માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કાંકરિયા લેક ખાતે સ્કેટિંગ, બોક્સિંગ અને રસ્સા ખેંચનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું...
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારના રમતગમત વિભાગ અને અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કાંકરિયા લેક ખાતે સ્કેટિંગ, બોક્સિંગ અને રસ્સા ખેંચનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું...
ઉભરતા ખેલાડીઓના ઉત્સાહવર્ધન સાથે રમતગમત પ્રત્યે નાગરિકોની સહભાગિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ...
#CHEER4BHARAT પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારના રમતગમત વિભાગ અને અમદાવાદમાં...
Posted by Gujarat Information on Monday, July 29, 2024
Comments
Post a Comment