Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લામાં લેપ્રસી દર્દી શોધ અભિયાન કાર્યક્રમ પૂર્ણ, રક્તપિત્તના નવા ૨૧૪ દર્દી શોધી કઢાયા

‘‘ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઈતિહાસ બનાવીએ’’ વલસાડ જિલ્લામાં લેપ્રસી દર્દી શોધ અભિયાન કાર્યક્રમ પૂર્ણ, રક્તપિત્તના નવા ૨૧૪ દર્દી શોધી કઢાયા
૧૧૪ ચેપી અને ૧૦૦ બિન ચેપી દર્દીઓ પૈકી ૭ બાળ દર્દી પણ મળી આવ્યા, તમામની સારવાર શરૂ કરી દેવાઈ આશા વર્કર અને એક પુરૂષ વોલન્ટીયર મળી કુલ ૧૭૩૦ જેટલી ટીમો દ્વારા ઘરે ઘરે તપાસ કરવામાં આવી ઝુંબેશ દરમિયાન જિલ્લામાંથી રકતપિતના કુલ ૧૦૯૫ શંકાસ્પદ દર્દી મળી આવ્યા હતા સૌથી વધુ ૩૨ ચેપી દર્દી કપરાડામાંથી અને સૌથી વધુ ૩૭ બિનચેપી દર્દી ધરમપુરમાંથી મળી આવ્યા સંકલનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ જુલાઈ સમાજમાંથી રક્તપિત નાબૂદ કરવાના હકારાત્મક અભિગમ સાથે વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા કુટુંબ અને દેશને રક્તપિત્તથી મુકત કરવાની દિશામાં સતત ૨૩ દિવસ સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન (રક્તપિત દર્દી શોધ અભિયાન) હાથ ધરાયું હતું. જે અંતર્ગત જિલ્લાની પ્રજાના આરોગ્ય માટે સતત કટિબદ્ધ એવા આરોગ્ય ખાતાની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં ઘરે-ઘર જઇ લોકોની તપાસ કરતા રક્તપિત્તના કુલ ૧૦૯૫ શંકાસ્પદ દર્દી મળી આવ્યા હતા.જેમાંથી રક્તપિતના નવા ૨૧૪ દર્દીને શોધી કાઢી તમામની વિનામૂલ્યે સારવાર શરૂ કરી દેવાઈ છે. ‘‘ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઈતિહાસ બનાવીએ’’ ના નારા સાથે વલસાડ જિલ્લામાં તા. ૧૦ જુન ૨૦૨૪ થી તા. ૨ જલાઇ ૨૦૨૪ સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશા વર્કર અને એક પુરૂષ વોલન્ટીયર મળી કુલ ૧૭૩૦ જેટલી ટીમો બનાવવામાં આવી હતી. તેમના દ્વારા ઘરે ઘરે સર્વે કરી રક્તપિતના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન જિલ્લામાંથી શંકાસ્પદ રક્તપિતના ૧૦૯૫ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાંથી રક્તપિતના નવા કુલ ૨૧૪ દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં ૧૧૪ દર્દીઓ ચેપી રક્તપિતના અને ૧૦૦ દર્દીઓ બિનચેપી રક્તપિતના મળી આવ્યા હતા. જ્યારે બાળ દર્દીઓની વાત કરીએ તો, કુલ ૨૧૪માંથી ૪ બિનચેપી અને ૩ ચેપી રક્તપિતના કુલ ૭ બાળ દર્દી મળતા આ તમામની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ ૩૨ ચેપી દર્દી કપરાડામાંથી અને સૌથી વધુ ૩૭ બિનચેપી દર્દી ધરમપુરમાંથી મળી આવ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૮ ચેપી દર્દી વલસાડ તાલુકામાંથી અને સૌથી ઓછા માત્ર ૩ બિનચેપી દર્દી પારડી તાલુકામાંથી મળી આવ્યા હતા. જેના પરથી જણાઈ છે કે, હવે વલસાડ જિલ્લા રક્તપિત નાબૂદીના પંથે આગળ જઈ રહ્યો છે. બોક્ષ મેટર પરંપરાગત ભવાઈના કાર્યક્રમથી લોકોમાં વધુ જનજાગૃતિ કેળવાઈઃ ડો. સંજય કુમાર જિલ્લા રક્તપિત કચેરીના ડિસ્ટ્રિકટ ન્યૂકિલયસ મેડિકલ ઓફિસર ડો. સંજય કુમારે જણાવ્યું કે, લેપ્રસી ડિટેકશન કેમ્પેઈનની કામગીરીનો શુભારંભ ગામનાં સરપંચશ્રી તેમજ અન્ય આગેવાનો દ્વારા કરવામાં આવતા સમગ્ર અભિયાન દરમ્યાન લોકોનો ખૂબ સાથ સહકાર મળતા આ સારી કામગીરી થઈ શકી છે. આ સિવાય જાહેર સ્થળો એસટી ડેપો તેમજ હટવાડામાં જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય ત્યાં જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રીની કચેરી દ્વારા પરંપરાગત ભવાઈના કાર્યક્રમ દ્વારા સ્થાનિક ભાષામાં જનજાગૃતિ કેળવવામાં આવી હતી. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. બોક્સ મેટર આ રોગ નિયમિત સારવારથી સંપૂર્ણપણે મટી શકે છેઃ જિલ્લા રક્તપિત અધિકારી જિલ્લા રક્તપિત અધિકારી ડો.જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું કે, રક્તપિત જંતુજન્ય રોગ છે. જેનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે કરવામાં આવે છે. જિલ્લામાં હાલ રક્તપિત્તના નવા ૨૧૪ દર્દી શોધવામાં સફળતા મળી છે. જેમની સારવાર શરૂ કરી દેવાઈ છે. આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે પરંતુ નિયમિત સારવાર લેવી પડે છે. ચેપી રક્તપિતમાં ૧૨ માસ એટલે એક વર્ષ અને બિનચેપી રક્તપિતમાં ૬ માસની સારવારની જરૂર છે. બોક્ષ મેટર જિલ્લામાં તાલુકાવાર રક્તપિત્તના દર્દીઓની સંખ્યા તાલુકો શંકાસ્પદ કેસ ચેપી દર્દી બિનચેપી દર્દી ઉમરગામ ૧૧૮ ૨૬ ૧૧ ધરમપુર ૨૫૯ ૨૨ ૩૭ કપરાડા ૨૩૯ ૩૨ ૨૮ વલસાડ ૨૦૧ ૮ ૧૦ પારડી ૧૫૩ ૧૩ ૩ વાપી ૧૨૫ ૧૩ ૧૧ કુલ ૧૦૯૫ ૧૧૪ ૧૦૦

‘‘ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઈતિહાસ બનાવીએ’’ ---- વલસાડ જિલ્લામાં લેપ્રસી દર્દી શોધ અભિયાન કાર્યક્રમ...

Posted by INFO Valsad GOV on Tuesday, July 16, 2024

Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...