માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લાના આદિવાસી બાળકો માટે સંજીવની બનતી દૂધ સંજીવની યોજના
જિલ્લાની કુલ ૭૭૭ શાળામાં ૮૧૮૧૧ બાળકોને પ્રતિદિન ૧૬૩૬૨ લીટર દૂધનું નિઃશૂલ્ક કરાઈ રહ્યું છે વિતરણ
----
કૂપોણને હરાવી બાળકોમાં વિટામીન, પ્રોટિન, કેલ્શિયમ અને ખનીજ તત્વોનો સંચાર કરતી યોજના ફળદાયી નીવડી
----
મેંગો, સ્ટ્રોબેરી અને ઈલાયચી સહિતના વિવિધ ફલેવર્ડના દૂધ વિદ્યાર્થીઓ રોજ હોંશે હોંશે પી રહ્યા છે
----
આલેખનઃ જિજ્ઞેશ સોલંકી
----
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૮ ઓગસ્ટ
આજે તા. ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી થનાર છે, ત્યારે રાજ્ય સરકારના હૈયે સદૈવ આદિવાસી બાંધવોનું હિત વસેલુ છે. આદિવાસી સમાજના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ તો અમલમાં છે જ પરંતુ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના સશક્ત વિકાસ માટે પાયાની કામગીરી તરીકે દૂધ સંજીવની યોજના ઓળખાય છે. આ યોજના હેઠળ આદિવાસી બાળકોમાં કુપોષણ દૂર થાય તે માટે વલસાડ જિલ્લાની કુલ ૭૭૭ શાળામાં ૮૧૮૧૧ બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
આદિવાસી સમાજમાં કૂપોષણ સામે લડવાના મક્કમ નિર્ધાર સાથે દૂધ સંજીવની યોજના વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણનો આધાર બની રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન આદિજાતિ સમુદાયના આરોગ્ય અને પોષણના સ્તરમાં સુધાર લાવવા માટે અનેકવિધ સફળ પ્રયાસ કર્યા હતા. આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના લાખો આદિજાતિ બાળકો દૂધ સંજીવની યોજનાનો લાભ મેળવી રહ્યા છે.
આદિજાતિના ગરીબ બાળકોમાં વિટામીન, પ્રોટિન, કેલ્શિયમ અને ખનીજ તત્વોની ઉણપ દૂર કરવા માટે પૂરક પોષણ યોજના અંતર્ગત ૨૦૦ મી.લી. ફલેવર્ડ દૂધ આપવાની દૂધ સંજીવની યોજના અમલમાં મુકવામાં આવી છે. જે મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, ઉમરગામ અને પારડી તાલુકાની પ્રાથમિક શાળા, આશ્રમશાળા, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ, ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતા આદિજાતિ બાળકોને અઠવાડીયામાં પાંચ દિવસ ફલેવર્ડ દૂધ આપવામાં આવે છે. એક વિદ્યાર્થીને ૨૦૦ મી.લી. દૂધ પ્રમાણે જિલ્લાના કુલ ૮૧૮૧૧ બાળકોને એક દિવસમાં કુલ ૧૬૩૬૨ લીટર દૂધ નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવી આ યોજનાએ પોષણસ્તર સમૃધ્ધ બનાવ્યું છે. બાળકોને રિશેષ પડે ત્યારે ફલેવર્ડ દૂધમાં મેંગો, સ્ટ્રોબેરી અને ઈલાયચી ફલેવર્ડ પણ આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ ખુશી ખુશીથી દૂધ પીતા થયા છે. હકીકતમાં આ યોજના વલસાડ જિલ્લામાં આદિવાસી બાળકો માટે સંજીવની સમાન બની છે.
વલસાડ જિલ્લામાં કુલ ૮૯ રૂટ પર રોજ દૂધનું વિતરણ કરાઈ રહ્યું છે. જેમાં પારડીમાં ૧૫, ધરમપુરમાં ૨૧, કપરાડામાં ૩૨ અને ઉમરગામમાં ૨૧ રૂટનો સમાવેશ થાય છે. જિલ્લામાં ધો. ૬,૭ અને ૮ના કુલ ૧૧૦૧૬૪ વિદ્યાર્થીઓમાંથી ૮૧૮૧૧ બાળકો લાભ લઈ કૂપોષણને હરાવી તંદુરસ્ત બની રહ્યા છે.
આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લાના આદિવાસી બાળકો માટે સંજીવની બનતી દૂધ સંજીવની યોજના ---- જિલ્લાની કુલ ૭૭૭ શાળામાં...
Posted by INFO Valsad GOV on Thursday, August 8, 2024
Comments
Post a Comment