Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

TAPI : તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી

TAPI : તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી


*રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વ્યારા તાપી જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઇ*

*દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પ લઇ આગળ વધવાનો આજે એક અવશર છે છે: પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ*

ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની

*વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા*

(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.15: તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાટર ખાતે ૭૮માં સ્વાતંત્ર્યતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. 

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં  ૭૮મો સ્વાતંત્ર્ય પર્વની સૌને શુબેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે  આજે દેશને વિકસિત બનાવવા માટે વિકસિત ગુજરાતના સંકલ્પને લઇ આગળ વધવાનો એક અવશર છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં રાષ્ટ્રને વિકસિત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. દેશની મહામૂલી આઝાદી માટે બલિદાન આપનારા અનેક વીર સપૂતો તથા વીરાંગનાઓ સ્મૃતિમાં તેમજ રાષ્ટ્રના જન જનમાં દેશભક્તિની ભાવનાની ઉદ્દભવે તેવા ઉદેશ્યથી વડાપ્રધાનશ્રીએ તા.૦૮ થી ૧૫ ઓગસ્ટ  સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન માટે આહવાન કર્યું હતું.  ત્યારે આ આહવાનને ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લાના તમામ નાગરીકો દ્વારા ખુબ મોટો પ્રતિસાદ મળ્યો છે.

૨૦૪૭માં દેશની આજાદીને ૧૦૦ વર્ષ પુર્ણ થશે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના વિકસિત ભારત ૨૦૨૪ ના વિઝનને સિદ્ધ કરવા મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિકરિત વિકસિત ભારત-,વિકસિત ગુજરાતની  નેમ સાથે આપણે આગળ વધી રહ્યા છે.

 વધુમાં ઉમેર્યુ હતુ કે આજે તાપી જિલ્લો સર્વાંગી વિકાસ માટે હર હંમેશ આગળ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ૯મી ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાને પ્રાયોજના કચેરી દ્વારા પંચાયત,આદિજાતી અને પ્રાથમિક શિક્ષણ વિભાગની વિવિધ યોજનાના કુલ રૂપિયા ૨૬ કરોડના ૬૮૦ કામોનું ઈ-લોકાર્પણ,ખાતમુહુર્ત કર્યું છે.એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજે તાપી જિલ્લામાં આવેલ ઉકાઇ જળાસય આધારીત સરુ કરવામં આવેલ ઉદ્દવહન સિંચાઇ યોજના પાઇપલાઇન મારફતે તાપી જિલ્લાના ઉચ્છલ,સોનગઢ,કુકરમુંડા,નિઝર તલુકાના સિંચાઇથી વંચિત આદિજાતી વિસ્તારને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરવવાની યોજનાના  કામો લગભગ ૯૨% કામ પુર્ણ કરવામાં આવેલ છે.આ યોજનાથી તાપી જિલ્લાના ૧૩૬ ગામોના અંદાજિત ૨૭૯૭૨ હેક્ટર જમીનને પાણીનો લાભ મળવાનો છે.જે તાપી જિલ્લા માટે ખુબ જ ગૌરવની વાત છે.

સોનગઢ તાલુકાના નાગરીકોએને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની એક પેડ માં કે નામ ની અનોખી પહેલ તાપી જિલ્લાના સોનગઢ ખાતે નાગરિકો એક જ દિવસે ૭ હજાર વૃક્ષઓ વાવી એક પેડ માં કે નામનો રેકોર્ડ તોડી આખા ગુજરાત રાજ્યમાં નામના મેળવી છે અને આપણા તાપી જિલ્લા માટે ગૌરવ ની વાત એ છે કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આવાતની નોંધ લીધી છે.તાપી જિલ્લામાં આપણે સૌ સાથે મળીને કાર્ય કરી વિકસિત વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન અપવાનું છે એમ ઉમેર્યું હતું.

અંતે તેમણે વિવિધ વિભાગો અંતર્ગત કાર્યરત યોજનાકિય માહિતીમાં તાપી જિલ્લા દ્વારા કરવામાં આવેલ સિધ્ધિઓને વર્ણવતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લો છેવાડાનો જિલ્લો છે પરંતું તમામ કામગીરીમાં અગ્રેસર છે. તેમણે તમામ સરકારી વિભાગો અને કર્મચારીઓ/અધિકારીઓના કામ પ્રત્યેની નિષ્ઠાને બીરદાવી હતી. 

આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી તાપી જિલ્લામાં વિકાસના કામો માટે રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા વહિવટી તંત્રને અર્પણ કરાયો હતો. 

કાર્યક્રમમાં પોલીસ જવાન અને ડોગ હેન્ડલર મહેન્દ્રભાઇ પટેલે પોલીસ ડોગ  માઇલો અને પિન્કી-ડોબરમેન પાસે વિવિધ કરતબો કરાવ્યા હતા. આ ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ ઉપરાંત એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા તિરંગાને સલામી અપાઈ હતી. આ સાથે વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, વન સંરક્ષક અધિકારીશ્રી પુનિત નૈયર, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા,  ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામ ગામીત, સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ,બાળકો સહિત જાહેરજનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિનત રહ્યા હતાં.

*તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી* - *રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના...

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024
તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની

તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો...

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024
તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના સહિત ઉપસ્થિત...

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024
તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ

તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ

Posted by Info Tapi GoG on Thursday, August 15, 2024

Comments

Popular posts from this blog

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...