Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

 

જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી 

પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો 

સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો 

આલેખનઃ જિજ્ઞેશ સોલંકી

માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ  

સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહિક યોજનાનો લાભ પણ અપાવ્યો છે. 


સરકાર અને પ્રજા વચ્ચે સુમેળભર્યો સંવાદ થાય તો તેના ફળ દરેકને મળતા હોય છે. જે અંગે ધરમપુરના ખાડા ગામના ખોરી ફળિયામાં રહેતા ખેડૂત મણિલાલ દેવજીભાઈ તુંબડા જણાવે છે કે, ભારત સરકારના આદિવાસી મંત્રાલય દ્વારા ઘડાયેલો જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ આદિવાસી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. અમે બાપ દાદાના સમયથી દોઢ એકર જમીન પર ખેતી કરતા હતા. પરંતુ આ જમીન અમારા નામે ન હતી. આ જમીન લાલ શેરા સાથે જંગલ ખાતાની હતી. પરંતુ વર્ષ ૨૦૦૬માં કાયદો આવ્યા બાદ આ દોઢ એકર જમીન અમારા નામે થાય તે માટે અરજી કરી હતી. બાદમાં કચેરીમાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા અને જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિ દ્વારા આ જમીનનો હક્ક અમને મળતા સરકારી રેકર્ડ પર અમારૂ નામ ચઢી ગયું હતું. આ જમીન પર અમે છેલ્લા ૬૦ થી ૭૦ વર્ષ સુધી ખેતી કરતા આવ્યા હતા. લેવલિંગથી જમીનને સમતળ કરી પાળા બનાવ્યા હતા. આ અગાઉ અમારી પાસે ૩ એકર જમીન હતી. જેમાં આંબાની કલમ અને ડાંગરની ખેતી કરતા હતા. પરંતુ જંગલ જમીન ફાળવાતા તેના પર હાલમાં ૨૦૦ આંબા કલમ રોપી છે અને સાથે હળદરની ખેતી પણ કરી રહ્યા છે. મારી સાથે મારી પત્ની મીરાબેન સહિત પરિવારના સાત સભ્યો પણ ખેતી કામ કરી રહ્યા છે. આ સિવાય સરકારની અન્ય યોજનાઓની જાણ થતા પ્રાયોજના વહીવટદારની કચેરીમાં જઈને તપાસ કરતા ટ્રેકટર ખરીદી માટે યોજનાનો લાભ મળ્યો હતો. રૂ. ૧૯૫૦૦૦ના ટ્રેકટરની ખરીદીમાં રૂ. ૮૫૦૦૦ની સબસિડી મળી હતી. આંબા કલમમાં ડ્રીપ ઈરીગેશન માટે રૂ. એક લાખનો ખર્ચ થયો હતો જેમાંથી ૭૦ ટકા સબસિડી મળી હતી માત્ર રૂ. ૩૦૦૦૦ ભરવા પડ્યા હતા. આ સિવાય વર્ષ ૨૦૨૩-૨૪માં પ્લગ નર્સરી યોજનાનો લાભ લઈ રૂ. ૩ લાખના ખર્ચે કલસ્ટર ઉભુ કર્યુ હતું જેમાં મરચી, રિંગણ અને ટામેટા સહિતની શાકભાજીના છોડ તૈયાર કરી વેચાણ કરી આવક મેળવી રહ્યા છે. આ યોજનામાં પણ સરકાર દ્વારા રૂ. ૨.૭૦ લાખની સહાય મળી હતી. ઉપરોક્ત વિવિધ યોજનાના લાભ થકી અમારા પરિવાર આર્થિક રીતે સમૃધ્ધ બન્યો છે. આ સિવાય વેલા વાળા શાકભાજી જેવા કે, કારેલા, ગલકા, તુરિયા અને ટિંડોળા સહિતના વિવિધ પાકની ખેતી માટે મંડપ યોજના હેઠળ રૂ. ૧૪૫૦૭ની સહાયનો લાભ પણ મળ્યો હતો. જેમાં દર વર્ષે પાક બદલીને ખેતી કરી રહ્યો છું. 

મારા ગામના ખેડૂત મિત્રોનો પણ સાથે વિકાસ થાય તે માટે તેઓને જાગૃત કર્યા છે. જેના ઉત્તમ નમૂના વિશે તમને કહુ તો, ગામમાં ખેતી લાયક જમીન હતી પરંતુ પાણી માટે ફાંફા પડતા હતા જેથી આદિજાતિ વિકાસ કચેરીમાં તપાસ કરતા સરકાર દ્વારા કૂવો બનાવી આપવામાં આવે છે એવી યોજનાની માહિતી મળતા તેના માટે ફોર્મ ભરી અરજી કરતા રાજ્ય સરકારે રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપ્યો હતો. હવે ખેતી માટે સિંચાઈની તકલીફ રહી નથી. જેના કારણે અમારા વિસ્તારની ખેતી સમૃધ્ધ બની છે, જેના દ્વારા આર્થિક ઉપાર્જન પણ સારૂ એવી મળી રહ્યું છે જેના કારણે જીવન ધોરણમાં પણ ધરમૂળથી ફેરફાર આવ્યો છે. સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવવા બદલુ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું.       

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024