માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ : સખી વન સ્ટોપ સેન્ટર વલસાડની ટીમનાપ્રયત્ન તેમજ મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શક હેઠળ પરિવારથી વિખૂટી પડેલ મહિલાનું તેમના પરિવાર સાથે પુન:મિલન કરાવાયું.
વલસાડ : સખી વન સ્ટોપ સેન્ટર વલસાડની ટીમનાપ્રયત્ન તેમજ મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શક હેઠળ પરિવારથી વિખૂટી પડેલ મહિલાનું તેમના પરિવાર સાથે પુન:મિલન કરાવાયું.
વલસાડ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર વલસાડની ટીમનાપ્રયત્ન તેમજ મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શક હેઠળ પરિવારથી વિખૂટી પડેલ મહિલાનું તેમના પરિવાર સાથે પુન: મિલન કરાવાયું.
સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રિત મહિલાનું સેન્ટરના કર્મચારી દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તેમજ મહિલા સાથે વાતચીત કરતાં જાણ થઈ હતી કે, મહિલા બબન બિગહા, સાબન્હુઆ, હરનૌત, જીલ્લા – નાલંદા બિહારના વતની છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનો પરિવાર કામ-કાજ અર્થે દિલ્લીમાં રહે છે. ઘરમાં સાસુ સાથે વારંવાર ઝગડો થતો રહે છે. તા.૦૬-૦૭-૨૪ ના ઝગડો થતા તેઓ ગુસ્સામાં ઘરેથી બિહાર જવા રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. તેઓને ટ્રેન વિશે વધુ માહિતી ન હોવાથી કોઈ અજાણ્યા વ્યક્તિને પૂછતાં તેઓએ બિહાર ના બદલે બીજી કોઈ ટ્રેનમાં બેસાડી દીધા હતા. અજાણ્યો વિસ્તાર જણાતા તેઓ વાપી સ્ટેશન ઉતરી ગયા હતા ત્યાંથી બહાર નિકળી ખૂબ રડી રહ્યા હતા. તેથી તેમને કોઈ અજાણ્યા વ્યક્તિએ નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચાડ્યા હતા. મહિલાને મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં તા. ૮ જુલાઈના રોજ ડુંગરા પોલીસ સ્ટેશન વાપી દ્વારા આશ્રય માટે લાવવામાં આવતાં તેમને વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો.
મહિલાના પરિવારની જાણકારી મેળવી તેમના પતિ તેમજ બહેન સાથે સંપર્ક થતાં તેઓને સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેમની ઓળખ કર્યા બાદ તેમના પતિ તેમજ બહેન સાથે મુલાકાત કરાવતા મહિલા ભાવુક થઈ ગયા હતા. તેમના પતિએ પણ જણાવ્યું કે હું મારી પત્નીને મારી સાથે ઘરે લઈ જવા માંગુ છું. કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાના પરિવારજનોની ખાતરી કર્યા બાદ પરિવારથી વિખૂટી પડેલી મહિલાનું પુન: મિલન કરાવવામાં આવ્યું. પરિવાર જનોએ સખી વન સ્ટોપ સેન્ટરની સમગ્ર ટીમ નો આભાર માન્યો હતો.
વલસાડ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર વલસાડની...
Posted by INFO Valsad GOV on Tuesday, July 16, 2024

Comments
Post a Comment