Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ

 વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ 



વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ 

વૃક્ષોના નિકંદનથી થતી ભયાવહ અસરો ‘‘હું વલસાડ છું’’ ભવ્ય નાટિકા દ્વારા રજૂ કરાતા સૌ દંગ રહી ગયા 

સૌ એ દીપ પ્રગટાવી વૃક્ષ ઉછેરના સંકલ્પ લીધા, વૃક્ષના ઉછેર માટે યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરાયું 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯ જુલાઈ 

ચાલુ વર્ષે ઉનાળામાં પડેલી અસહ્ય ગરમી સામે વધુમાં વધુ વૃક્ષો રોપી તેનો ઉછેર કરવામાં આવે એવા શુભ આશય સાથે વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા ‘‘ગ્રીન વલસાડ’’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ૪૦૦૦ વૃક્ષો રોપવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે, સમગ્ર વલસાડ માટે ઉપયોગી એવા આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ‘‘હું વલસાડ છુ’’ ભવ્ય નાટિકા નવરંગ ગૃપ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે નાટિકાએ ઉપસ્થિત તમામ લોકોને વૃક્ષના મહત્વ અંગે વિચારતા કરી દીધા હતા. 

આ પ્રંસગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા બાદ સોલાર પોલિસી દાખલ કરી હતી. સોલાર એ ઉર્જા ઉત્પન્ન કરવાનું મુખ્ય સાધન છે. આ સિવાય ક્લાઈમેટ ચેન્જને કંટ્રોલ કરવા માટે એક અલગ વિભાગ ઉભો કર્યો છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો કરવાનો છે. સોલાર અને પવન ઉર્જામાં ગુજરાત ૨૨૦૦૦ મેગા વોટ સાથે દેશમાં પ્રથમ નંબરે છે. વૃક્ષોને કારણે જ આપણા જિલ્લામાં વધુ વરસાદ પડે છે. ઔદ્યોગિક એકમોમાં ખાસ કરીને વાપી જીઆઇડીસીમાં સૌથી વધુ વૃક્ષારોપણ થયું છે. ઉમિયા સોશિયલ ટ્રસ્ટ ૪૦૦૦ વૃક્ષ રોપી રહ્યું છે તેમાં દર વર્ષે વધારો થતો રહેશે એવી આશા રાખુ છું. 

ભારત સરકારના ખાદી કમિશનના ડિરેક્ટરશ્રી લલિતભાઈ ગુગલિયાએ જણાવ્યું કે, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ એ સેવાનું મંદિર છે તેમની સેવા બિરદાવવા લાયક છે. કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં ૨૩૭ મૃતદેહ ઉઠાવવા કોઈ તૈયાર ન હતું. તે સમયે ઉમિયા સોશિયલ ટ્રસ્ટે કામગીરી ઉપાડી માનવતાની મહેક પ્રસરાવી હતી. દુનિયાના અનેક દેશોની સફર કરી ત્યારે જ્યાં પણ ગયો ત્યાં ખાદીને આવકાર મળ્યો છે. હાલ ૧૧૨ દેશોમાં ખાદી ઇન્ડિયાનો લોગો રજીસ્ટર કરવાની પ્રોસેસ ચાલુ છે. ૫૬ દેશોમાં ખાદીનો લોગો રજીસ્ટર થઈ ચૂક્યો છે. વડાપ્રધાનશ્રીએ ‘‘મન કી બાત’’ માં જણાવ્યું કે, દેશમાં ખાદીએ રૂ. ૧ લાખ ૫૨ હજાર કરોડનું ટર્ન ઓવર કર્યુ છે જે આવનારા પાંચ વર્ષમાં ૨ લાખ ૨૫ હજાર કરોડ ટર્ન ઓવર કરી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરશે. 

વલસાડના નવરંગ ગૃપના ડિરેકટરશ્રી શૈલેષભાઈ જૈને જણાવ્યું કે, ગ્રીન વલસાડનું સપનું ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈએ જોયું છે, આ પ્રોજેક્ટ આપણા બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે છે. આપણે બધા સંકલ્પ લઈશુ તો ભાવિ પેઢી માટે આ ક્રાંતિ રંગ લાવશે. રાજસ્થાનમાં પાણીની તંગીની જે સ્થિતિ છે તેવી હાલત આપણા વલસાડમાં ન થાય તે માટે અત્યારથી જ જાગૃત થવું પડશે. 

તિથલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી વિવેકસ્વરૂપદાસજીએ આશીર્વચન આપતા જણાવ્યું કે, વૃક્ષ વાવવા એ શુભ કાર્ય છે પણ એનું સંરક્ષણ કરવું નક્કર કાર્ય છે. જે આપણી ભાવિ પેઢીને ઉપયોગી થશે. બીજાના માટે જીવવું એ સાચું જીવન છે. એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે વૃક્ષોની કામગીરી થતી હોય તો આપણા વલસાડ જિલ્લામાં થાય છે. વૃક્ષોનો ફેમીલી મેમ્બર તરીકે ઉછેર કરવા અપીલ કરી હતી. 

‘‘હું વલસાડ છું’’ નાટિકા દ્વારા વૃક્ષોના નિકંદનથી શું ખરાબ હાલત થાય તે અંગે હવા, પાણી, ગૌમાતા, કલરવ કરતા પક્ષીઓ, ખેડૂતો અને વૃક્ષોની દારૂણ સ્થિતિ વિવિધ પાત્રો દ્વારા નાટ્યાત્મક રૂપે રજૂ કરાઇ હતી. જેને ઉપસ્થિત સૌ એ વધાવી લઈ સૌ એ દિપ પ્રગટાવી વૃક્ષ ઉછેરના સંકલ્પ લીધા હતા. સિકલસેલમાં સંશોધન અને બ્લડ બેંકના પ્રણેતા ડો.યઝદી ઇટાલિયાનું પદ્મશ્રી એવોર્ડ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ૩ વર્ષ સુધી ૧૪૦૦ વૃક્ષના ઉછેરની જવાબદારી લેનાર દિપેશભાઈ ભાનુશાલી અને કિશોરભાઈ ભાનુશાલી તેમજ ૧૦૦૦ વૃક્ષોની જવાબદારી લેનાર વિશ્વાસભાઈ શેઠ સહિત ૧૦૦ વૃક્ષથી લઈને ૧૧ વૃક્ષોના ઉછેરની જવાબદારી લેનાર દાતાઓનું સન્માન કરાયું હતું. 

સ્વાગત પ્રવચન અને પ્રોજેક્ટની રૂપરેખા ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટનશ્રી અશોકભાઈ પટેલે આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશભાઈ ભરૂચાએ કર્યુ હતું. જ્યારે આભારવિધિ મોનાબેન દેસાઈએ કરી હતી. 


વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ ---- વર્ષ...

Posted by INFO Valsad GOV on Monday, July 29, 2024

Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...