Skip to main content

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધ

Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું

 Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું 

એસપીશ્રી બીપરજોય વાવાઝોડુ સમયે તેમજ અપહરણ અને ગુમ થયેલા બાળકો અને પુખ્તવયના કુલ ૨૭૫ લોકોને શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી બજાવી હતી 

વાપીના જીઆઈડીસીના પીઆઈશ્રીએ ડુંગરાના રેપ વીથ મર્ડર કેસમાં માત્ર ૧૯ દિવસમાં ૭૦૦ પાનાની ચાર્જશીટ મુકી હતી 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૧ જુલાઈ 

રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડીને પોલીસ કર્મચારીઓની વર્ષ ૨૦૨૩ દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય દ્વારા ડિસ્ક (પ્રશસ્તિ પદક) અને પ્રશંસાપત્રથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા અને વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલને સન્માનિત કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી હતી. 

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા વર્ષ ૨૦૨૩ દરમિયાન ભૂજમાં ઈન્ચાર્જ એસપી હતા તે સમયે બીપરજોય વાવાઝોડુ આવતા અંદાજે ૫૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી સુપેરે બજાવી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગાઈડ લાઈન મુજબ ઝીરો કેઝ્યુલિટીના લક્ષ્યાંક સાથે વાવાઝોડા સમયે સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી. આ સિવાય વલસાડ જિલ્લાના એસપી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં પાંચ માસ દરમિયાન અપહરણ અને ગુમ થયેલા ૫૦ બાળકો અને ૨૨૫ પુખ્ત વયના લોકોને શોધી કાઢવાની શ્રેષ્ઠ કામગીરી કરી હતી. આ સિવાય નાસતા ફરતા આરોપીઓને પણ શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી પાર પાડી હતી. તેમના સમયગાળા દરમિયાન વર્ષ ૨૦૨૩માં વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પણ શાનદાર ઉજવણી થઈ હતી. વર્ષ ૨૦૨૩ દરમિયાનની તેમની ઉપરોક્ત તમામ વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી વિકાસ સહાય દ્વારા તા. ૩૦ જુલાઈ ૨૦૨૪ના રોજ ગાંધીનગર ખાતે ડિસ્ક અને પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા હતા. 


વલસાડ જિલ્લા એસપી ડો. વાઘેલાની સાથે વાપી જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર મયુરભાઈ પી. પટેલનું પણ રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી વિકાસ સહાયના હસ્તે ડિસ્ક અને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માન કરાયુ હતું. પીઆઈ મયુરભાઈ પટેલે તા. ૨૩ ઓકટોબર ૨૦૨૩ના રોજ વાપીના ડુંગરા ખાતેના રેપ વીથ મર્ડર કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. ઝાડીમાંથી ૬ વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેનુ ફોરેન્સિક પીએમ કરાતા બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાનું ફલિત થયું હતું. પીઆઈ મયુર પટેલે ટીમ સાથે ગણતરીના કલાકોમાં આરોપી અબ્દુલ રજાક સુભાન ખાન (ઉ.વ.૪૨, રહે. ચીલવીલ રામની ચાલ, ડુંગરી ફળિયુ, ડુંગરા, વાપી)ની ધરપકડ કરી હતી. તમામ સાયન્ટીફીક એન્ગલથી તપાસ કરી તમામ પૂરાવા એકત્ર કરી શ્રી પટેલે માત્ર ૧૯ વર્કિંગ ડે માં ૭૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. આ શ્રેષ્ઠ કામગીરી બદલ તેમનું ડીજીપી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.  

બોક્ષ મેટર 

શું છે કમાન્ડેશન ડિસ્કનો ઈતિહાસ? કેમ આપવામાં આવે છે? 

કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા દેશભરની પોલીસ ફોર્સના જવાનોનું મોરલ વધે તેમની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવાય અને પોલીસ જવાનોમાં ફરજ પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે વર્ષ ૨૦૨૦થી રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી દ્વારા ડિસ્ક (પ્રશસ્તિ પદક) એનાયત કરવામાં આવે છે. વર્તમાન સ્થિતિમાં જોઈએ તો, હાલ દેશભરના કુલ ૭ રાજ્યોમાં પોલીસ જવાનોને તેમની વિશિષ્ટ કામગીરી બદલ ડિસ્કથી સન્માનિત કરવામાં આવે છે. ગુજરાત રાજ્યની પોલીસની સ્ટ્રેન્થ ૧ લાખ જવાનોની છે જેમાંથી ૧૧૦ પોલીસ અધિકારી-કર્મચારીઓની ડિસ્ક મેડલ માટે પસંદગી કરવામાં આવે છે. દર વર્ષે પોલીસ અધિકારીઓ દ્વારા નોમિનેશન કરવામાં આવે છે જેમાંથી ડીજીપીની આગેવાની હેઠળ સિનિયર અધિકારીઓની બનેલી કમિટી દ્વારા ૧૧૦ની પસંદગી કરવામાં આવે છે.  

Comments

Popular posts from this blog

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત   જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી  પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો  સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ   સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહિક યોજનાનો લાભ પણ અપાવ્યો છે.

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મંત્ર