Skip to main content

Posts

Showing posts from June, 2024

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધ

ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર...

ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #GujaratGovernment #newsupdates #gujarat Posted by Gujarat Information on  Sunday, June 30, 2024

Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

                      ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ રૂ.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું લોકાર્પણ કરતા વનમંત્રી મુકેશભાઈ પટેલ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વનમંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે સામાજિક વનીકરણ વિભાગ,સુરત વિસ્તરણ રેન્જ-ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના '૭૫માં વન મહોત્સવ'ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણ જતનના સંદેશ સાથે લવાછા ગામે રૂ.૩૦ લાખમાં નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. જેમાં કોમ્યુનિટી હોલ, શૃંગાર રૂમ, રસોડું, સ્ટોર રૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.              આ પ્રસંગે વનમંત્રીશ્રીએ દ

દિવ્ય ભાસ્કરે વલસાડ જિલ્લા - સંઘપ્રદેશના 500થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું

 દિવ્ય ભાસ્કરે વલસાડ જિલ્લા - સંઘપ્રદેશના    500થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું

વલસાડ ડાંગ લોકસભાના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા ડુંગરીથી નંદીગામ ભીલાડ હદ ધરાવતા નેશનલ હાઈવે વિસ્તારની સમસ્યા સંદર્ભમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને મકાન કેબિનેટ મંત્રીશ્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી.

વલસાડ ડાંગ લોકસભાના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા ડુંગરીથી નંદીગામ ભીલાડ હદ ધરાવતા નેશનલ હાઈવે વિસ્તારની સમસ્યા સંદર્ભમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને મકાન કેબિનેટ મંત્રીશ્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી. વલસાડ ડાંગ લોકસભાના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવતા ડુંગરીથી નંદીગામ ભીલાડ હદ ધરાવતા નેશનલ હાઈવે વિસ્તારની સમસ્યા સંદર્ભમાં આજરોજ તા.૨૬ જૂનના રોજ શુક્રવારે કેન્દ્રના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને મકાન કેબિનેટ મંત્રીશ્રી નીતિન ગડકરીની રૂબરૂ મુલાકાત કરી જિલ્લાના નેશનલ હાઈવેના અધુરા કાર્યો તેમજ હાઈવેને લાગીને ચાલુ સર્વિસ રોડનું જ્યાં પણ ક્ષતિ હોય એ સર્વિસ રોડને તાત્કાલિક રીપેર કરવા રજુઆત કરી હતી. મંત્રીશ્રી નીતિનભાઈ ગડકરીએ આ મામલે હાઈવે ઓથોરીટી ગુજરાતના અધિકારીને તાત્કાલિક ધોરણે ટેલિફોનિક સૂચના આપી વરસાદી વાતાવરણમાં ટ્રાફિક ન સર્જાય અને હાઈવે સંબંધી જે પણ સમસ્યા હોય એને તાત્કાલિક દુરસ્ત કરવા સૂચના આપી હતી. વલસાડ ડાંગ લોકસભાના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવતા ડુંગરીથી નંદીગામ ભીલાડ હદ ધરાવતા નેશનલ... Posted by INFO Valsad GOV on  Friday, J

Valsad District Shala Praveshotsav 2024 : Valsad , Dharampur, Pardi, Vapi,Umargam,Kaprada

Valsad District Shala Praveshotsav 2024 : Valsad , Dharampur, Pardi, Vapi,Umargam,Kaprada ધરમપુર તાલુકાના મરઘમાળ ગામની પ્રાથમિક શાળાના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું... Posted by Mla Arvind Patel on  Friday, June 28, 2024 ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા... Posted by Mla Arvind Patel on  Friday, June 28, 2024 ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા... Posted by Mla Arvind Patel on  Friday, June 28, 2024 ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા... Posted by Mla Arvind Patel on  Friday, June 28, 2024 ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા... Posted by Mla Arvind Patel on  Friday, June 28, 2024 જય જોહાર *તા.28/06/2024 ના દીને પ્રાથમિક શાળા

નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી.

    નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી. શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ==== નવસારી જિલ્લાના ખેરગામ-શામળા... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી *૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી* - *જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી *નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી* - *પ્રોબેશનર આઇ.એ.એસ. શ્રી... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ *શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪* - *જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ નવસારી તાલુકાના પારડી

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

 Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને   શામળા ફળિયા ક્લસ્ટરની  શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ અને ર

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

   Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ગ્રામજન

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

 Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, અધ્યક્ષશ્ર

વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો

 વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો નવસારી જિલ્લામાં ૨૧,૭૩૬ ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની મુહિમ વર્ષ-૨૦૨૨-૨૩માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ૪૭૬૪ એકર હતો જે વધીને વર્ષ-૨૦૨૩-૨૪માં ૭૪૭૦ એકર થયો છે જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજુ કરે છે. 'પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે.'-પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશિલ ખેડૂત મુકેશભાઇ નાયક છ વિઘા જમીનમાં છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઇ નાયકને રાજ્યપાલશ્રીના હસ્તે મળ્યુ છે બહુમાન સંકલન-વૈશાલી પરમાર નવસારી, તા.૨૪: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના આરંભથી તમામ જિલ્લાઓમાં રસાયણ વગરની ખેતી તરફ જાગૃત ખેડૂતો જોડાઇ રહ્યા છે. દેશી ગાયોની ઓલાદો વધી રહી છે. ખેત પેદાશોની ગુણવત્તા વધી રહી છે. ખેડૂતોને પોતાની ઉત્પાદનનું યોગ્ય વળતળ મળી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઇમેટ ચેન્જમાં પણ પ્રાકૃતિક ખેતીનો સિંહ ફાળ રહ્યો છે. આ મુહિમને આગળ વધારવામાં નવસારી જિલ્લાના ખેડૂતો પણ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે.  ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ આહવાનને ફ

Valsad : વલસાડ જિલ્લામાં તા. ૬ જુલાઈ સુધી યોજાનાર ધો. ૧૦-૧૨ બોર્ડની પૂરક પરીક્ષાના કેન્દ્રોથી ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો ચલાવવા ઉપર પ્રતિબંધ.

 Valsad : વલસાડ જિલ્લામાં તા. ૬ જુલાઈ સુધી યોજાનાર ધો. ૧૦-૧૨ બોર્ડની પૂરક પરીક્ષાના કેન્દ્રોથી ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો ચલાવવા ઉપર પ્રતિબંધ. પરીક્ષા સમયે કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે સભા - સરઘસના આયોજન ઉપર પ્રતિબંધ. ઓળખપત્ર વિનાની બિન અધિકૃત વ્યકિતઓને પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો. માહિતી  બ્યુરોઃ વલસાડ તા. ૨૪ જૂન   વલસાડ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૨૪ જૂન ૨૦૨૪થી વલસાડ જિલ્લામાં કુલ ૨૨ પરીક્ષા કેન્દ્રો પર ધો. ૧૦ અને ૧૨ બોર્ડની જાહેર પૂરક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે તા. ૬ જુલાઈ ૨૦૨૪ સુધી ચાલશે. આ પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના પરીક્ષા આપી શકે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એ.આર. જહાએ સભા સરઘસના આયોજન કરવા ઉપર તથા તમામ પરીક્ષા કેન્દ્રની હદથી ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને બિન અધિકૃત વ્યક્તિઓ, ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.           

Valsad : વલસાડ જિલ્લાના ૧૪ થી ૩૫ વર્ષના યુવક- યુવતીઓ માટે યોગાસન તાલીમ શિબિર યોજાશે

 Valsad : વલસાડ જિલ્લાના ૧૪ થી ૩૫ વર્ષના યુવક- યુવતીઓ માટે યોગાસન તાલીમ શિબિર યોજાશે. માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન  ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત અને વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા યોગાસન તાલીમ શિબિર રાજ્યના યુવક યુવતીઓ માટે શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસમાં યોગનું વિશિષ્ટ પ્રદાન છે. યોગાસન દ્વારા રાજ્યના યુવાનોનો સર્વાંગીક વિકાસ થાય  છે તેમજ તેમનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને રોગ નિવારણ પણ થઈ શકે છે. જેથી જિલ્લા કક્ષા યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનો લાભ લેવા ઈચ્છતા ૧૪ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ (જનરલ)એ તા.૦૨-૦૭-૨૦૨૪ સુધીમાં અરજી ફોટા સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧૦૬, જૂની બી.એસ.એન.એલ.કચેરી,પહેલા માળે,પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ,વલસાડને મોકલી આપવાની રહેશે એવુ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.                                         વલસાડ જિલ્લાના ૧૪ થી ૩૫ વ

Dharampur (Valsad) : ધરમપુરના બામટી ગામમાં શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

