Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક હાઈસ્કુલ ખાતે વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલની અધ્‍યક્ષતામાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક હાઈસ્કુલ ખાતે વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલની અધ્‍યક્ષતામાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક હાઈસ્કુલ ખાતે વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલની અધ્‍યક્ષતામાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ આદિવાસી કૂળદેવી કનસેરી માતા, ભારતમાતા, આદિવાસી દેવીદેવતાઓ અને ભગવાન બિરસામુંડાની પુજા-અર્ચના અને પુષ્પ અર્પણ કરી કરવામાં આવ્‍યો હતો. આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે. આ વારસાને અને પ્રકૃતિની જાળવણી કરવાની જવાબદારી આદિવાસીઓની છે એમ જણાવતા નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે કહ્યું હતું કે પ્રકૃતિનું માનવીના જીવનમાં અમુલ્ય યોગદાન છે તેથી આપણે તેના ઋણી છીએ. સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસીઓ માટે તેમનો વારસો, સંસ્‍કૃતિ, ભાષા, અધિકારો માટે સંકલ્પબદ્ધ થવાનો અને ભગવાન બિરસામુંડા સહિત હજારો આદિવાસીઓના બલિદાનને ગર્વપૂર્વક યાદ કરવાનો દિવસ છે. દેશની સેવામાં આદિવાસીઓનો ઇતિહાસ અત્યંત ગૌરવશાળી છે .આદિવાસીઓના બલિદાનો અવિસ્મરણીય છે. બુદ્ધિશાળી આદિવાસી પૂર્વજોએ જીવન જરૂરિયાતના વપરાશની વસ્તુઓમાંથી વાંજિત્રો બનાવ્યા છે. તેને બજારમાં લેવા જવા નથી પડતાં. આપણને આપણી સંસ્કૃતિ માટે ગૌરવ થવું જોઈએ કારણ કે આદિવાસીઓનો પ્રકૃતિ સાથે ઘરોબો નાતો છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ એકબીજાના પૂરક છે. આપણી સંસ્કૃતિ છોડમાં રણછોડના દર્શન કરવાની છે. સમાજ માટે સ્વાભિમાન હોય તો સમાજ માટે કંઇ કરી શકાય છે. દરેકે સમાજ માટે પોતાનાથી બનતું યોગદાન આપવું જોઈએ. વધુમાં તેમણે, ડો. બાબા સાહેબ આંબેડકરને બંધારણીય હક અપાવવા બદલ યાદ કર્યા હતા અને તેમના યોગદાનને બિરદાવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્‍યના વિકાસમાં આદિવાસી સમાજ અભૂતપૂર્વ યોગદાન આપે તે હેતુસર વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. જેના કારણે આજે આદિવાસી પટ્ટાઓમાં રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય અને બીજી વિવિધ સુવિધાઓ પહોંચી છે. આ અવસરે મુખ્ય નાયબ દંડકશ્રી અને મહાનુભાવોના હસ્‍તે વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને દૂધાળા પશુ સહાય – મુખ્યમંત્રી આદિમજુથ સર્વાંગી ઉત્કર્ષ યોજના, ડિ – સેગ શાખા હેઠળ મીની ટ્રેક્ટર યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના, વ્યક્તિગત ધોરણે મકાન સહાય યોજના, કુંવરબાઈનું મામેરૂ, એસેટ સિલાઈ મશીન, આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અને વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીનના હક્ક પત્રકો, ચાવી, આદેશપત્ર, મંજૂરી પત્ર, સહાય પ્રમાણપત્ર, પેમેન્ટ હુકમ, ઈ-પેમેન્ટ મંજૂરી હુકમ, કાર્ડ અને ચેકનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. કપરાડા તાલુકાના હળપતિ આવાસા યોજના, કિચન શેડ, ટોયલેટ બ્લોક, સ્મશાનભૂમિ, કુવા, પાઈપલાઈન, ઉદવહન સિંચાઈ, ચેકડેમ કમ કોઝવે અને આંગણવાડીના રૂ. ૨૭.૨૫ કરોડના કુલ ૧૭૬ વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેજસ્‍વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, શ્રેષ્‍ઠ પશુપાલકો, ખેડૂતો અને ઉચ્ચ પ્રદર્શન કરનાર શાળાઓનું સન્‍માન પણ કરાયું હતું. કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી આ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવતું પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત અને નૃત્ય રજૂ કર્યું હતું તો વિદ્યાથીઓએ પરંપરાગત આદિવાસી વેશભૂષામાં આદિવાસીઓની વિભિન્ન લોક સંસ્કૃતિક દર્શાવતું કરતું લોકનૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક હાઈસ્કુલ ખાતે વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલની...

Posted by INFO Valsad GOV on Friday, August 9, 2024

Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...