Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Navsari|vansda|chikhli: એક એવી શાળા જે બની રહી છે આદિજાતિ યુવતીઓના ઉજ્જવળ કારકિર્દીની માર્ગદર્શક /સારથિ

  Navsari|vansda|chikhli: એક એવી શાળા જે બની રહી છે આદિજાતિ યુવતીઓના ઉજ્જવળ કારકિર્દીની માર્ગદર્શક /સારથિ

આદિજાતી યુવતી ભાવિની પટેલ ચીખલી આદર્શ નિવાસી કન્યા શાળામાંથી અભ્યાસ કરી હાલ નવસારી જિલ્લાની મહુવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપી રહી છે

આદર્શ નિવાસી કન્યા શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોના માર્ગદર્શન થકી હું આજે ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરી શકી છું – ડૉ. ભાવિની પટેલ (M.B.B.S)

નવસારી જિલ્લાની ચીખલી આદર્શ નિવાસી શાળા(કન્યા)ની ૭૮ વિદ્યાર્થીનીઓએ MBBS, BHMS,BAMS તથા વેટનરી જેવા મેડીકલ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવ્યો છે

(સંકલન: ભાવિન પાટીલ)

(નવસારી: રવિવાર): યુવાનો પોતાના સપનાને સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે, પણ જો તેમને યોગ્ય સમયે સાચો માર્ગદર્શક/સારથિ મળી જાય તો સપના પૂર્ણ કરવામાં કોઈ પરિબળ તેમને રોકી નથી શકતું. વાત છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આદિજાતિ વિકાસ વિભાગ-ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા જે બની રહી છે દક્ષિણ ગુજરાતના આદિજાતી યુવતીઓના મેડિકલ ક્ષેત્રેના ઉજ્જવળ કારકિર્દી માટેનો સાચો સારથિ. 

           

નવસારીમાં જીલ્લાના ચીખલી તાલુકાની આદર્શ નિવાસી કન્યા શાળામાં ચિખલી, ગણદેવી, વાંસદા, સહિત ધરમપુર, વાપી, પારડી, કપરાડા, વ્યારા, ડોલવણ અને ડાંગથી પણ વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવી ધો. ૯ થી ૧૨નું શિક્ષણ અને આનુષંગિક તમામ સુવિધાનો લાભ લઇ રહી છે. અહીં અભ્યાસ કરી રહેલ આદિજાતી વિદ્યાર્થિનીઓ શિક્ષકોના અથાગ પ્રયાસો અને માર્ગદર્શનથી મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહ્યા છે. શાળાની ભુતપૂર્વ વિદ્યાર્થીની ભાવિની પટેલ જે ડોક્ટર બનાવનું સ્વપ્ન પૂર્ણ કરી શકી છે અને હાલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ મહુવાસ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી અધિકારી તરીકે સેવા આપી રહી છે. 

          આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલીની વિધાર્થીની ડો.ભાવિની પટેલે મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સ્વપ્ન અંગે જણાવ્યું હતું કે, અમને શાળામાં ખુબ સારૂ શિક્ષણ આપવામાં આવતું હતું. મારા તથા માત પિતાનું ડોક્ટર બનવાના સપનાનું બીજ અહી રોપાયા હતા. પ્રિન્સીપાલ અને અધ્યાપકોના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી જ ધો. ૧૨ બાદ મેડીકલ ક્ષેત્ર માટેની NEET ની પરીક્ષા માટે ગાઇડન્સ તથા સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવતી હતી. અહીં શૈક્ષણિક સુવિધાઓની સાથે રહેવા-જમવાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેથી પૌષ્ટિક ભોજન સાથે અમે વધુમાં વધુ સમય અમારા અભ્યાસ પ્રત્યે ધ્યાન આપી શકતા હતા . છાત્રાલયમાં 'નાની નાની રોજીંદા વપરાશની ચીજવસ્તુઓ પણ આપવામાં આવતી હતી, જેના કારણે માતાપિતા પર વધારાનો બોજ પડતો નહતો અને અમે કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના ભણવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અમે પરીક્ષા પાસ કરી શક્યા. 

વધુમાં ડો. ભાવિનીએ જણાવ્યું કે , NEET ની પરિક્ષામાં ઉતીર્ણ થયા બાદ વડોદરા સ્થિત મેડીકલ યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ કોટા હેઠળ મારો MBBSની નો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટરની ડિગ્રી મેળવી છે, અને મને ખુબ જ ખુશી થાય છે કે આજે હું નવસારી જિલ્લાના અંતરિયાળ ગામડા એવા મહુવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપી રહી છે, જેના મૂળમાં આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલીમાંથી મળેલ ભણતર અને સંસ્કાર છે જે મારી કારર્કિદીના ઘડતરમાં ખુબ જ મદદરૂપ થયા છે.

          આ શાળા નિવાસી શાળા હોવાના કારણે વિદ્યાર્થીનીઓને તમામ શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે, ગણવેશ, ટ્રેક સુટ, મચ્છરદાની, પલંગ, ગાદલા સહિત સાબુ, તેલ જેવી નાની નાની ચીજવસ્તુઓની કાળજી લેવામાં આવે છે.        

છેલ્લા ૦૭ વર્ષમાં ૭૫ જેટલી વિદ્યાર્થીનીઓ તથા ગત વર્ષે આ શાળાના ૧૬ વિદ્યાર્થીનીઓએ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો છે. નવસારી જિલ્લા આદિજાતી વિભાગ હેઠળની ચીખલી આદર્શ નિવાસી શાળાઓમાં ધો. ૯ થી ૧૨ની કન્યાઓનું વિનામૂલ્યે શિક્ષણ અને રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં અભ્યાસ કરીને વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ M.B.B.S./ B.D.S./ B.H.M.S./ Engineering જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહી છે.       

આદિજાતી યુવાનોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી રાજય સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓને પરિણામલક્ષી બનાવવા આદિજાતિ વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી ઉપલબ્ધ કરાવી છે. જેમાંની એક આદર્શ નિવાસી કન્યા/ કુમાર શાળા છે, જે આ પ્રકારના પ્રકલ્પો સમગ્ર આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટેનો આધાર બની સર્વાંગી ઉચ્ચત્તમ શિક્ષણ થકી આદિવાસી બંધુઓ માટે નવા આયામો રચી રહ્યા છે.

#TeamNavsari #gujarat #navsari #prideofgujarat #prideofnavsari

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024