Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીનો

  વલસાડ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીનો પ્રારંભ, પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી 

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી રેલી કાઢવામાં આવી, આંબેડકર ભવનમાં મહિલા સુરક્ષાના માળખાની સમજ અપાઈ 

રોણવેલની કોલેજમાં ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ કાયદાકીય સેમિનાર યોજાયો 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ 

વલસાડ જિલ્લામાં તા. ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ ૨૦૨૪ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી થનાર છે જેનો આજે પ્રારંભ કરાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૦૧/૦૮/૨૦૨૪ ના રોજ મહિલા સુરક્ષા દિવસના નોડલ નાયબ પોલીસ અધિક્ષકશ્રીની આગેવાની હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષ સ્થાને રેલી નીકળી હતી. જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, DHEWના સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ, ૧૮૧ અભયમ અને PBSC સેન્ટરનો સ્ટાફ જોડાયો હતો. રેલી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી શરૂ થી બાબા સાહેબ આંબેડકર હૉલ પહોંચી હતી. જ્યાં મહિલા સુરક્ષાને અનુરૂપ વિવિધ માળખાઓ દ્વારા પ્રાથમિક માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ હૉલથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન થઈને મુખ્ય પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાસેથી સેન્ટ જોસેફ કોન્વેન્ટ હાઈસ્કૂલ, વલસાડ ખાતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં ૬૦ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ સહિત કુલ ૧૨૩ સહભાગીઓ હાજર રહ્યા હતા.  

બપોરે ૦૨:૩૦ વાગ્યાથી રોણવેલની સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મહિલા પીએસઆઈ સી.ડી. ડામોર, દ્વારા હાલના સમયમાં વિદ્યાર્થીનીઓ/કિશોરીઓ સોશિયલ મીડિયાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે અને એના કારણે પ્રેમપ્રકરણના વધુ ગુનાઓ બને છે જેથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જીવનમાં ઉપયોગી થાય એ માટે જણાવ્યું હતું. આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશભાઈ ગિરાસે દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓમાં રક્ષણ અધિનિયમ-૨૦૦૫ વિશે વિગતવાર માહિતી આપી હતી તેમજ સંકટ સખી એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. એડવોકેટ ભૂપેન્દ્ર જી. પટેલ દ્વારા ભારતમાં મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનના તન્વી પટેલ દ્વારા ૧૮૧ નંબર વિશે વિગતવાર માહિતી આપી હતી. સ્નેહાલીબેન કેન્દ્ર સંચાલક દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. PBSC (પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર)ના કાઉન્સેલર દિવિશા પટેલ દ્વારા યોજનાની માહિતી આપવામાં આવી તેમજ મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર. દેસાઇ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં DHEW (ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન) ના સ્ટાફ, W CO (વુમન ચાઈલ્ડ ઓફિસર) સ્ટાફ તેમજ કુલ ૧૨૯ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.






Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...