Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad|Pardi:પારડી સ્વાધ્યાય મંડળ ખાતે શ્રીમદ્ ભગવદ ગીતા પુરુષાર્થ બોધિની ગ્રંથની આવૃત્તિનું વિમોચન કરાયુ

 Valsad|Pardi:પારડી સ્વાધ્યાય મંડળ ખાતે શ્રીમદ્ ભગવદ ગીતા પુરુષાર્થ બોધિની ગ્રંથની આવૃત્તિનું વિમોચન કરાયુ 

ભારતીય સંસ્કૃતિના અર્કરૂપ વેદોનું દોહન કરી શ્રીકૃષ્ણના શ્રીમુખેથી પ્રગટેલ ભગવદ ગીતા સનાતન પ્રેરણા આપતો અભિનવ રાષ્ટ્રીય ગ્રંથ છેઃ આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૩ જુલાઈ 

 વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા સ્વાધ્યાય મંડળ દ્વારા પ્રકાશિત શ્રીમદ્ ભગવદ ગીતા પુરુષાર્થ બોધિની ગ્રંથ અત્યાર સુધીમાં આઠ આવૃત્તિ થવા છતાં વર્તમાનમાં સામાન્ય જનતા માટે લાંબા સમયથી ઉપલબ્ધ ન હતો. પંડિતજી દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા ઉપરની આ ભાષ્ય અને ટીકા સહિતની અમૂલ્ય આવૃત્તિના નવસંસ્કરણનો વિમોચન સમારોહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજીના હસ્તે સ્વાધ્યાય મંડળ સભાગૃહ ખાતે પ્રબુદ્ધજનો અને સંસ્કૃતિ પ્રેમીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

 આ પ્રસંગે ગ્રંથ વિમોચક અને આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજીએ ભગવદ ગીતાની વિવિધ ટીકાની ચર્ચા કરતાં કહ્યું કે, કેટલાકે જ્ઞાનપ્રધાન તો કેટલાકે ભક્તિપ્રધાન એવું ભગવદ ગીતાનું અર્થઘટન કરી એની મહત્તા દર્શાવી છે, પરંતુ પંડિતજીએ સનાતન રાષ્ટ્રના ચૈતન્યને ધ્યાનમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણના ગીતાબોધ થકી પ્રગટતા પુરુષાર્થને મહત્વ આપી નિષ્કામ કર્મયોગના સંદેશને યુગાનુકૂળ પ્રકાશિત કર્યો એ આ ગ્રંથની વિલક્ષણતા છે. ભારતીય સંસ્કૃતિના અર્કરૂપ વેદોનું દોહન કરી શ્રીકૃષ્ણના શ્રીમુખેથી પ્રગટેલ ભગવદ ગીતા સનાતન પ્રેરણા આપતો અભિનવ રાષ્ટ્રીય ગ્રંથ છે. વેદર્ષિ પંડિત સાતવળેકરજીએ શ્રીમદ્ ભગવદ ગીતાના ૭૦૦ શ્લોકો પર સારગર્ભિત ભાષ્ય કરી પુરુષાર્થ બોધિની ટીકા દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિપ્રેમીઓ માટે અનોખું પ્રબોધન કર્યું છે.

 આ ગ્રંથનું મુદ્રણ સૌજન્ય મુંબઈના પ્રિન્ટોગ્રાફી પરિવારના સર્વ જયંતીભાઈ, રમેશભાઈ અને ગિરીશભાઈ શાહના દ્વારા એમના વડીલોના પુણ્યાર્થે દાખવવામાં આવ્યું હતું. સ્વાધ્યાય મંડળના કાર્યાધ્યક્ષ ડો. પ્રતાપ ઠોસરે ગ્રંથ-વિમોચક સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજી અને મુદ્રક સૌજન્યમૂર્તિ રમેશભાઈ શાહનું શાલ ઓઢાડી સ્વાગત અને સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરી મહેમાનોનો પરિચય અને આભારદર્શન સંસ્થાના મહામંત્રી રાજેશ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. સુમધુર સ્વરોમાં ઋષિકુમારો દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી હતી. અંતે ૐ પૂર્ણમદ... ના કલ્યાણમંત્ર સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.



Comments

Popular posts from this blog

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો.

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો. તારીખ : 12-10-2024નાં દિને ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં પરંપરાગત દશેરા નિમિત્તે રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.             જેમાં મંદિરના દર્શનની સાથે આસપાસના વિસ્તારના હજારો લોકોએ મેળાનો લાભ લીધો હતો. જેમાં રાવણપૂતળાં દહન વલસાડ પત્રકાર વેલફેર એસોસિયેશનના પ્રમુખશ્રી હર્ષદભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.                     હર્ષદભાઈ આહીર દ્વારા  સૌપ્રથમ માતાજીની આરતીનો લાભ લઈ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.ત્યારે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થયું હતું.                  આ પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા નોરતા અને રાવણ દહન કાર્યક્રમ સુધી નવ દિવસ સુધી ખડેપગે  ફરજ બજાવનાર ખેરગામ PSI ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવા...

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024