વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...
ભીલાડ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજના યુવા ટુરિઝમ ક્લબ દ્વારા વઘઈ બોટનિકલ ગાર્ડનની મુલાકાત.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજના યુવા ટુરિઝમ ક્લબ દ્વારા કોલેજના પ્રિન્સિપલ ડૉ. દિપક ધોબીના અધ્યક્ષસ્થાને પ્રો. યોગેશ હળપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને વઘઈ બોટાનિકલ ગાર્ડન અને સાપુતારા ટ્રાઇબલ મ્યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રજાતિની વનસ્પતિઓનો અભ્યાસ કર્યો હતો, જેના દ્વારા છોડ શાસ્ત્ર અને સંરક્ષણના પ્રયત્નોને સમજી તેમની જાણકારી વધારી હતી.
Comments
Post a Comment