Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી

વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી 


મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કાર્યક્રમને ખુલ્લો મુકયો

----- 

ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા વૃક્ષારોપણ અને સોલાર ઊર્જાનો ઉપયોગ અત્યંત જરૂરીઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ 

---- 

હરિયાળીથી લહેરાતો વલસાડ જિલ્લો ૩૩ ટકા વન વિસ્તાર ધરાવે છેઃ મુખ્ય વન સંરક્ષકશ્રી મનીશ્વર રાજા

---- 

કંપનીઓને સીએસઆર ફંડમાંથી વન વિસ્તારનો વ્યાપ વધારવા ઉમરગામના ધારાસભ્યશ્રી પાટકરે અપીલ કરી 

---- 

મંત્રીશ્રીના હસ્તે વન વિભાગની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું 

---- 

માહિતી બ્યુરો: વલસાડ, તા. ૧૧ ઓગસ્ટ

     વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં આવેલી દક્ષિણા વિદ્યાલય ખાતે  આજરોજ કરવામાં આવી હતી. 

     આ ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જીનીવામાં મળેલી વૈશ્વિક કોન્ફરન્સમાં કાર્બન ઉત્સર્જન ઝીરો થાય તે માટે આહવાન કર્યુ હતું. કાર્બન ડાયોક્સાઈડ ગેસ હાનિકારક છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે અને તેની સામે આપણને ઓક્સિજન આપે છે. જેથી વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. આ સિવાય સોલાર ઊર્જા અને પવન ઊર્જા પણ કાર્બન ઉત્સર્જન ઝીરો કરવા માટે અસરકારક છે. સોલારના ઉપયોગથી કોલસાનો ઉપયોગ અટકી જશે. વૃક્ષો સંવેદશીલ હોય છે, તેને આપણા મિત્ર તરીકે ગણી ઉછેરવા જોઈએ. વડાપ્રધાનશ્રીએ એક પેડ મા કે નામ અભિયાન શરૂ કર્યુ છે. તેમના સંકલ્પને સાકાર કરવા માટે દરેક લોકો આ અભિયાનમાં જોડાય એવી અપીલ મંત્રીશ્રીએ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, આપણો વલસાડ જિલ્લો હરિયાળીથી લહેરાતો પ્રદેશ છે. આપણી ભાવિ પેઢી માટે તેને જાળવવાની જવાબદારી આપણા સૌની છે. વધુમાં તેમણે વન મહોત્સવની શરૂઆતનો ઉલ્લેખ કરી ૧૯૫૦ની સાલમાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રીશ્રી સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુનશીની દીર્ઘદ્રષ્ટીને બિરદાવી તેમના વિઝનને પરિપૂર્ણ કરવા આહવાન કર્યુ હતું.   

           ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ "એક પેડ માં કે નામ" અભિયાન શરૂ કરાવી વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે. વૃક્ષથી આપણને સારું ઓક્સિજન મળશે તો બીમારીથી દૂર રહીશું. દરેક ગામમાં વન ઉછેર કરવા જણાવી સાથે વૃક્ષ ન કપાય તે માટે એક જાગૃતિ સમિતિ બનાવવા સૂચન કર્યું હતું. સાથે જ ઉમરગામ તાલુકામાં આવેલી કંપનીઓને સીએસઆર ફંડમાંથી વન વિસ્તારનો વ્યાપ વધારવા જણાવ્યું હતું. 

          વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રી મનિશ્વર રાજાએ પ્રાસંગિક પ્રવચનમાં વન વિભાગની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાઓનો લાભ લઇ વન વિસ્તારનો વિકાસ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે વૃક્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ૩૩ ટકા વન વિસ્તાર છે. એક વ્યક્તિને શ્વાસ લેવા માટે રોજના ૬૦૦ લીટર પ્રાણવાયુની જરૂર હોય છે. એક વૃક્ષ ૧૨૦ લીટર પ્રાણવાયુ આપે છે તે મુજબ એક વ્યક્તિ માટે પાંચ વૃક્ષની જરૂર હોય છે. જેથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું. 

         વન મહોત્સવની ઉજવણી દરમિયાન સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાનો લાભ લેનાર ૨૧ લાભાર્થીઓને લાભોનું વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર વ્યકિતઓનું પણ સન્માન કરાયું હતું. વન વિભાગ દ્વારા મંત્રીશ્રીને બોનસાઈ છોડ આપી સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી મંત્રીશ્રી દ્વારા વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 

           આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ લલીતાબેન દુમાડા, ઉમરગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મહેશ આહિર, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવાર, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાન્ત પઢીયાર, નારગોલના સરપંચ સ્વીટીબેન ભંડારી, ગામના અગ્રણી યતિનભાઈ ભંડારી, ઉમરગામ ઈન્ડ્રસ્ટીયલ એસોસિએશના પ્રમુખ નરેશ બાંથિયા, દક્ષિણા વિદ્યાલયના આચાર્ય વિશાલ સાવંત તેમજ અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

         નારગોલ ગ્રામ પંચાયત અને દક્ષિણા વિદ્યાલય દ્વારા મંત્રીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કે.ડી.બી. હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી ડો. રામ રતન નાલાએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. જ્યારે આભારવિધિ સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક જીનલ ભટ્ટે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તારેશભાઈ સોની અને વર્ષાબેન સી.પટેલે કરી હતી. 

બોક્સ મેટર 

દક્ષિણા વિદ્યાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવાઇ 

૧૭ એકર જમીન પર પ્રાકૃતિક વાતાવરણમાં સ્થિત દક્ષિણા વિદ્યાલય, ઓરોમીરા સેન્ટર ફોર એક્સેલન્સ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે પ્રાકૃતિક ખેતી, ગૌપાલન, સુથારીકામ અને કુંભારી કામ અંગે જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે ત્યારે આ જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, મ્યુઝિકલ સ્કીટ, ઓરોમીરા ફ્યુઝન ડાન્સ, વૃક્ષ લગાયેંગે હમ સંગીત, વક્તવ્ય અને ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે સંજાણની એસ.જી.ડાકલે હાઈસ્કૂલ દ્વારા ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ તાળીના ગડગડાટ સાથે તમામ કૃતિને વધાવી લીધી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી અગસ્ત્ય હજેવા અને નિત્યા પરીખે કર્યું હતું.


વલસાડમાં જિલ્લા કક્ષાના ૭૫ માં વન મહોત્સવની નારગોલ ખાતે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવણી...

Posted by INFO Valsad GOV on Sunday, August 11, 2024

Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...