Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શન સાથે ઉજવાયો વાર્ષિક ઈનામ વિતરણ ઉત્સવ

 ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શન સાથે ઉજવાયો વાર્ષિક ઈનામ વિતરણ ઉત્સવ


"ભારત એ સમગ્ર વિશ્વનું ભવિષ્ય બની રહેશે," ઉપરોક્ત શબ્દ ખેરગામની જૂની અને પ્રતિષ્ઠિત શાળા જનતા માધ્યમિક શાળા ખેરગામના વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ કાર્યક્રમના અધ્યક્ષ પદે બિરાજમાન ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા, 

 અત્રે એ નોંધવું રહ્યું કે ખેરગામની પ્રતિષ્ઠા શાળા જનતા માધ્યમિક શાળા ખેરગામમાં તારીખ 18/ 12 /20124 ને બુધવારના રોજ વાર્ષિક ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, પરમ પૂજ્ય શ્રીપ્રફુલભાઈ શુક્લ કથાકાર, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ દેસાઈ,ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,

કાર્યક્રમની શરૂઆત શાળાના પરિસરમાં બિરસા મુંડા હોલનું ઉદ્ઘાટન કરીને કરવામાં આવ્યું, 

ત્યારબાદ દીપ પ્રગટીકરણ અને પ્રાર્થના થકી વાર્ષિક ઇનામ વિતરણ સમારંભની શરૂઆત કરવામાં આવી હતી, 

જેમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરી હતી તે બદલ ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા જાહેર કરેલ સ્કોલરશીપ તેમજ વર્તમાન શિક્ષકો દ્વારા શિલ્ડ આપવામાં આવ્યા હતા,

ઉપરાંત સહઅભ્યાસ પ્રવૃત્તિમાં જેમ કે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ ઉત્કૃત દેખાવ કર્યો હતો તે વિદ્યાર્થીઓને શાળા વતી શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા, 

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્યશ્રી ચેતન કે પટેલ અને પ્રાથમિક વિભાગના આચાર્ય આરતીબેન દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, 

શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી વિદ્યાર્થીઓએ વિવિધ 10 કૃતિઓ ખૂબ જ ઉત્સાહથી રજૂ કરવામાં આવી હતી. 

 આ કાર્યક્રમની સાથે સાથે સમૂહ ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સમૂહ ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

એકંદરે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો હતો. જે બદલ શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ,ઉપપ્રમુખ શ્રી શશીકાંતભાઈ પટેલ અને શ્રી શૈલેષભાઈ ટેલર, ચેરમેન શ્રી પ્રશાંતભાઈ પટેલ, મંત્રીશ્રી મુસ્તનશીર વોહરા દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. 

શાળાના શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ તમામે સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂરો કરવા માટે ખૂબ જ જેહમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી યોગેશભાઈ લાડ, વિપુલ રામચંદ્ર પવાર અને શિક્ષિકા શ્રીમતી ડિમ્પલ બેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.

માહિતી સ્રોત: જીજ્ઞેશ પટેલ


















Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

 Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિ...