Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શન સાથે ઉજવાયો વાર્ષિક ઈનામ વિતરણ ઉત્સવ

 ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શન સાથે ઉજવાયો વાર્ષિક ઈનામ વિતરણ ઉત્સવ


"ભારત એ સમગ્ર વિશ્વનું ભવિષ્ય બની રહેશે," ઉપરોક્ત શબ્દ ખેરગામની જૂની અને પ્રતિષ્ઠિત શાળા જનતા માધ્યમિક શાળા ખેરગામના વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ કાર્યક્રમના અધ્યક્ષ પદે બિરાજમાન ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા, 

 અત્રે એ નોંધવું રહ્યું કે ખેરગામની પ્રતિષ્ઠા શાળા જનતા માધ્યમિક શાળા ખેરગામમાં તારીખ 18/ 12 /20124 ને બુધવારના રોજ વાર્ષિક ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, પરમ પૂજ્ય શ્રીપ્રફુલભાઈ શુક્લ કથાકાર, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ દેસાઈ,ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,

કાર્યક્રમની શરૂઆત શાળાના પરિસરમાં બિરસા મુંડા હોલનું ઉદ્ઘાટન કરીને કરવામાં આવ્યું, 

ત્યારબાદ દીપ પ્રગટીકરણ અને પ્રાર્થના થકી વાર્ષિક ઇનામ વિતરણ સમારંભની શરૂઆત કરવામાં આવી હતી, 

જેમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરી હતી તે બદલ ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા જાહેર કરેલ સ્કોલરશીપ તેમજ વર્તમાન શિક્ષકો દ્વારા શિલ્ડ આપવામાં આવ્યા હતા,

ઉપરાંત સહઅભ્યાસ પ્રવૃત્તિમાં જેમ કે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ ઉત્કૃત દેખાવ કર્યો હતો તે વિદ્યાર્થીઓને શાળા વતી શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા, 

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્યશ્રી ચેતન કે પટેલ અને પ્રાથમિક વિભાગના આચાર્ય આરતીબેન દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, 

શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી વિદ્યાર્થીઓએ વિવિધ 10 કૃતિઓ ખૂબ જ ઉત્સાહથી રજૂ કરવામાં આવી હતી. 

 આ કાર્યક્રમની સાથે સાથે સમૂહ ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સમૂહ ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

એકંદરે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો હતો. જે બદલ શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ,ઉપપ્રમુખ શ્રી શશીકાંતભાઈ પટેલ અને શ્રી શૈલેષભાઈ ટેલર, ચેરમેન શ્રી પ્રશાંતભાઈ પટેલ, મંત્રીશ્રી મુસ્તનશીર વોહરા દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. 

શાળાના શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ તમામે સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂરો કરવા માટે ખૂબ જ જેહમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી યોગેશભાઈ લાડ, વિપુલ રામચંદ્ર પવાર અને શિક્ષિકા શ્રીમતી ડિમ્પલ બેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.

માહિતી સ્રોત: જીજ્ઞેશ પટેલ


















Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024