Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Navsari|vansda|chikhli: એક એવી શાળા જે બની રહી છે આદિજાતિ યુવતીઓના ઉજ્જવળ કારકિર્દીની માર્ગદર્શક /સારથિ

  Navsari|vansda|chikhli: એક એવી શાળા જે બની રહી છે આદિજાતિ યુવતીઓના ઉજ્જવળ કારકિર્દીની માર્ગદર્શક /સારથિ

આદિજાતી યુવતી ભાવિની પટેલ ચીખલી આદર્શ નિવાસી કન્યા શાળામાંથી અભ્યાસ કરી હાલ નવસારી જિલ્લાની મહુવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપી રહી છે

આદર્શ નિવાસી કન્યા શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોના માર્ગદર્શન થકી હું આજે ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરી શકી છું – ડૉ. ભાવિની પટેલ (M.B.B.S)

નવસારી જિલ્લાની ચીખલી આદર્શ નિવાસી શાળા(કન્યા)ની ૭૮ વિદ્યાર્થીનીઓએ MBBS, BHMS,BAMS તથા વેટનરી જેવા મેડીકલ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવ્યો છે

(સંકલન: ભાવિન પાટીલ)

(નવસારી: રવિવાર): યુવાનો પોતાના સપનાને સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે, પણ જો તેમને યોગ્ય સમયે સાચો માર્ગદર્શક/સારથિ મળી જાય તો સપના પૂર્ણ કરવામાં કોઈ પરિબળ તેમને રોકી નથી શકતું. વાત છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આદિજાતિ વિકાસ વિભાગ-ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા જે બની રહી છે દક્ષિણ ગુજરાતના આદિજાતી યુવતીઓના મેડિકલ ક્ષેત્રેના ઉજ્જવળ કારકિર્દી માટેનો સાચો સારથિ. 

           

નવસારીમાં જીલ્લાના ચીખલી તાલુકાની આદર્શ નિવાસી કન્યા શાળામાં ચિખલી, ગણદેવી, વાંસદા, સહિત ધરમપુર, વાપી, પારડી, કપરાડા, વ્યારા, ડોલવણ અને ડાંગથી પણ વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવી ધો. ૯ થી ૧૨નું શિક્ષણ અને આનુષંગિક તમામ સુવિધાનો લાભ લઇ રહી છે. અહીં અભ્યાસ કરી રહેલ આદિજાતી વિદ્યાર્થિનીઓ શિક્ષકોના અથાગ પ્રયાસો અને માર્ગદર્શનથી મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહ્યા છે. શાળાની ભુતપૂર્વ વિદ્યાર્થીની ભાવિની પટેલ જે ડોક્ટર બનાવનું સ્વપ્ન પૂર્ણ કરી શકી છે અને હાલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ મહુવાસ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી અધિકારી તરીકે સેવા આપી રહી છે. 

          આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલીની વિધાર્થીની ડો.ભાવિની પટેલે મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સ્વપ્ન અંગે જણાવ્યું હતું કે, અમને શાળામાં ખુબ સારૂ શિક્ષણ આપવામાં આવતું હતું. મારા તથા માત પિતાનું ડોક્ટર બનવાના સપનાનું બીજ અહી રોપાયા હતા. પ્રિન્સીપાલ અને અધ્યાપકોના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી જ ધો. ૧૨ બાદ મેડીકલ ક્ષેત્ર માટેની NEET ની પરીક્ષા માટે ગાઇડન્સ તથા સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવતી હતી. અહીં શૈક્ષણિક સુવિધાઓની સાથે રહેવા-જમવાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેથી પૌષ્ટિક ભોજન સાથે અમે વધુમાં વધુ સમય અમારા અભ્યાસ પ્રત્યે ધ્યાન આપી શકતા હતા . છાત્રાલયમાં 'નાની નાની રોજીંદા વપરાશની ચીજવસ્તુઓ પણ આપવામાં આવતી હતી, જેના કારણે માતાપિતા પર વધારાનો બોજ પડતો નહતો અને અમે કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના ભણવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અમે પરીક્ષા પાસ કરી શક્યા. 

વધુમાં ડો. ભાવિનીએ જણાવ્યું કે , NEET ની પરિક્ષામાં ઉતીર્ણ થયા બાદ વડોદરા સ્થિત મેડીકલ યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ કોટા હેઠળ મારો MBBSની નો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટરની ડિગ્રી મેળવી છે, અને મને ખુબ જ ખુશી થાય છે કે આજે હું નવસારી જિલ્લાના અંતરિયાળ ગામડા એવા મહુવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપી રહી છે, જેના મૂળમાં આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલીમાંથી મળેલ ભણતર અને સંસ્કાર છે જે મારી કારર્કિદીના ઘડતરમાં ખુબ જ મદદરૂપ થયા છે.

          આ શાળા નિવાસી શાળા હોવાના કારણે વિદ્યાર્થીનીઓને તમામ શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે, ગણવેશ, ટ્રેક સુટ, મચ્છરદાની, પલંગ, ગાદલા સહિત સાબુ, તેલ જેવી નાની નાની ચીજવસ્તુઓની કાળજી લેવામાં આવે છે.        

છેલ્લા ૦૭ વર્ષમાં ૭૫ જેટલી વિદ્યાર્થીનીઓ તથા ગત વર્ષે આ શાળાના ૧૬ વિદ્યાર્થીનીઓએ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો છે. નવસારી જિલ્લા આદિજાતી વિભાગ હેઠળની ચીખલી આદર્શ નિવાસી શાળાઓમાં ધો. ૯ થી ૧૨ની કન્યાઓનું વિનામૂલ્યે શિક્ષણ અને રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં અભ્યાસ કરીને વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ M.B.B.S./ B.D.S./ B.H.M.S./ Engineering જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહી છે.       

આદિજાતી યુવાનોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી રાજય સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓને પરિણામલક્ષી બનાવવા આદિજાતિ વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી ઉપલબ્ધ કરાવી છે. જેમાંની એક આદર્શ નિવાસી કન્યા/ કુમાર શાળા છે, જે આ પ્રકારના પ્રકલ્પો સમગ્ર આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટેનો આધાર બની સર્વાંગી ઉચ્ચત્તમ શિક્ષણ થકી આદિવાસી બંધુઓ માટે નવા આયામો રચી રહ્યા છે.

#TeamNavsari #gujarat #navsari #prideofgujarat #prideofnavsari

Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...