Skip to main content

Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે

Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે  કાર્યક્રમના સુચારું આયોજન અંગે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સ્થળ બેઠક યોજાઇ  - કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ,કીટ વિતરણ વગેરેના સ્થળોની સ્વયં તપાસ કરી જરૂરી સુચનો આપ્યા. નવસારી  તા.25:  ગુજરાતમાં જરૂરિયાત મંદ લોકો સુધી સરકારની સીધી સહાય પહોંચે તેવા હેતુસર ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે નવસારી જિલ્લામાં આગામી તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ ધોડીયા સમાજની વાડી, સુરખાઈ, તાલુકો ચિખલી ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જેના સૂચારું આયોજન માટે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા અને વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં સ્થળ બેઠક યોજાઇ હતી.  કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ વગેરેના સ્થળોની સ્વયં

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 'લખપતી દીદી' કાર્યક્રમ યોજાયો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 'લખપતી દીદી' કાર્યક્રમ યોજાયો.

મહાનુભાવોના હસ્તે સ્વ સહાય જૂથની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યા

............. 

મહિલા સહાયતાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મંડળ પ્રતિનિધિઓને પ્રશસ્તિપત્ર દ્ગારા સન્માનિત કરાયા

............ 

ગાંધીનગર જિલ્લાના  સ્વ સહાય જૂથોને વિવિધ સહાય અંતર્ગત રુ. ૩ કરોડથી વધુ રકમના ચેકનું વિતરણ

.......... 

રાષ્ટ્રીય 'ગ્રામીણ આજીવિકા મિશન' સ્વ સહાય જૂથની મહિલાઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર  ખાતે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

........

ગાંધીનગર, રવિવાર


 ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન'  અંતર્ગત ગાંધીનગર જિલ્લા ખાતે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા 'લખપતી દીદી' કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લામાં કાર્યરત સ્વ સહાય જૂથોની ૧૧ મહિલાઓને મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.   

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જિજ્ઞાસા વેગડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા  સ્વ સહાય જૂથોની ૫૦૦  જેટલી મહિલાઓએનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. અને વડાપ્રધાનશ્રીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો.  સખી મંડળ અંતર્ગત સફળતા મેળવનાર એવી બહેનો જે અન્ય માટે પ્રેરણા રુપ બની છે તેમને પણ આ પ્રસંગે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

ગાંધીનગર જિલ્લાના જુદા - જુદા તાલુકાના સ્વ સહાય જૂથોને કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સીસી લોન, રિવોલ્વીંગ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ સહિત વિવિધ સહાય અંતર્ગત રુપિયા ૩ કરોડથી વધુની રકમ સહાય રુપે  આપવામાં આવી હતી.જેનો હેતુ આ રકમના ઉપયોગ થકી બહેનોની પ્રગતિમાં વેગ લાવી વધુ સફળ બનાવવાનો છે. 


આ પ્રસંગે બહેનોને સંબોધન કરતા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલે જણાવ્યું હતું કે,  સંઘર્ષ કરીને સફળતા મેળવી રહેલી મહિલાઓ માટે આ સહાય વરદાન રુપ છે.દેશના પ્રધાનમંત્રી જ્યારે મહિલાઓ માટે આટલા ચિંતિત હોય ત્યારે સરકાર દ્વારા અમલી થયેલી મહિલાલક્ષી યોજનાઓનો લાભ લઈ  વધુને વધુ પ્રગતિ કરતા રહી, પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગી બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. 

    આ અવસરે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેકટર શ્રી મનિષ બંસલ, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પા બેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, જી. એલ. પી. એસના સંયુક્ત મેનેજીંગ ડિરેક્ટર શ્રી શોભના વર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી  બી. જે પટેલ તથા ટી.ડી.ઓશ્રી મલય ભુવા સહિત ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી, કર્મચારીઓ, સખી મંડળના મહિલાઓ અને 'લખપતી દીદી'નું સન્માન પ્રાપ્ત કરનાર સખી મંડળની મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત   જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી  પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો  સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ   સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહિક યોજનાનો લાભ પણ અપાવ્યો છે.

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મંત્ર