Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીનો

  વલસાડ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીનો પ્રારંભ, પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી 

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી રેલી કાઢવામાં આવી, આંબેડકર ભવનમાં મહિલા સુરક્ષાના માળખાની સમજ અપાઈ 

રોણવેલની કોલેજમાં ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ કાયદાકીય સેમિનાર યોજાયો 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ 

વલસાડ જિલ્લામાં તા. ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ ૨૦૨૪ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી થનાર છે જેનો આજે પ્રારંભ કરાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૦૧/૦૮/૨૦૨૪ ના રોજ મહિલા સુરક્ષા દિવસના નોડલ નાયબ પોલીસ અધિક્ષકશ્રીની આગેવાની હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષ સ્થાને રેલી નીકળી હતી. જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, DHEWના સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ, ૧૮૧ અભયમ અને PBSC સેન્ટરનો સ્ટાફ જોડાયો હતો. રેલી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી શરૂ થી બાબા સાહેબ આંબેડકર હૉલ પહોંચી હતી. જ્યાં મહિલા સુરક્ષાને અનુરૂપ વિવિધ માળખાઓ દ્વારા પ્રાથમિક માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ હૉલથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન થઈને મુખ્ય પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાસેથી સેન્ટ જોસેફ કોન્વેન્ટ હાઈસ્કૂલ, વલસાડ ખાતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં ૬૦ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ સહિત કુલ ૧૨૩ સહભાગીઓ હાજર રહ્યા હતા.  

બપોરે ૦૨:૩૦ વાગ્યાથી રોણવેલની સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મહિલા પીએસઆઈ સી.ડી. ડામોર, દ્વારા હાલના સમયમાં વિદ્યાર્થીનીઓ/કિશોરીઓ સોશિયલ મીડિયાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે અને એના કારણે પ્રેમપ્રકરણના વધુ ગુનાઓ બને છે જેથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જીવનમાં ઉપયોગી થાય એ માટે જણાવ્યું હતું. આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશભાઈ ગિરાસે દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓમાં રક્ષણ અધિનિયમ-૨૦૦૫ વિશે વિગતવાર માહિતી આપી હતી તેમજ સંકટ સખી એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. એડવોકેટ ભૂપેન્દ્ર જી. પટેલ દ્વારા ભારતમાં મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનના તન્વી પટેલ દ્વારા ૧૮૧ નંબર વિશે વિગતવાર માહિતી આપી હતી. સ્નેહાલીબેન કેન્દ્ર સંચાલક દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. PBSC (પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર)ના કાઉન્સેલર દિવિશા પટેલ દ્વારા યોજનાની માહિતી આપવામાં આવી તેમજ મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર. દેસાઇ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં DHEW (ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન) ના સ્ટાફ, W CO (વુમન ચાઈલ્ડ ઓફિસર) સ્ટાફ તેમજ કુલ ૧૨૯ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.






Comments

Popular posts from this blog

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો.

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો. તારીખ : 12-10-2024નાં દિને ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં પરંપરાગત દશેરા નિમિત્તે રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.             જેમાં મંદિરના દર્શનની સાથે આસપાસના વિસ્તારના હજારો લોકોએ મેળાનો લાભ લીધો હતો. જેમાં રાવણપૂતળાં દહન વલસાડ પત્રકાર વેલફેર એસોસિયેશનના પ્રમુખશ્રી હર્ષદભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.                     હર્ષદભાઈ આહીર દ્વારા  સૌપ્રથમ માતાજીની આરતીનો લાભ લઈ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.ત્યારે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થયું હતું.                  આ પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા નોરતા અને રાવણ દહન કાર્યક્રમ સુધી નવ દિવસ સુધી ખડેપગે  ફરજ બજાવનાર ખેરગામ PSI ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવા...

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024