Skip to main content

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધ

Dang news : આ રહ્યા ડાંગ જિલ્લાના સન્માનના હક્કદાર સારસ્વતો:

 Dang news : આ રહ્યા ડાંગ જિલ્લાના સન્માનના  હક્કદાર સારસ્વતો:

એક રાજ્ય પારિતોષિક, ચાર જિલ્લા કક્ષાના અને પાંચ તાલુકા કક્ષાના પારિતોષિકો સાથે ડાંગ જિલ્લો ઉજવશે શિક્ષક દિવસ :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને તેમને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. જે અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવી છે. 

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીને મળેલ દરખાસ્તમાં ચકાસણી/મૂલ્યાંકન/નિરીક્ષણ અને ગુણાંકન પત્રક મુજબ કચેરી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોની યાદી તૈયાર કરવામાં આવી છે. 

જેમાં તાલુકા કક્ષાએ કુલ પાંચ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં (૧) શ્રીમતી સંધ્યાબેન ધનસુખભાઇ ગામિત, ઉપ શિક્ષક, પ્રા.શાળા ચિંચલી, (૨) શ્રી સતિષકુમાર જીતેન્દ્રભાઇ ગોહિલ, મુખ્ય શિક્ષક, પ્રા.શાળા ડોન, (૩) શ્રી ગણેશભાઇ બુધ્યાભાઇ માવચી, પ્રા.શાળા ટીમ્બરથવા, (૪) શ્રીમતી જ્યોતી રમેશભાઇ ચૌહાણ, પ્રા.શાળા બરડીપાડા, અને (૫) શ્રી મનિષભાઇ છોટુભાઇ પટેલ પ્રા.શાળા, સાવરખડી સહિત, જિલ્લા કક્ષાએ કુલ ચાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

જેમાં (૧) શ્રી જયેશભાઇ દીનુભાઇ પટેલ, ઉપ શિક્ષક, પ્રા.શાળા, કોસમાળ, (૨) શ્રીમતી અમૃતાબહેન પુનાભાઇ પટેલ, મદદનીશ શિક્ષક, સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વઘઇ, (૩) શ્રીમતી ફાલ્ગુનીબેન ચંદુભાઇ પટેલ, મદદનીશ શિક્ષક, સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, સારકપાતળ, અને (૪) શ્રી ભાવેશકુમાર હેંમતકુમાર ખડગે, પ્રા.શાળા, ચિકટીયા ઉપરાંત,

ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા-આહવાના શિક્ષિકા સુશ્રી બીજુબાલા પટેલની, માધ્યમિક વિભાગમાંથી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થવા પામી છે.

Gujarat Information CMO Gujarat

Comments

Popular posts from this blog

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત   જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી  પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો  સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ   સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહિક યોજનાનો લાભ પણ અપાવ્યો છે.

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મંત્ર