માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
Dharampur (Valsad) :ધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા સાહેબના હસ્તે કીટ વિતરણ કરાઈ
Dharampur (Valsad) :ધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા સાહેબના હસ્તે કીટ વિતરણ કરાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જુલાઈ
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા સાહેબના હસ્તે ધરમપુર વિસ્તારમાં વિદ્યાદાન કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ધરમપુરના બીઆરસી ભવન ખાતે અંદાજે ૨૯ દિવ્યાંગ બાળકોને અભિરંગ યુવા ગૃપ દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધરમપુર બીઆરસી કો-ઓર્ડિનેટર નેહલબેન ઠાકોર અને પીએસઆઇ આર.કે.પ્રજાપતિ સાહેબ, અભિરંગ યુવા ગૃપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોની શાળાઓમાં અંદાજે ૩૦૦ વિદ્યાર્થીઓને કીટ વિતરણ માટે ટીમ રવાના કરવામાં આવી હતી.
ધરમપુરમાં દિવ્યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે કીટ વિતરણ કરાઈ માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨...
Posted by INFO Valsad GOV on Tuesday, July 2, 2024
Comments
Post a Comment