Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Khergam|shamla faliya: ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

Khergam|shamla faliya: ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ખેરગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી  શ્રીમતી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો.

આજનાં આ સ્વાતંત્ર્ય દિન ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચશ્રી ઝરણાબેન પટેલ ઉપસ્થિત રહી ધ્વજ ફરકાવી  સલામી આપી હતી.. તેમજ શાળા દ્વારા નાનકડાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ તેમણે સમય ફાળવી  બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીગ્નેશભાઈ પટેલ શાળાનાં આમંત્રણને માન આપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને  સાંસ્કૃતિક કાર્યકમ નિહાળી બાળકોને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ આપી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. આ ઉપરાંત વેપારી મંડળના પ્રમુખશ્રી અમ્રતભાઈ  પટેલ,ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ,  (ભાવુ ધોડિયા ઉપનામથી જાણીતા યુવા સામાજિક કાર્યકર) ભાવેશભાઈ પટેલ અને  એસ.એમ.સી.નાં સભ્યશ્રી આશિકીબેન પટેલ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ  શાળાનાં બાળકોને રોકડ રકમ ઈનામ સ્વરૂપે આપી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. શાળા પરિવાર તમામ દાતાશ્રીઓનો અંતઃ કરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 

આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, ગામના આગેવાન શ્રી બાબુભાઈ પટેલ,(પૂર્વ ગ્રામ. પં. સભ્ય), શ્રી બાબુભાઈ પટેલ( વાસણવાળા), શ્રી રમણભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ પટેલ, બચુભાઈ પટેલ, એસ.એમ.સીના અધ્યક્ષ શ્રીમતી કૌશાબેન પટેલ, એસ.એમ.સીના શિક્ષણવિદ્દ શ્રી શંકરભાઈ પટેલ, શ્રી ધર્મેશભાઈ પટેલ (યુવા સામાજિક કાર્યકર ખેરગામ બંધાડ ફળિયા), ગ્રામજનો, વાલીઓ, એસ.એમ.સીનાં સભ્યો ઉપસ્થિત રહી શાળાની શોભા વધારી હતી આ તબકકે ઉપસ્થિત તમામનો  શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.





Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...