 ધરમપુરના બામટી ગામમાં શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન  ગુજરાત સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જિલ્લા ક્ક્ષાનો શનિ – રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.  જેમાં મુખ્યત્વે રાસ, ગરબા, લોકનૃત્યો, આદિવાસી નૃત્યો, ભવાઈ, માણભટ્ટ, કઠ્ઠપુતળી, શેરી નાટક, લોકડાયરો ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબીત કરતા નાટકો, સામાજિક સંદેશ આપતા નાટકો વગેરે વધુને વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી ધરમપુરના બામટી ગામમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આચાર્ય કાનુરબર્ડા પ્રાથમિક શાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ.જોષી, મદદનીશ શિક્ષક પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કાનુરબર્ડા પ્રાથમિક શાળા દ્વારા સ્વાગત ગીત, આદર્શ નિવાસી શાળા દ્વારા આદિવાસી લોકનૃત્ય, ઈ.એમ.આર.એસ.કપરાડા દ્વારા ગરબા અને ઓમકાર કલાવૃંદ દ્વારા લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ૩૫૦ જેટલી જનસંખ્યાએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને નિહાળ્યો હતો.  ધરમપ

Valsad: પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી

 Valsad: પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી  અજાણ્યા રાહદારીએ યુવતી સાથે દુઃખદ ઘટના બને તે પહેલા ૧૮૧ પર કોલ કરી સતર્કતા દાખવી  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન              વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીને એક અજાણ્યા રાહદારીએ રસ્તા ઉપર નિઃસહાય અને દુઃખી હાલતમાં બેઠેલી જોઈ હતી. આ યુવતી સાથે કોઇ દુઃખદ ઘટના ન બને તેથી રાહદારીએ મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કર્યો હતો. જેથી અભયમની ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કરતા યુવતીએ તેનું નામ સરનામું જણાવી દુઃખ વ્યક્ત કર્યુ કે, મારી ઉંમર ૨૭ વર્ષની થઈ ગઈ છે પરંતુ હજુ સુધી લગ્ન થયા નથી. પિતા કડક સ્વભાવના હોવાથી નાનો મોટો ઠપકો આપતા રહે છે. આજે પણ ઝગડો કર્યો હતો જેથી મન દુઃખ થતા પોતે ઘર છોડી નીકળી આવી હતી. અભયમની ટીમે સમજાવતા કહ્યું કે, ઘર છોડી નીકળી જવાથી કોઇ પણ મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે જેથી યુવતીને તેના સરનામે લઇ જઈ માતા પિતાને સોંપી હતી અને માતા પિતાને પણ પોતાની દીકરીને સમજવા માટે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આમ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા યુવતીને સુરક્ષિત તેના મા

Valsad : વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં ૧૪૦૩૪ કેસનો નિકાલ, રૂ.૧૦.૯૬ કરોડનું સમાધાન કરાયું

Valsad  : વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં ૧૪૦૩૪ કેસનો નિકાલ, રૂ.૧૦.૯૬ કરોડનું સમાધાન કરાયું  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન  વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદાલતોમાં પેન્ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ- ૧૬૯૭ કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્યા હતા. સ્પેશ્યલ સીટીંગ ઓફ મેજીસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરી નિકાલ થઇ શકે તેવા ફોજદારી કેસો કુલ ૮૬૫૦ મુકવામાં આવ્યા હતા. બેન્ક-ફાયનાન્સ કંપનીનાં‌ વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ ૧૬,૨૧૬ પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્ડિંગ

Valsad: ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી

 ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની બ્રિફિંગ મીટિંગનું જીવંત પ્રસારણ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સૌએ  નિહાળ્યું  ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં કુલ ૬૪૦૭૨ વિદ્યાર્થીઓને આંગણવાડીથી લઈને ધો. ૧૧ સુધીમાં પ્રવેશ અપાશે  તા. ૨૬ થી ૨૮ સુધી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓ ખૂંદી વળશે  પ્રવેશોત્સવમાં વધુમાં વધુ વાલી અને ગ્રામજનોની ભાગીદારી વધે તે માટે પ્રયાસ જરૂરીઃ જિલ્લા કલેકટરશ્રી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન  સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂનના રોજ ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની...’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ નો શુભારંભ થનાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બ્રિફિંગ મીટિંગનું આયોજન થયું હતું. જેમાં વલસાડ જિલ્લો પણ સહભાગી બનતા જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સંબંધિત વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જી

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024