Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad|Pardi:પારડી સ્વાધ્યાય મંડળ ખાતે શ્રીમદ્ ભગવદ ગીતા પુરુષાર્થ બોધિની ગ્રંથની આવૃત્તિનું વિમોચન કરાયુ

 Valsad|Pardi:પારડી સ્વાધ્યાય મંડળ ખાતે શ્રીમદ્ ભગવદ ગીતા પુરુષાર્થ બોધિની ગ્રંથની આવૃત્તિનું વિમોચન કરાયુ 

ભારતીય સંસ્કૃતિના અર્કરૂપ વેદોનું દોહન કરી શ્રીકૃષ્ણના શ્રીમુખેથી પ્રગટેલ ભગવદ ગીતા સનાતન પ્રેરણા આપતો અભિનવ રાષ્ટ્રીય ગ્રંથ છેઃ આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૩ જુલાઈ 

 વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા સ્વાધ્યાય મંડળ દ્વારા પ્રકાશિત શ્રીમદ્ ભગવદ ગીતા પુરુષાર્થ બોધિની ગ્રંથ અત્યાર સુધીમાં આઠ આવૃત્તિ થવા છતાં વર્તમાનમાં સામાન્ય જનતા માટે લાંબા સમયથી ઉપલબ્ધ ન હતો. પંડિતજી દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા ઉપરની આ ભાષ્ય અને ટીકા સહિતની અમૂલ્ય આવૃત્તિના નવસંસ્કરણનો વિમોચન સમારોહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજીના હસ્તે સ્વાધ્યાય મંડળ સભાગૃહ ખાતે પ્રબુદ્ધજનો અને સંસ્કૃતિ પ્રેમીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

 આ પ્રસંગે ગ્રંથ વિમોચક અને આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજીએ ભગવદ ગીતાની વિવિધ ટીકાની ચર્ચા કરતાં કહ્યું કે, કેટલાકે જ્ઞાનપ્રધાન તો કેટલાકે ભક્તિપ્રધાન એવું ભગવદ ગીતાનું અર્થઘટન કરી એની મહત્તા દર્શાવી છે, પરંતુ પંડિતજીએ સનાતન રાષ્ટ્રના ચૈતન્યને ધ્યાનમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણના ગીતાબોધ થકી પ્રગટતા પુરુષાર્થને મહત્વ આપી નિષ્કામ કર્મયોગના સંદેશને યુગાનુકૂળ પ્રકાશિત કર્યો એ આ ગ્રંથની વિલક્ષણતા છે. ભારતીય સંસ્કૃતિના અર્કરૂપ વેદોનું દોહન કરી શ્રીકૃષ્ણના શ્રીમુખેથી પ્રગટેલ ભગવદ ગીતા સનાતન પ્રેરણા આપતો અભિનવ રાષ્ટ્રીય ગ્રંથ છે. વેદર્ષિ પંડિત સાતવળેકરજીએ શ્રીમદ્ ભગવદ ગીતાના ૭૦૦ શ્લોકો પર સારગર્ભિત ભાષ્ય કરી પુરુષાર્થ બોધિની ટીકા દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિપ્રેમીઓ માટે અનોખું પ્રબોધન કર્યું છે.

 આ ગ્રંથનું મુદ્રણ સૌજન્ય મુંબઈના પ્રિન્ટોગ્રાફી પરિવારના સર્વ જયંતીભાઈ, રમેશભાઈ અને ગિરીશભાઈ શાહના દ્વારા એમના વડીલોના પુણ્યાર્થે દાખવવામાં આવ્યું હતું. સ્વાધ્યાય મંડળના કાર્યાધ્યક્ષ ડો. પ્રતાપ ઠોસરે ગ્રંથ-વિમોચક સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજી અને મુદ્રક સૌજન્યમૂર્તિ રમેશભાઈ શાહનું શાલ ઓઢાડી સ્વાગત અને સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરી મહેમાનોનો પરિચય અને આભારદર્શન સંસ્થાના મહામંત્રી રાજેશ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. સુમધુર સ્વરોમાં ઋષિકુમારો દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી હતી. અંતે ૐ પૂર્ણમદ... ના કલ્યાણમંત્ર સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.



Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024