Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad:ડો. આંબેડકર આવાસ યોજના અને વિધવા પેન્શન યોજનાએ પારડીના ખેરલાવની અનુસૂચિત જાતિની વિધવા મહિલાના જીવનમાં આશાની નવી કિરણ જન્માવી

 Valsad:ડો. આંબેડકર આવાસ યોજના અને વિધવા પેન્શન યોજનાએ પારડીના ખેરલાવની અનુસૂચિત જાતિની વિધવા મહિલાના જીવનમાં આશાની નવી કિરણ જન્માવી 

બંને યોજનાએ અનેક નિરાધાર મહિલાઓને સમાજમાં સ્વમાનભેર જીવન આપ્યું હોવાનો ગર્વ અનુભવતા લાભાર્થી કંચનબેન માહ્યાવંશી  

પહેલા કાચા ઘરમાં એક સાઈડની દિવાલ તુટી જતા ખૂબ જ દયનીય હાલતમાં જીવતા હતા, હવે સરકારે રહેવા માટે પાકી છત આપી 

પતિના અવસાન બાદ ઘરમાં કમાનાર કોઈ ન હતું ત્યારે કટોકટીની સ્થિતિમાં સરકાર વ્હારે આવી અને દર મહિને રૂ. ૧૨૫૦ પેન્શન મળતા જીવન જીવવુ સરળ બન્યું 

આલેખનઃ જિજ્ઞેશ સોલંકી 

માહિતી બ્યુરોઃ વલસાડ

‘‘ખાવા માટે રોટલો મળે પણ ઓટલો ન મળે’’ એ દાયકાઓ પુરાણી કહેવતને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખોટી પાડી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને રહેવા માટે માથે પાકી છત વાળા મકાન મળે તે માટે અનેકવિધ આવાસ યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાભ ગુજરાતના છેવાડે રહેતા વંચિતોને પણ મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હરહંમેશ તત્પર રહ્યા છે. ત્યારે આવાસ યોજનાના લાભાર્થીઓ ગદગદિત થઈ સરકારશ્રીનો આભાર માની રહ્યા છે. આવા જ એક લાભાર્થી છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામમાં માહ્યાવંશી ફળિયા ખાતે રહેતા વિધવા કંચનબેન કાંતીભાઈ માહ્યાવંશી. 

 ડો. આંબેડર આવાસ યોજનાના લાભાર્થી કંચનબેન પોતાની કરૂણ દાસ્તાન જણાવતા કહે છે કે, પહેલા અમારૂ ઘર લીપણવાળુ કાચુ હતું. જેની એક સાઈડની કામળી વાળી દિવાલ પડી જતા ઘણા વર્ષો સુધી હુ અને મારા પતિ બે દીકરીઓ સાથે યેનકેન પ્રકારે રહેતા હતા. ચોમાસામાં તો અમારા ઘરની હાલત એકદમ દયનીય બની જતી હતી. છત તો ટપકતી હતી જ પરંતુ એક સાઈડે દિવાલ ન હોવાથી વરસાદી પાણી તેમજ ઝેરી જનાવર પણ ઘર ઘુસી જતા હતા. જેમ તેમ કરી ખાનગી કંપનીમાં નોકરી કરી બંને દીકરીઓને ભણાવી ગણાવી લગ્ન કરાવી સાસરે વળાવી હતી. સાત વર્ષ પહેલા પતિનું પણ હાર્ટ એટેકના કારણે અવસાન થયુ હતું. સંતાનમાં દીકરો ન હોવાથી એકલી રહેવાની નોબત આવી હતી. ભાંગેલા તૂટેલા ઘરમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી પરંતુ કોરોનાકાળ પહેલા પગમાં દુઃખાવો થતા નોકરી છોડવી પડી હતી. આ સમયે ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી પાકુ ઘર કેવી રીતે બનશે તે એક મારા માટે એક વિટંબણા હતી. આ સમયે મારી સાથે નોકરી કરતી મારી બહેનપણી નર્મદાબેને મને આવાસ યોજના વિશે માહિતી આપી જેથી મે વલસાડ જૂની કલેકટર કચેરીમાં આવેલી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાં તપાસ કરતા મને ડો. આંબેડકર આવાસ યોજના વિશે માહિતી મળતા ફોર્મ ભર્યુ હતું. આખરે રૂ. ૧. ૨૦ લાખની સરકારની સહાય મળતા થોડા પૈસા મારી દીકરી-જમાઈએ ઉમેરી રહેવાલાયક પાકી છત વાળુ સુંદર ઘર બનાવી આપ્યું છે. આજે હું પાકા ઘરમાં સુખરૂપે રહું છું. રહેવા માટે ઘર તો મળી ગયુ પરંતુ ઘરમાં કોઈ કમાનાર ન હોવાથી ગુજરાન કેવી રીતે ચાલશે તેની ચિંતા સતાવતી હતી ત્યારે અમારી બાજુમાં આવેલા ડુમલાવ ગામમાં રહેતા અને ગુરીયા કાકા તરીકે જાણીતા સેવાભાવી વડીલે મને વિધવા પેન્શનની સહાય અંગે જાણકારી આપતા તેઓએ જ મારૂ ફોર્મ ભરી સહાય માટે અરજી કરી હતી. આખરે તે ફોર્મ મંજૂર થતા હાલમાં દર મહિને રૂ. ૧૨૫૦ પેન્શનની રકમ સીધી મારા બેંક ખાતામાં જમા થઈ જાય છે. જેમાંથી હુ મારુ ગુજરાન ચલાવી સ્વમાનભેર જીવન જીવુ છું. સરકારની આવાસ યોજના અને વિધવા પેન્શન યોજના મારા જેવી વિધવા અને નિરાધાર મહિલાઓ માટે ઘોર અંધકાર વચ્ચે પ્રકાશના કિરણ સમાન છે. આ બંને યોજનાનો લાભ મેળવવા બદલ હું રાજ્ય સરકારનો અંતઃકરણપૂર્વક જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. 



Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...