વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...
ધરમપુરનાં ઓઝર ગામમાં નવા પંચાયત ભવન અને શાળા મકાનનું લોકાર્પણ.
તારીખ 08-11-2 024નાં દિને ધરમપુર તાલુકાના ઓઝર ગામ ખાતે નવા પ્રાથમિક શાળા મકાન અને પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું.
આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ સાંસદ ધવલભાઈ પટેલ અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું.
લોકાર્પણ સમારંભમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોર, ઓઝર ગામના સરપંચ, સરપંચ સંધના પ્રમુખ વિનોદભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને ગામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment