Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad news : વલસાડ જિલ્લામાં “ નારી વંદન ઉત્સવ ” અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી

   Valsad news : વલસાડ જિલ્લામાં “ નારી વંદન ઉત્સવ ” અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી 


રોજગાર મેળામાં ઉપસ્થિત ૪૨૭ મહિલા લાભાર્થીઓમાંથી ૨૬૯ ની પસંદગી કરવામાં આવી 

વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ અને સખી મંડળને ચેકનું વિતરણ કરાયું 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩ ઓગસ્ટ 

વલસાડ જિલ્લામાં તા. ૧ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૦૩/૦૮/૨૦૨૪ ના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અર્થે ધરમપુરા મહારાણા પ્રતાપ હૉલ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓને રોજગાર મળી રહે તે માટે વિવિધ કંપનીઓ સાથે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


આ પ્રસંગે જિલ્લા પંચાયતની ઉત્પાદન સમિતિના અધ્યક્ષ ઊર્મિલાબેન બિરારી, કેળવણી મંડળના પ્રમખ ગણેશ બિરારી અને નગરપાલિકાના માજી ઉપ-પ્રમુખ નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર દેસાઈ, જિલ્લા રોજગાર અધિકારી પારૂલ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સ્ટાફ, લીડ બેન્ક મેનેજર અને સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટર સ્ટાફ, PBSC સ્ટાફ, DHEW નો સ્ટાફ, W CO સ્ટાફ હાજર રહ્યો હતો. આ મેળામાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વ્હાલી દીકરી યોજનાના કુલ- ૦૩ મંજૂરી હુકમ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કુલ- ૦૨ સખી મંડળ ગ્રુપને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લા ઉદ્યોગ કચેરી દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ મેળામાં રોજગાર મળી રહે તે માટે કુલ ૪૨૭ લાભાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાંથી વિવિધ કંપનીઓમાં કુલ- ૨૬૯ લાભાર્થીઓની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી.  




Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024