Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીનો

  વલસાડ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીનો પ્રારંભ, પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી 

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી રેલી કાઢવામાં આવી, આંબેડકર ભવનમાં મહિલા સુરક્ષાના માળખાની સમજ અપાઈ 

રોણવેલની કોલેજમાં ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ કાયદાકીય સેમિનાર યોજાયો 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ 

વલસાડ જિલ્લામાં તા. ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ ૨૦૨૪ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી થનાર છે જેનો આજે પ્રારંભ કરાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૦૧/૦૮/૨૦૨૪ ના રોજ મહિલા સુરક્ષા દિવસના નોડલ નાયબ પોલીસ અધિક્ષકશ્રીની આગેવાની હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષ સ્થાને રેલી નીકળી હતી. જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, DHEWના સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ, ૧૮૧ અભયમ અને PBSC સેન્ટરનો સ્ટાફ જોડાયો હતો. રેલી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી શરૂ થી બાબા સાહેબ આંબેડકર હૉલ પહોંચી હતી. જ્યાં મહિલા સુરક્ષાને અનુરૂપ વિવિધ માળખાઓ દ્વારા પ્રાથમિક માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ હૉલથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન થઈને મુખ્ય પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાસેથી સેન્ટ જોસેફ કોન્વેન્ટ હાઈસ્કૂલ, વલસાડ ખાતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં ૬૦ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ સહિત કુલ ૧૨૩ સહભાગીઓ હાજર રહ્યા હતા.  

બપોરે ૦૨:૩૦ વાગ્યાથી રોણવેલની સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મહિલા પીએસઆઈ સી.ડી. ડામોર, દ્વારા હાલના સમયમાં વિદ્યાર્થીનીઓ/કિશોરીઓ સોશિયલ મીડિયાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે અને એના કારણે પ્રેમપ્રકરણના વધુ ગુનાઓ બને છે જેથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જીવનમાં ઉપયોગી થાય એ માટે જણાવ્યું હતું. આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશભાઈ ગિરાસે દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓમાં રક્ષણ અધિનિયમ-૨૦૦૫ વિશે વિગતવાર માહિતી આપી હતી તેમજ સંકટ સખી એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. એડવોકેટ ભૂપેન્દ્ર જી. પટેલ દ્વારા ભારતમાં મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનના તન્વી પટેલ દ્વારા ૧૮૧ નંબર વિશે વિગતવાર માહિતી આપી હતી. સ્નેહાલીબેન કેન્દ્ર સંચાલક દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. PBSC (પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર)ના કાઉન્સેલર દિવિશા પટેલ દ્વારા યોજનાની માહિતી આપવામાં આવી તેમજ મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર. દેસાઇ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં DHEW (ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન) ના સ્ટાફ, W CO (વુમન ચાઈલ્ડ ઓફિસર) સ્ટાફ તેમજ કુલ ૧૨૯ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.






Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024