્થાને અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવી તેનો છંટકાવ કરૂ છું. ગાયના દૂધની ખાટી છાશમાંથી ફંગીસાઈડ મટિરીયલનો છંટકાવ કરી ફૂગનાશક તરીકે ઉપયોગ કરૂ છું. ખેત ઉત્પાદનો અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, આંબાવાડીઓમાં કોઈ જંતુનાશાક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. માત્ર જીવામૃત – ઘનજીવામૃતના ઉપયોગથી જ સરસ કેરીઓ થાય છે. શાકભાજી મિશ્ર પાક પદ્ધતિથી કરે છે. જેમકે, શિયાળામાં કોબીજની ખેતીમાં પાળા ઉપર મેથી, ધાણા, પાલક અને મૂળા જેવા પાકનું ઉત્પાદન કરે છે. ઉનાળું પાકોમાં ચોળી, ભીંડા, ગુવાર, દૂધી તેમજ ગલકાની ખેતી કરે છે. હાલમાં ભીંડાનું ઉત્પાદન ચાલે છે. ચોમાસામાં ડાંગરની ખેતી માટે ધરૂ ઉગાડ્યું છે જેની SRI પદ્ધતિથી ઉત્પાદન કરશે. તેઓ ખેડૂતોને અપીલ કરતા કહે છે કે, રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરવાથી શરૂઆતના એક કે બે વર્ષ સુધી થોડી તકલીફ પડશે. ઉત્પાદન પણ ઓછું પણ આવી શકે છે. પરંતુ, પ્રાકૃતિક ખેતીથી જમીન એટલી સરસ થઈ જશે, જમીનની ગુણવત્તા પણ સુધરી જશે અને ફળદ્રુપતા પણ વધી જશે. પાકોનું ઉત્પાદન પણ સારૂ આવશે તેમજ ખાવા માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક પણ મળશે. ગાયોની મહત્તા સમજાવતા કહ્યું કે, ગાયો દૂધ ન પણ આપતી હોય તેમ છતાં પણ ગૌમૂત્ર અને છાણના ઉપયોગથી સારામાં સારી ખેતી શક્ય છે. કોઈ પણ બીજા ખાતરના ઉપયોગની જરૂર રહેતી નથી. જીવામૃત અને ઘનજીવામૃતમાં દરેક ઉપયોગી તત્વો રહેલા છે જેના દ્વારા ફળદ્રુપ ખેતી શક્ય છે.

પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યએ પ્રાકૃતિક...

Posted by INFO Valsad GOV on Wednesday, July 10, 2024

Comments

Popular posts from this blog

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મ...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...