Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

TAPI : તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી

TAPI : તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી


*રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વ્યારા તાપી જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઇ*

*દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પ લઇ આગળ વધવાનો આજે એક અવશર છે છે: પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ*

ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની

*વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા*

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.15: તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાટર ખાતે ૭૮માં સ્વાતંત્ર્યતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. 

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં  ૭૮મો સ્વાતંત્ર્ય પર્વની સૌને શુબેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે  આજે દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પને લઇ આગળ વધવાનો એક અવશર છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં રાષ્ટ્રને વિકસિત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. દેશની મહામૂલી આઝાદી માટે બલિદાન આપનારા અનેક વીર સપૂતો તથા વીરાંગનાઓ સ્મૃતિમાં તેમજ રાષ્ટ્રના જન જનમાં દેશભક્તિની ભાવનાની ઉદ્દભવે તેવા ઉદેશ્યથી વડાપ્રધાનશ્રીએ તા.૦૮ થી ૧૫ ઓગસ્ટ  સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન માટે આહવાન કર્યું હતું.  ત્યારે આ આહવાનને ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લાના તમામ નાગરીકો દ્વારા ખુબ મોટો પ્રતિસાદ મળ્યો છે.

૨૦૪૭માં દેશની આજાદીને ૧૦૦ વર્ષ પુર્ણ થશે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના વિકસિત ભારત ૨૦૨૪ ના વિઝનને સિદ્ધ કરવા મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિકરિત વિકસિત ભારત-,વિકસિત ગુજરાતની  નેમ સાથે આપણે આગળ વધી રહ્યા છે.

 વધુમાં ઉમેર્યુ હતુ કે આજે તાપી જિલ્લો સર્વાંગી વિકાસ માટે હર હંમેશ આગળ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ૯મી ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાને પ્રાયોજના કચેરી દ્વારા પંચાયત,આદિજાતી અને પ્રાથમિક શિક્ષણ વિભાગની વિવિધ યોજનાના કુલ રૂપિયા ૨૬ કરોડના ૬૮૦ કામોનું ઈ-લોકાર્પણ,ખાતમુહુર્ત કર્યું છે.એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજે તાપી જિલ્લામાં આવેલ ઉકાઇ જળાસય આધારીત સરુ કરવામં આવેલ ઉદ્દવહન સિંચાઇ યોજના પાઇપલાઇન મારફતે તાપી જિલ્લાના ઉચ્છલ,સોનગઢ,કુકરમુંડા,નિઝર તલુકાના સિંચાઇથી વંચિત આદિજાતી વિસ્તારને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરવવાની યોજનાના  કામો લગભગ ૯૨% કામ પુર્ણ કરવામાં આવેલ છે.આ યોજનાથી તાપી જિલ્લાના ૧૩૬ ગામોના અંદાજિત ૨૭૯૭૨ હેક્ટર જમીનને પાણીનો લાભ મળવાનો છે.જે તાપી જિલ્લા માટે ખુબ જ ગૌરવની વાત છે.

સોનગઢ તાલુકાના નાગરીકોએને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની એક પેડ માં કે નામ ની અનોખી પહેલ તાપી જિલ્લાના સોનગઢ ખાતે નાગરિકો એક જ દિવસે ૭ હજાર વૃક્ષઓ વાવી એક પેડ માં કે નામનો રેકોર્ડ તોડી આખા ગુજરાત રાજ્યમાં નામના મેળવી છે અને આપણા તાપી જિલ્લા માટે ગૌરવ ની વાત એ છે કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આવાતની નોંધ લીધી છે.તાપી જિલ્લામાં આપણે સૌ સાથે મળીને કાર્ય કરી વિકસિત વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન અપવાનું છે એમ ઉમેર્યું હતું.

અંતે તેમણે વિવિધ વિભાગો અંતર્ગત કાર્યરત યોજનાકિય માહિતીમાં તાપી જિલ્લા દ્વારા કરવામાં આવેલ સિધ્ધિઓને વર્ણવતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લો છેવાડાનો જિલ્લો છે પરંતું તમામ કામગીરીમાં અગ્રેસર છે. તેમણે તમામ સરકારી વિભાગો અને કર્મચારીઓ/અધિકારીઓના કામ પ્રત્યેની નિષ્ઠાને બીરદાવી હતી. 

આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી તાપી જિલ્લામાં વિકાસના કામો માટે રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા વહિવટી તંત્રને અર્પણ કરાયો હતો. 

કાર્યક્રમમાં પોલીસ જવાન અને ડોગ હેન્ડલર મહેન્દ્રભાઇ પટેલે પોલીસ ડોગ  માઇલો અને પિન્કી-ડોબરમેન પાસે વિવિધ કરતબો કરાવ્યા હતા. આ ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ ઉપરાંત એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા તિરંગાને સલામી અપાઈ હતી. આ સાથે વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, વન સંરક્ષક અધિકારીશ્રી પુનિત નૈયર, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા,  ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામ ગામીત, સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ,બાળકો સહિત જાહેરજનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિનત રહ્યા હતાં.

*તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી* - *રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના...

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024
તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની

તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો...

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024
તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના સહિત ઉપસ્થિત...

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024
તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ

તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024

Comments

Popular posts from this blog

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મ...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...