Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લામાં લેપ્રસી દર્દી શોધ અભિયાન કાર્યક્રમ પૂર્ણ, રક્તપિત્તના નવા ૨૧૪ દર્દી શોધી કઢાયા

‘‘ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઈતિહાસ બનાવીએ’’ વલસાડ જિલ્લામાં લેપ્રસી દર્દી શોધ અભિયાન કાર્યક્રમ પૂર્ણ, રક્તપિત્તના નવા ૨૧૪ દર્દી શોધી કઢાયા
૧૧૪ ચેપી અને ૧૦૦ બિન ચેપી દર્દીઓ પૈકી ૭ બાળ દર્દી પણ મળી આવ્યા, તમામની સારવાર શરૂ કરી દેવાઈ આશા વર્કર અને એક પુરૂષ વોલન્ટીયર મળી કુલ ૧૭૩૦ જેટલી ટીમો દ્વારા ઘરે ઘરે તપાસ કરવામાં આવી ઝુંબેશ દરમિયાન જિલ્લામાંથી રકતપિતના કુલ ૧૦૯૫ શંકાસ્પદ દર્દી મળી આવ્યા હતા સૌથી વધુ ૩૨ ચેપી દર્દી કપરાડામાંથી અને સૌથી વધુ ૩૭ બિનચેપી દર્દી ધરમપુરમાંથી મળી આવ્યા સંકલનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ જુલાઈ સમાજમાંથી રક્તપિત નાબૂદ કરવાના હકારાત્મક અભિગમ સાથે વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા કુટુંબ અને દેશને રક્તપિત્તથી મુકત કરવાની દિશામાં સતત ૨૩ દિવસ સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન (રક્તપિત દર્દી શોધ અભિયાન) હાથ ધરાયું હતું. જે અંતર્ગત જિલ્લાની પ્રજાના આરોગ્ય માટે સતત કટિબદ્ધ એવા આરોગ્ય ખાતાની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં ઘરે-ઘર જઇ લોકોની તપાસ કરતા રક્તપિત્તના કુલ ૧૦૯૫ શંકાસ્પદ દર્દી મળી આવ્યા હતા.જેમાંથી રક્તપિતના નવા ૨૧૪ દર્દીને શોધી કાઢી તમામની વિનામૂલ્યે સારવાર શરૂ કરી દેવાઈ છે. ‘‘ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઈતિહાસ બનાવીએ’’ ના નારા સાથે વલસાડ જિલ્લામાં તા. ૧૦ જુન ૨૦૨૪ થી તા. ૨ જલાઇ ૨૦૨૪ સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશા વર્કર અને એક પુરૂષ વોલન્ટીયર મળી કુલ ૧૭૩૦ જેટલી ટીમો બનાવવામાં આવી હતી. તેમના દ્વારા ઘરે ઘરે સર્વે કરી રક્તપિતના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન જિલ્લામાંથી શંકાસ્પદ રક્તપિતના ૧૦૯૫ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાંથી રક્તપિતના નવા કુલ ૨૧૪ દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં ૧૧૪ દર્દીઓ ચેપી રક્તપિતના અને ૧૦૦ દર્દીઓ બિનચેપી રક્તપિતના મળી આવ્યા હતા. જ્યારે બાળ દર્દીઓની વાત કરીએ તો, કુલ ૨૧૪માંથી ૪ બિનચેપી અને ૩ ચેપી રક્તપિતના કુલ ૭ બાળ દર્દી મળતા આ તમામની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ ૩૨ ચેપી દર્દી કપરાડામાંથી અને સૌથી વધુ ૩૭ બિનચેપી દર્દી ધરમપુરમાંથી મળી આવ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૮ ચેપી દર્દી વલસાડ તાલુકામાંથી અને સૌથી ઓછા માત્ર ૩ બિનચેપી દર્દી પારડી તાલુકામાંથી મળી આવ્યા હતા. જેના પરથી જણાઈ છે કે, હવે વલસાડ જિલ્લા રક્તપિત નાબૂદીના પંથે આગળ જઈ રહ્યો છે. બોક્ષ મેટર પરંપરાગત ભવાઈના કાર્યક્રમથી લોકોમાં વધુ જનજાગૃતિ કેળવાઈઃ ડો. સંજય કુમાર જિલ્લા રક્તપિત કચેરીના ડિસ્ટ્રિકટ ન્યૂકિલયસ મેડિકલ ઓફિસર ડો. સંજય કુમારે જણાવ્યું કે, લેપ્રસી ડિટેકશન કેમ્પેઈનની કામગીરીનો શુભારંભ ગામનાં સરપંચશ્રી તેમજ અન્ય આગેવાનો દ્વારા કરવામાં આવતા સમગ્ર અભિયાન દરમ્યાન લોકોનો ખૂબ સાથ સહકાર મળતા આ સારી કામગીરી થઈ શકી છે. આ સિવાય જાહેર સ્થળો એસટી ડેપો તેમજ હટવાડામાં જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય ત્યાં જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રીની કચેરી દ્વારા પરંપરાગત ભવાઈના કાર્યક્રમ દ્વારા સ્થાનિક ભાષામાં જનજાગૃતિ કેળવવામાં આવી હતી. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. બોક્સ મેટર આ રોગ નિયમિત સારવારથી સંપૂર્ણપણે મટી શકે છેઃ જિલ્લા રક્તપિત અધિકારી જિલ્લા રક્તપિત અધિકારી ડો.જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું કે, રક્તપિત જંતુજન્ય રોગ છે. જેનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે કરવામાં આવે છે. જિલ્લામાં હાલ રક્તપિત્તના નવા ૨૧૪ દર્દી શોધવામાં સફળતા મળી છે. જેમની સારવાર શરૂ કરી દેવાઈ છે. આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે પરંતુ નિયમિત સારવાર લેવી પડે છે. ચેપી રક્તપિતમાં ૧૨ માસ એટલે એક વર્ષ અને બિનચેપી રક્તપિતમાં ૬ માસની સારવારની જરૂર છે. બોક્ષ મેટર જિલ્લામાં તાલુકાવાર રક્તપિત્તના દર્દીઓની સંખ્યા તાલુકો શંકાસ્પદ કેસ ચેપી દર્દી બિનચેપી દર્દી ઉમરગામ ૧૧૮ ૨૬ ૧૧ ધરમપુર ૨૫૯ ૨૨ ૩૭ કપરાડા ૨૩૯ ૩૨ ૨૮ વલસાડ ૨૦૧ ૮ ૧૦ પારડી ૧૫૩ ૧૩ ૩ વાપી ૧૨૫ ૧૩ ૧૧ કુલ ૧૦૯૫ ૧૧૪ ૧૦૦

‘‘ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઈતિહાસ બનાવીએ’’ ---- વલસાડ જિલ્લામાં લેપ્રસી દર્દી શોધ અભિયાન કાર્યક્રમ...

Posted by INFO Valsad GOV on Tuesday, July 16, 2024

Comments

Popular posts from this blog

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મ...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...