Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વિદ્યાર્થિની સિદ્ધિ: પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરની દીકરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન.

વિદ્યાર્થિની સિદ્ધિ: પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરની દીકરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન.

અભ્યાસમાં શ્રેષ્ઠતા મેળવવી અને સમાજમાં નમૂનાનાં પાયાનું કામ કરવું એ દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે. ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરમાં અભ્યાસ કરતી મિશાલ શ્રેયાકુમારી મહેશભાઈએ એ સાબિત કર્યું કે મહેનત અને ખંતથી કોઈ પણ શ્રેષ્ઠ સ્થાન મેળવવું શક્ય છે.

ભ્રષ્ટાચાર નિવારણ માટેની નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાની સફળતા

આદિવાસી વિસ્તારની વિદ્યાર્થીની શ્રેયાએ લાંચરૂશ્વતવિરોધી બ્યુરો, અમદાવાદ દ્વારા આયોજિત ભ્રષ્ટાચાર નિવારણ અંગેના કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો. તેની પ્રતિભા અને શિસ્તના કારણે શ્રેયાએ રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું અને શાળાનું ગૌરવ વધાર્યું.

મુખ્યમંત્રીના હસ્તે સન્માન અને પરિવારનો ગૌરવમય ક્ષણ

નવમી ડિસેમ્બર 2024ના આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણીના ઉપક્રમે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે શ્રેયાનું સન્માન કરવામાં આવ્યું. આ અવસરે શ્રેયા અને તેની સાથે રહેલા માર્ગદર્શક શિક્ષક ભરતભાઈ એમ. પટેલનો ઉત્સાહ વધાર્યો હતો.

પરિવાર અને શાળાનું ગૌરવ

શ્રેયાની સિદ્ધિ એ માત્ર શાળાનું જ નહિ પરંતુ તેનાના પરિવારનું ગૌરવ છે. મધ્યમવર્ગના અને શાળા વરદી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા પિતાએ દીકરીની આ સફળતાથી ગર્વની લાગણી અનુભવી.

પ્રેરણાદાયી સંદેશ

શ્રેયાની આ સિદ્ધિ એ તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે કે પ્રતિભા અને મહેનત સાથે કોઈપણ મુશ્કેલી પર વિજય મેળવી શકાય છે.

શુભેચ્છા અને શુભકામનાઓ

સંસ્કાર વિદ્યામંદિરના પ્રમુખશ્રી પરભુ દાદા, આચાર્ય મનોજકુમાર આર. પટેલ, અને સમગ્ર શાળા પરિવાર દ્વારા શ્રેયાને ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી. શ્રેયાને ભવિષ્યમાં પણ આવા જ સફળતાના શિખરો સર કરવા માટે શુભકામનાઓ.

આ સિદ્ધિ એ બતાવે છે કે નાના ગામડામાં રહેલા વિદ્યાર્થીઓ પણ મહેનત અને માર્ગદર્શનના આધારે મોટા સપનાને સાકાર કરી શકે છે.

ખેરગામ તાલુકાનું ગૌરવ મિશાલ શ્રેયાએ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી ખ્યાતિ મેળવી છે. આ પ્રાપ્તિએ માત્ર શ્રેયાને જ નહીં, પરંતુ તેના માતાપિતા અને તોરણવેરા ગામને પણ ગૌરવ અપાવ્યું છે.


શ્રેયા દીકરી તોરણવેરા ગામની રહેવાસી છે. શાળા પરીવાર દ્વારા તેમનાં માતાપિતા અને ગામનાં સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયાનું સન્માન કરાયું.

તોરણવેરા ગામનાં સરપંચશ્રી સુનિલભાઈના જણાવ્યા અનુસાર
શ્રેયા પટેલ તોરણવેરા ગામની દીકરી છે.જેમનુ કુંટુંબ આદિમજૂથમાં સમાવિષ્ઠ  છે. જે જમીન વિહોણા પરિવારમાંથી આવે છે. અને તેમનું ઘર સરકારી જમીનમાં છે. જે પાણીખડક વિદ્યામંદિર ખાતે અભ્યાસ કરે છે.જેમણે "ભ્રષ્ટાચાર નિવારણ" સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હોય જે, શાળા ઉપરાંત તોરણવેરા ગામ અને ખેરગામ તાલુકાનું પણ ગૌરવ વધાર્યું છે.

જે તેની મહેનત અને પ્રતિભાનું મૂલ્યવાન માન્યતા છે. જે અનુસંધાને તેના માતાપિતા અને તોરણવેરા ગામના સરપંચશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું. 

Comments

Popular posts from this blog

Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા.

 Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  પંચોલ આશ્રમશાળા ખાતેથી 63 કન્યાઓ અને 224 કુમારો મળી કુલ 287 છાત્રો ને NDRF ની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોને ગડત આશ્રમશાળા ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ... Posted by  Info Tapi GoG  on  Monday, September 2, 2024

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...