માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
ભીલાડ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજના યુવા ટુરિઝમ ક્લબ દ્વારા વઘઈ બોટનિકલ ગાર્ડનની મુલાકાત.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજના યુવા ટુરિઝમ ક્લબ દ્વારા કોલેજના પ્રિન્સિપલ ડૉ. દિપક ધોબીના અધ્યક્ષસ્થાને પ્રો. યોગેશ હળપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને વઘઈ બોટાનિકલ ગાર્ડન અને સાપુતારા ટ્રાઇબલ મ્યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રજાતિની વનસ્પતિઓનો અભ્યાસ કર્યો હતો, જેના દ્વારા છોડ શાસ્ત્ર અને સંરક્ષણના પ્રયત્નોને સમજી તેમની જાણકારી વધારી હતી.
Comments
Post a Comment