Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વિદ્યાર્થિની સિદ્ધિ: પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરની દીકરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન.

વિદ્યાર્થિની સિદ્ધિ: પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરની દીકરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન.

અભ્યાસમાં શ્રેષ્ઠતા મેળવવી અને સમાજમાં નમૂનાનાં પાયાનું કામ કરવું એ દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે. ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરમાં અભ્યાસ કરતી મિશાલ શ્રેયાકુમારી મહેશભાઈએ એ સાબિત કર્યું કે મહેનત અને ખંતથી કોઈ પણ શ્રેષ્ઠ સ્થાન મેળવવું શક્ય છે.

ભ્રષ્ટાચાર નિવારણ માટેની નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાની સફળતા

આદિવાસી વિસ્તારની વિદ્યાર્થીની શ્રેયાએ લાંચરૂશ્વતવિરોધી બ્યુરો, અમદાવાદ દ્વારા આયોજિત ભ્રષ્ટાચાર નિવારણ અંગેના કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો. તેની પ્રતિભા અને શિસ્તના કારણે શ્રેયાએ રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું અને શાળાનું ગૌરવ વધાર્યું.

મુખ્યમંત્રીના હસ્તે સન્માન અને પરિવારનો ગૌરવમય ક્ષણ

નવમી ડિસેમ્બર 2024ના આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણીના ઉપક્રમે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે શ્રેયાનું સન્માન કરવામાં આવ્યું. આ અવસરે શ્રેયા અને તેની સાથે રહેલા માર્ગદર્શક શિક્ષક ભરતભાઈ એમ. પટેલનો ઉત્સાહ વધાર્યો હતો.

પરિવાર અને શાળાનું ગૌરવ

શ્રેયાની સિદ્ધિ એ માત્ર શાળાનું જ નહિ પરંતુ તેનાના પરિવારનું ગૌરવ છે. મધ્યમવર્ગના અને શાળા વરદી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા પિતાએ દીકરીની આ સફળતાથી ગર્વની લાગણી અનુભવી.

પ્રેરણાદાયી સંદેશ

શ્રેયાની આ સિદ્ધિ એ તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે કે પ્રતિભા અને મહેનત સાથે કોઈપણ મુશ્કેલી પર વિજય મેળવી શકાય છે.

શુભેચ્છા અને શુભકામનાઓ

સંસ્કાર વિદ્યામંદિરના પ્રમુખશ્રી પરભુ દાદા, આચાર્ય મનોજકુમાર આર. પટેલ, અને સમગ્ર શાળા પરિવાર દ્વારા શ્રેયાને ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી. શ્રેયાને ભવિષ્યમાં પણ આવા જ સફળતાના શિખરો સર કરવા માટે શુભકામનાઓ.

આ સિદ્ધિ એ બતાવે છે કે નાના ગામડામાં રહેલા વિદ્યાર્થીઓ પણ મહેનત અને માર્ગદર્શનના આધારે મોટા સપનાને સાકાર કરી શકે છે.

ખેરગામ તાલુકાનું ગૌરવ મિશાલ શ્રેયાએ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી ખ્યાતિ મેળવી છે. આ પ્રાપ્તિએ માત્ર શ્રેયાને જ નહીં, પરંતુ તેના માતાપિતા અને તોરણવેરા ગામને પણ ગૌરવ અપાવ્યું છે.


શ્રેયા દીકરી તોરણવેરા ગામની રહેવાસી છે. શાળા પરીવાર દ્વારા તેમનાં માતાપિતા અને ગામનાં સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયાનું સન્માન કરાયું.

તોરણવેરા ગામનાં સરપંચશ્રી સુનિલભાઈના જણાવ્યા અનુસાર
શ્રેયા પટેલ તોરણવેરા ગામની દીકરી છે.જેમનુ કુંટુંબ આદિમજૂથમાં સમાવિષ્ઠ  છે. જે જમીન વિહોણા પરિવારમાંથી આવે છે. અને તેમનું ઘર સરકારી જમીનમાં છે. જે પાણીખડક વિદ્યામંદિર ખાતે અભ્યાસ કરે છે.જેમણે "ભ્રષ્ટાચાર નિવારણ" સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હોય જે, શાળા ઉપરાંત તોરણવેરા ગામ અને ખેરગામ તાલુકાનું પણ ગૌરવ વધાર્યું છે.

જે તેની મહેનત અને પ્રતિભાનું મૂલ્યવાન માન્યતા છે. જે અનુસંધાને તેના માતાપિતા અને તોરણવેરા ગામના સરપંચશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું. 

Comments

Popular posts from this blog

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો.

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો. તારીખ : 12-10-2024નાં દિને ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં પરંપરાગત દશેરા નિમિત્તે રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.             જેમાં મંદિરના દર્શનની સાથે આસપાસના વિસ્તારના હજારો લોકોએ મેળાનો લાભ લીધો હતો. જેમાં રાવણપૂતળાં દહન વલસાડ પત્રકાર વેલફેર એસોસિયેશનના પ્રમુખશ્રી હર્ષદભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.                     હર્ષદભાઈ આહીર દ્વારા  સૌપ્રથમ માતાજીની આરતીનો લાભ લઈ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.ત્યારે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થયું હતું.                  આ પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા નોરતા અને રાવણ દહન કાર્યક્રમ સુધી નવ દિવસ સુધી ખડેપગે  ફરજ બજાવનાર ખેરગામ PSI ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવા...

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024