Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

 

જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી 

પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો 

સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો 

આલેખનઃ જિજ્ઞેશ સોલંકી

માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ  

સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહિક યોજનાનો લાભ પણ અપાવ્યો છે. 


સરકાર અને પ્રજા વચ્ચે સુમેળભર્યો સંવાદ થાય તો તેના ફળ દરેકને મળતા હોય છે. જે અંગે ધરમપુરના ખાડા ગામના ખોરી ફળિયામાં રહેતા ખેડૂત મણિલાલ દેવજીભાઈ તુંબડા જણાવે છે કે, ભારત સરકારના આદિવાસી મંત્રાલય દ્વારા ઘડાયેલો જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ આદિવાસી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે. અમે બાપ દાદાના સમયથી દોઢ એકર જમીન પર ખેતી કરતા હતા. પરંતુ આ જમીન અમારા નામે ન હતી. આ જમીન લાલ શેરા સાથે જંગલ ખાતાની હતી. પરંતુ વર્ષ ૨૦૦૬માં કાયદો આવ્યા બાદ આ દોઢ એકર જમીન અમારા નામે થાય તે માટે અરજી કરી હતી. બાદમાં કચેરીમાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા અને જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિ દ્વારા આ જમીનનો હક્ક અમને મળતા સરકારી રેકર્ડ પર અમારૂ નામ ચઢી ગયું હતું. આ જમીન પર અમે છેલ્લા ૬૦ થી ૭૦ વર્ષ સુધી ખેતી કરતા આવ્યા હતા. લેવલિંગથી જમીનને સમતળ કરી પાળા બનાવ્યા હતા. આ અગાઉ અમારી પાસે ૩ એકર જમીન હતી. જેમાં આંબાની કલમ અને ડાંગરની ખેતી કરતા હતા. પરંતુ જંગલ જમીન ફાળવાતા તેના પર હાલમાં ૨૦૦ આંબા કલમ રોપી છે અને સાથે હળદરની ખેતી પણ કરી રહ્યા છે. મારી સાથે મારી પત્ની મીરાબેન સહિત પરિવારના સાત સભ્યો પણ ખેતી કામ કરી રહ્યા છે. આ સિવાય સરકારની અન્ય યોજનાઓની જાણ થતા પ્રાયોજના વહીવટદારની કચેરીમાં જઈને તપાસ કરતા ટ્રેકટર ખરીદી માટે યોજનાનો લાભ મળ્યો હતો. રૂ. ૧૯૫૦૦૦ના ટ્રેકટરની ખરીદીમાં રૂ. ૮૫૦૦૦ની સબસિડી મળી હતી. આંબા કલમમાં ડ્રીપ ઈરીગેશન માટે રૂ. એક લાખનો ખર્ચ થયો હતો જેમાંથી ૭૦ ટકા સબસિડી મળી હતી માત્ર રૂ. ૩૦૦૦૦ ભરવા પડ્યા હતા. આ સિવાય વર્ષ ૨૦૨૩-૨૪માં પ્લગ નર્સરી યોજનાનો લાભ લઈ રૂ. ૩ લાખના ખર્ચે કલસ્ટર ઉભુ કર્યુ હતું જેમાં મરચી, રિંગણ અને ટામેટા સહિતની શાકભાજીના છોડ તૈયાર કરી વેચાણ કરી આવક મેળવી રહ્યા છે. આ યોજનામાં પણ સરકાર દ્વારા રૂ. ૨.૭૦ લાખની સહાય મળી હતી. ઉપરોક્ત વિવિધ યોજનાના લાભ થકી અમારા પરિવાર આર્થિક રીતે સમૃધ્ધ બન્યો છે. આ સિવાય વેલા વાળા શાકભાજી જેવા કે, કારેલા, ગલકા, તુરિયા અને ટિંડોળા સહિતના વિવિધ પાકની ખેતી માટે મંડપ યોજના હેઠળ રૂ. ૧૪૫૦૭ની સહાયનો લાભ પણ મળ્યો હતો. જેમાં દર વર્ષે પાક બદલીને ખેતી કરી રહ્યો છું. 

મારા ગામના ખેડૂત મિત્રોનો પણ સાથે વિકાસ થાય તે માટે તેઓને જાગૃત કર્યા છે. જેના ઉત્તમ નમૂના વિશે તમને કહુ તો, ગામમાં ખેતી લાયક જમીન હતી પરંતુ પાણી માટે ફાંફા પડતા હતા જેથી આદિજાતિ વિકાસ કચેરીમાં તપાસ કરતા સરકાર દ્વારા કૂવો બનાવી આપવામાં આવે છે એવી યોજનાની માહિતી મળતા તેના માટે ફોર્મ ભરી અરજી કરતા રાજ્ય સરકારે રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપ્યો હતો. હવે ખેતી માટે સિંચાઈની તકલીફ રહી નથી. જેના કારણે અમારા વિસ્તારની ખેતી સમૃધ્ધ બની છે, જેના દ્વારા આર્થિક ઉપાર્જન પણ સારૂ એવી મળી રહ્યું છે જેના કારણે જીવન ધોરણમાં પણ ધરમૂળથી ફેરફાર આવ્યો છે. સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવવા બદલુ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું.       

Comments

Popular posts from this blog

Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા.

 Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  પંચોલ આશ્રમશાળા ખાતેથી 63 કન્યાઓ અને 224 કુમારો મળી કુલ 287 છાત્રો ને NDRF ની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોને ગડત આશ્રમશાળા ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ... Posted by  Info Tapi GoG  on  Monday, September 2, 2024

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...