માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
valsad: વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે
valsad: વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે
જિલ્લા કલેકટરશ્રીએ ‘‘ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ’’ના સૂત્રને સાર્થક કરવા ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જુલાઈ
ગુજરાતના યાત્રાધામો સ્વચ્છ અને સુઘડની સાથે હરિયાળા બને તેમજ ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ તથા સ્વચ્છતા ત્યાં પ્રભૂતાના સૂત્રને સાર્થક કરવા જિલ્લાના મહત્વના યાત્રાધામો, સરકારી દેવસ્થાનો તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને આવરી લઈ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા વધુમાં વધુ વૃક્ષો રોપી તમામ ધાર્મિક સ્થળોને હરિયાળા યાત્રાધામ બનાવવા જન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાએ વિવિધ ઉચ્ચ અધિકારીઓને કામગીરીની સોંપણી કરી છે. જે મુજબ વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીશ્રી અને સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષકશ્રીને નોડલ અધિકારી બનાવ્યા છે. સહ નોડલ અધિકારી તરીકે જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ અને સંબંધિત રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રીઓને જવાબદારી સોંપાઈ છે. ઉપરોક્ત અધિકારીશ્રીઓએ સ્થાનિક ગ્રામ પંચાયત/ નગરપાલિકા/ જિલ્લા પંચાયત, તાલુકા પંતાયત, પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, ધાર્મિક સંગઠનો, વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ એનજીઓનો સહયોગ લઈ વૃક્ષારોપણનું આયોજન કરવાનું રહેશે. વૃક્ષો હશે તો જ પર્યાવરણ બચાવી શકીશું એવી જન જાગૃતિ માટે જિલ્લાની સહકારી સંસ્થાઓ, દૂધ મંડળીઓ, યુવક મંડળો, મહિલા મંડળો, સખી મંડળો, ભક્ત મંડળો, સ્વૈચ્છિક સંગઠનો, ગરબી મંડળો, સેવા સંઘો અને ધાર્મિક સંસ્થાઓને પણ સ્વૈચ્છિક રીતે સામેલ કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.
વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે --- જિલ્લા કલેકટરશ્રીએ...
Posted by INFO Valsad GOV on Tuesday, July 2, 2024
Comments
Post a Comment