Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વિદાય સન્માન સમારોહ: નવી ભૈરવી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષકશ્રી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં સન્માન સમારોહ યોજાયો.

 વિદાય સન્માન સમારોહ: નવી ભૈરવી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષકશ્રી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં સન્માન સમારોહ યોજાયો.

શિક્ષક એટલે એક એવી શખ્સિયત, જે પોતાના સંસ્કારોથી સમાજ ઘડવાનું કાર્ય કરે છે. શ્રી અરવિંદભાઈ મંગાભાઈ પટેલ, જેમણે જીવનના ૩૩ વર્ષ અને ૬ મહિના શિક્ષણ ક્ષેત્રે નિમગ્ન રહી ભવિષ્યના નાયકોને ઘડ્યા. આજે જ્યારે તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે તેમની સફર કદી ભુલાય નહીં.

બાળપણ અને શિક્ષણ

મોજે ચીખલી તાલુકાના ઘેજ ભરડા ગામે એક ખેડૂત કુટુંબમાં જન્મેલા શ્રી અરવિંદભાઈએ ધોરણ ૧ થી ૧૨ સુધીની અભ્યાસયાત્રા ગુજરાતની વિવિધ શાળાઓમાં પૂર્ણ કરી. શિક્ષણ પ્રત્યેની અખંડ તલપ અને માતા-પિતાના સંસ્કારોએ તેમની જીવનયાત્રાને પથદર્શક બનાવી.


શિક્ષક તરીકેની શરૂઆત

તા. ૨૩-૦૪-૧૯૯૧ ના રોજ મોરબી જિલ્લાના માનસર પ્રાથમિક શાળાથી શિક્ષક તરીકેની સફર શરૂ કરનાર શ્રી અરવિંદભાઈએ પોતાની કર્તવ્યનિષ્ઠા અને શ્રદ્ધાથી ગામમાં નામના મેળવી. શિક્ષણમાં શિસ્ત અને શૌર્યના સમન્વયથી તેમણે શાળાના બાળકોના વ્યક્તિત્વના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.


ભૈરવી શાળામાં યોગદાન

તા. ૦૯-૧૧-૨૦૦૬ ના રોજ ભૈરવી પ્રાથમિક શાળામાં જોડાયાં પછી તેમણે શાળાના મુખ્ય શિક્ષક તરીકેના પદને ભવ્યતાથી ભજવી. વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટતા અને શાળાની પ્રગતિ માટે અવિરત મહેનત કરી. વાલીઓ, ગ્રામજનો અને શિક્ષણવિદ્યાલયના સહકારથી શાળાને નવી ઉંચાઈઓએ પહોંચાડવા માટે તેમના પ્રયત્નો અનન્ય છે.

ગુણવત્તા અને જીવનમૂલ્યો

સાદગીયુક્ત જીવન અને સહજ સ્વભાવ દ્વારા તેમણે શિક્ષણવિભાગમાં એક અનોખી છાપ છોડી. શિક્ષક કેવળ પાઠ ભણાવતો નથી, પણ એક સમાજ રચનાકાર છે, જેની ઝલક શ્રી અરવિંદભાઈના જીવનમાં સ્પષ્ટ દેખાય છે.

નિવૃત્તિ પછીની અપેક્ષા

વિશ્વાસ છે કે નિવૃત્તિ પછી પણ તેઓ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે યોગદાન આપતા રહેશે. તેમના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં અનેક શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રેરાઈ સમાજના નિર્માણમાં જોડાશે.

આ વિદાય સન્માન સમારોહમાં, ખેરગામ તાલુકા પંચાયતનાં સદસ્યશ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલા, ગામનાં સરપંચશ્રી સુનિતાબેન પટેલ, ડેપ્યુટી સરપંચશ્રી વજીરભાઈ પટેલ, sms અધ્યક્ષશ્રી નવીનભાઈ પટેલ, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી કિરીટભાઈ પટેલ, બી. આર.સી. ભવન ખેરગામના સ્ટાફ ભાવેશભાઈ અને આશિષભાઈ, કન્યા શાળાના આચાર્યશ્રી ભરતભાઈ સુથાર, સહિત તાલુકાના મુખ્ય શિક્ષકશ્રીઓ, શિક્ષકો, આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને શાળા પરીવાર  સહિત સૌએ  નિવૃત્તજીવન તંદુરસ્તમય રીતે વ્યતિત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રી અરવિંદભાઈને હ્રદયપૂર્વક નિવૃત્તિની શુભકામનાઓ!



























Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024