Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad:ડો. આંબેડકર આવાસ યોજના અને વિધવા પેન્શન યોજનાએ પારડીના ખેરલાવની અનુસૂચિત જાતિની વિધવા મહિલાના જીવનમાં આશાની નવી કિરણ જન્માવી

 Valsad:ડો. આંબેડકર આવાસ યોજના અને વિધવા પેન્શન યોજનાએ પારડીના ખેરલાવની અનુસૂચિત જાતિની વિધવા મહિલાના જીવનમાં આશાની નવી કિરણ જન્માવી 

બંને યોજનાએ અનેક નિરાધાર મહિલાઓને સમાજમાં સ્વમાનભેર જીવન આપ્યું હોવાનો ગર્વ અનુભવતા લાભાર્થી કંચનબેન માહ્યાવંશી  

પહેલા કાચા ઘરમાં એક સાઈડની દિવાલ તુટી જતા ખૂબ જ દયનીય હાલતમાં જીવતા હતા, હવે સરકારે રહેવા માટે પાકી છત આપી 

પતિના અવસાન બાદ ઘરમાં કમાનાર કોઈ ન હતું ત્યારે કટોકટીની સ્થિતિમાં સરકાર વ્હારે આવી અને દર મહિને રૂ. ૧૨૫૦ પેન્શન મળતા જીવન જીવવુ સરળ બન્યું 

આલેખનઃ જિજ્ઞેશ સોલંકી 

માહિતી બ્યુરોઃ વલસાડ

‘‘ખાવા માટે રોટલો મળે પણ ઓટલો ન મળે’’ એ દાયકાઓ પુરાણી કહેવતને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખોટી પાડી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને રહેવા માટે માથે પાકી છત વાળા મકાન મળે તે માટે અનેકવિધ આવાસ યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાભ ગુજરાતના છેવાડે રહેતા વંચિતોને પણ મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હરહંમેશ તત્પર રહ્યા છે. ત્યારે આવાસ યોજનાના લાભાર્થીઓ ગદગદિત થઈ સરકારશ્રીનો આભાર માની રહ્યા છે. આવા જ એક લાભાર્થી છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામમાં માહ્યાવંશી ફળિયા ખાતે રહેતા વિધવા કંચનબેન કાંતીભાઈ માહ્યાવંશી. 

 ડો. આંબેડર આવાસ યોજનાના લાભાર્થી કંચનબેન પોતાની કરૂણ દાસ્તાન જણાવતા કહે છે કે, પહેલા અમારૂ ઘર લીપણવાળુ કાચુ હતું. જેની એક સાઈડની કામળી વાળી દિવાલ પડી જતા ઘણા વર્ષો સુધી હુ અને મારા પતિ બે દીકરીઓ સાથે યેનકેન પ્રકારે રહેતા હતા. ચોમાસામાં તો અમારા ઘરની હાલત એકદમ દયનીય બની જતી હતી. છત તો ટપકતી હતી જ પરંતુ એક સાઈડે દિવાલ ન હોવાથી વરસાદી પાણી તેમજ ઝેરી જનાવર પણ ઘર ઘુસી જતા હતા. જેમ તેમ કરી ખાનગી કંપનીમાં નોકરી કરી બંને દીકરીઓને ભણાવી ગણાવી લગ્ન કરાવી સાસરે વળાવી હતી. સાત વર્ષ પહેલા પતિનું પણ હાર્ટ એટેકના કારણે અવસાન થયુ હતું. સંતાનમાં દીકરો ન હોવાથી એકલી રહેવાની નોબત આવી હતી. ભાંગેલા તૂટેલા ઘરમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી પરંતુ કોરોનાકાળ પહેલા પગમાં દુઃખાવો થતા નોકરી છોડવી પડી હતી. આ સમયે ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી પાકુ ઘર કેવી રીતે બનશે તે એક મારા માટે એક વિટંબણા હતી. આ સમયે મારી સાથે નોકરી કરતી મારી બહેનપણી નર્મદાબેને મને આવાસ યોજના વિશે માહિતી આપી જેથી મે વલસાડ જૂની કલેકટર કચેરીમાં આવેલી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાં તપાસ કરતા મને ડો. આંબેડકર આવાસ યોજના વિશે માહિતી મળતા ફોર્મ ભર્યુ હતું. આખરે રૂ. ૧. ૨૦ લાખની સરકારની સહાય મળતા થોડા પૈસા મારી દીકરી-જમાઈએ ઉમેરી રહેવાલાયક પાકી છત વાળુ સુંદર ઘર બનાવી આપ્યું છે. આજે હું પાકા ઘરમાં સુખરૂપે રહું છું. રહેવા માટે ઘર તો મળી ગયુ પરંતુ ઘરમાં કોઈ કમાનાર ન હોવાથી ગુજરાન કેવી રીતે ચાલશે તેની ચિંતા સતાવતી હતી ત્યારે અમારી બાજુમાં આવેલા ડુમલાવ ગામમાં રહેતા અને ગુરીયા કાકા તરીકે જાણીતા સેવાભાવી વડીલે મને વિધવા પેન્શનની સહાય અંગે જાણકારી આપતા તેઓએ જ મારૂ ફોર્મ ભરી સહાય માટે અરજી કરી હતી. આખરે તે ફોર્મ મંજૂર થતા હાલમાં દર મહિને રૂ. ૧૨૫૦ પેન્શનની રકમ સીધી મારા બેંક ખાતામાં જમા થઈ જાય છે. જેમાંથી હુ મારુ ગુજરાન ચલાવી સ્વમાનભેર જીવન જીવુ છું. સરકારની આવાસ યોજના અને વિધવા પેન્શન યોજના મારા જેવી વિધવા અને નિરાધાર મહિલાઓ માટે ઘોર અંધકાર વચ્ચે પ્રકાશના કિરણ સમાન છે. આ બંને યોજનાનો લાભ મેળવવા બદલ હું રાજ્ય સરકારનો અંતઃકરણપૂર્વક જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. 



Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...