Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

નવસારી જિલ્લાનું ગૌરવ : તોરણીયા ડુંગર થી હિમાલય સુધી આદિવાસી દિકરી કાજલની શાનદાર સફર

 નવસારી જિલ્લાનું ગૌરવ : તોરણીયા ડુંગર થી હિમાલય સુધી આદિવાસી દિકરી કાજલની શાનદાર સફર

અદ્મય સાહસ અને સફળ કૌશલ્યના ભાગરૂપે નવસારી જિલ્લાના વાંસદા તાલુકા નવતાડ ગામની દિકરી કાજલ મહાલાએ સતત ત્રીજી વખત હિમાલયની શિખરો પર વિજય પતાકા લહેરાવી

ખેલમહાકુંભની વોલ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગની વિવિધ કોમ્પીટીશનમાં પણ કાજલ ગોલ્ડ અને સિલ્વર મેડલ ધરાવે છે.

નવસારી,તા.૩૧:  નવસારી જિલ્લાના વાંસદા તાલુકા નવતાડ ગામ મૂળજીભાઈ મહલાની દિકરી કાજલે  અદ્મય સાહસ અને સફળ કૌશલ્યના ભાગરૂપે સંપૂર્ણ આદિવાસી સમાજને ગૌરવવંત બનાવ્યું છે.  કાજલ હિમાલય ટ્રેકરની દરેક ફોર્મેટ પાર કરીને હિમાલય પરિભ્રમણ, નેશનલ કેમ્પ BMC, AMC અને ત્રીજી વખત હિમાલયની શિખરો પર વિજય પતાકા લહેરાવી છે.

સંપૂર્ણ ભારત માંથી સિલેક્ટેડ ટીમ તૈયાર થઈ હતી. જેમાં  શારીરિક કસોટીનું માપન સાથે સાથે ટેસ્ટ માં 5 કિલોમીટર દૌડ, ક્લાઈમ્બિંગ, રેપ્લિન, મૌખિક પ્રશ્નોત્તરી અને ફાઇનલ સિલેક્શનમાં પાસ થઈ ટોપ ટેનમાં કાજલને સ્થાન પ્રાપ્ત કર્યું હતું.  આ ટીમમાં સામેલ થતા હિમાલયના લેહ - લદાખ ખાતે 1 ઓગસ્ટે થી 25 ઓગસ્ટ સુધી પ્રયાણ કરી જેમાં લદાખ, મેન્ટોક –કાંગરી જેવા અતિ દુર્ગમ અને બરફના ચાદરો થી ઢંકાયેલા ટફ રૂટ 1, 2 અને 3 આરોહણ અને અવરોહણ સફળ રીતે પૂર્ણ કર્યું હતું. 
આ આદિવાસી દીકરીએ યશ એડવેન્ચર અને પર્વતારોહણ વાંસદાના માર્ગદર્શન હેઠળ તોરણીયા ડુંગર થી શરૂઆત કરી છેક હિમાલય સુધીની તમામ શિખરોને ખૂંદી વળી છે.  હાલમાં જ મેન્ટોક કાંગરી (6250 મીટર) લદ્દાખમાં અભિયાનોની વાત કરતા જણાવ્યું હતું કે, વિશાળ ત્સો મોરીરી તળાવની પશ્ચિમ બાજુએ આવેલું આ શિખર કોર્ઝોક ગામમાંથી 3-4 દિવસમાં ચઢી શકાય છે. સમિટ માંથી  તળાવની આજુબાજુના ચામસેર અને લંગસેર કાંગરી, ચાંગથાંગ ઉચ્ચપ્રદેશ અને દૂરના તિબેટના અદ્ભુત દૃશ્યો છે. સારા અનુકૂલન માટે, રુમ્ત્સે થી ત્સો મોરીરી ટ્રેક, હેમિસ થી ત્સો મોરીરી ટ્રેક અથવા ઝંસ્કર થી ત્સો મોરીરી ટ્રેક સાથે ચઢાણને જોડવાનું શ્રેષ્ઠ જણાય છે.

આટલુ જ નહી રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ રાજ્ય સ્તરે ખેલમહાકુંભ-૨૦૨૪ ક્લાઇમ્બિગ વોલ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ કોમ્પીટીશન માં, સ્પીડ ક્લાઇમ્બિંગ, લીડ ક્લાઇમ્બિંગ અને બોલ્ડર ક્લાઇમ્બિંગ એમ 3 પ્રકારની રમતમાં પણ કાજલ માહલાએ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવ્યું છે.

  કાજલના આ વિશેષ એચિમેન્ટ માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન માઉન્ટ આબુ રાજસ્થાન, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરેન પટોડીયા તથા જિલ્લા રમત ગમત અધિકાર શ્રીઅલ્પેશ પટેલ તથા તેમના ઉજ્જવળ કાર્ય માટે ડૉ.વિજય પટેલ,સફળ ટ્રેકર ( SOS) 7567973241યશ એડવેન્ચર અને પર્વતારોહણ વાંસદા અને કલા સંવર્ધન પ્રગતિ મંડળ વાંસદા તેમજ સંપૂર્ણ ટીમ મેમ્બર દ્વારા આ દિકરી જીવનમાં ઉતારો ઉત્તર પ્રગતિ માટે તથા નવસારી જિલ્લાને ગૌરવ અપાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.



*નવસારી જિલ્લાનું ગૌરવ* - *તોરણીયા ડુંગર થી હિમાલય સુધી આદિવાસી દિકરી કાજલની શાનદાર સફર* - *અદ્મય સાહસ અને સફળ કૌશલ્યના...

Posted by Info Navsari GoG on Saturday, August 31, 2024

Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...