Skip to main content

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

 વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...

વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ

 વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ 



વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ 

વૃક્ષોના નિકંદનથી થતી ભયાવહ અસરો ‘‘હું વલસાડ છું’’ ભવ્ય નાટિકા દ્વારા રજૂ કરાતા સૌ દંગ રહી ગયા 

સૌ એ દીપ પ્રગટાવી વૃક્ષ ઉછેરના સંકલ્પ લીધા, વૃક્ષના ઉછેર માટે યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરાયું 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯ જુલાઈ 

ચાલુ વર્ષે ઉનાળામાં પડેલી અસહ્ય ગરમી સામે વધુમાં વધુ વૃક્ષો રોપી તેનો ઉછેર કરવામાં આવે એવા શુભ આશય સાથે વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા ‘‘ગ્રીન વલસાડ’’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ૪૦૦૦ વૃક્ષો રોપવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે, સમગ્ર વલસાડ માટે ઉપયોગી એવા આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ‘‘હું વલસાડ છુ’’ ભવ્ય નાટિકા નવરંગ ગૃપ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે નાટિકાએ ઉપસ્થિત તમામ લોકોને વૃક્ષના મહત્વ અંગે વિચારતા કરી દીધા હતા. 

આ પ્રંસગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા બાદ સોલાર પોલિસી દાખલ કરી હતી. સોલાર એ ઉર્જા ઉત્પન્ન કરવાનું મુખ્ય સાધન છે. આ સિવાય ક્લાઈમેટ ચેન્જને કંટ્રોલ કરવા માટે એક અલગ વિભાગ ઉભો કર્યો છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો કરવાનો છે. સોલાર અને પવન ઉર્જામાં ગુજરાત ૨૨૦૦૦ મેગા વોટ સાથે દેશમાં પ્રથમ નંબરે છે. વૃક્ષોને કારણે જ આપણા જિલ્લામાં વધુ વરસાદ પડે છે. ઔદ્યોગિક એકમોમાં ખાસ કરીને વાપી જીઆઇડીસીમાં સૌથી વધુ વૃક્ષારોપણ થયું છે. ઉમિયા સોશિયલ ટ્રસ્ટ ૪૦૦૦ વૃક્ષ રોપી રહ્યું છે તેમાં દર વર્ષે વધારો થતો રહેશે એવી આશા રાખુ છું. 

ભારત સરકારના ખાદી કમિશનના ડિરેક્ટરશ્રી લલિતભાઈ ગુગલિયાએ જણાવ્યું કે, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ એ સેવાનું મંદિર છે તેમની સેવા બિરદાવવા લાયક છે. કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં ૨૩૭ મૃતદેહ ઉઠાવવા કોઈ તૈયાર ન હતું. તે સમયે ઉમિયા સોશિયલ ટ્રસ્ટે કામગીરી ઉપાડી માનવતાની મહેક પ્રસરાવી હતી. દુનિયાના અનેક દેશોની સફર કરી ત્યારે જ્યાં પણ ગયો ત્યાં ખાદીને આવકાર મળ્યો છે. હાલ ૧૧૨ દેશોમાં ખાદી ઇન્ડિયાનો લોગો રજીસ્ટર કરવાની પ્રોસેસ ચાલુ છે. ૫૬ દેશોમાં ખાદીનો લોગો રજીસ્ટર થઈ ચૂક્યો છે. વડાપ્રધાનશ્રીએ ‘‘મન કી બાત’’ માં જણાવ્યું કે, દેશમાં ખાદીએ રૂ. ૧ લાખ ૫૨ હજાર કરોડનું ટર્ન ઓવર કર્યુ છે જે આવનારા પાંચ વર્ષમાં ૨ લાખ ૨૫ હજાર કરોડ ટર્ન ઓવર કરી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરશે. 

વલસાડના નવરંગ ગૃપના ડિરેકટરશ્રી શૈલેષભાઈ જૈને જણાવ્યું કે, ગ્રીન વલસાડનું સપનું ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈએ જોયું છે, આ પ્રોજેક્ટ આપણા બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે છે. આપણે બધા સંકલ્પ લઈશુ તો ભાવિ પેઢી માટે આ ક્રાંતિ રંગ લાવશે. રાજસ્થાનમાં પાણીની તંગીની જે સ્થિતિ છે તેવી હાલત આપણા વલસાડમાં ન થાય તે માટે અત્યારથી જ જાગૃત થવું પડશે. 

તિથલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી વિવેકસ્વરૂપદાસજીએ આશીર્વચન આપતા જણાવ્યું કે, વૃક્ષ વાવવા એ શુભ કાર્ય છે પણ એનું સંરક્ષણ કરવું નક્કર કાર્ય છે. જે આપણી ભાવિ પેઢીને ઉપયોગી થશે. બીજાના માટે જીવવું એ સાચું જીવન છે. એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે વૃક્ષોની કામગીરી થતી હોય તો આપણા વલસાડ જિલ્લામાં થાય છે. વૃક્ષોનો ફેમીલી મેમ્બર તરીકે ઉછેર કરવા અપીલ કરી હતી. 

‘‘હું વલસાડ છું’’ નાટિકા દ્વારા વૃક્ષોના નિકંદનથી શું ખરાબ હાલત થાય તે અંગે હવા, પાણી, ગૌમાતા, કલરવ કરતા પક્ષીઓ, ખેડૂતો અને વૃક્ષોની દારૂણ સ્થિતિ વિવિધ પાત્રો દ્વારા નાટ્યાત્મક રૂપે રજૂ કરાઇ હતી. જેને ઉપસ્થિત સૌ એ વધાવી લઈ સૌ એ દિપ પ્રગટાવી વૃક્ષ ઉછેરના સંકલ્પ લીધા હતા. સિકલસેલમાં સંશોધન અને બ્લડ બેંકના પ્રણેતા ડો.યઝદી ઇટાલિયાનું પદ્મશ્રી એવોર્ડ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ૩ વર્ષ સુધી ૧૪૦૦ વૃક્ષના ઉછેરની જવાબદારી લેનાર દિપેશભાઈ ભાનુશાલી અને કિશોરભાઈ ભાનુશાલી તેમજ ૧૦૦૦ વૃક્ષોની જવાબદારી લેનાર વિશ્વાસભાઈ શેઠ સહિત ૧૦૦ વૃક્ષથી લઈને ૧૧ વૃક્ષોના ઉછેરની જવાબદારી લેનાર દાતાઓનું સન્માન કરાયું હતું. 

સ્વાગત પ્રવચન અને પ્રોજેક્ટની રૂપરેખા ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટનશ્રી અશોકભાઈ પટેલે આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશભાઈ ભરૂચાએ કર્યુ હતું. જ્યારે આભારવિધિ મોનાબેન દેસાઈએ કરી હતી. 


Comments

Popular posts from this blog

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત   જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી  પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો  સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ   સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહ...

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મ...

Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા.

 Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  પંચોલ આશ્રમશાળા ખાતેથી 63 કન્યાઓ અને 224 કુમારો મળી કુલ 287 છાત્રો ને NDRF ની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોને ગડત આશ્રમશાળા ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ... Posted by  Info Tapi GoG  on  Monday, September 2, 2024